অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ

રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ


યોજના શરૂ થયાનું વર્ષ

૧૯૫૫

યોજનાનું નાણાકીય સ્ત્રોત

ભારત સરકાર-સેન્ટ્રલ લેપ્રસિ ડીવીઝન નવી દિલ્હી

યોજનામાં છેલ્લે ક્યારે સુધારો     કરવામાં આવ્યો

૧૯૮૩-રક્તપિત્ત ની સારવાર સબંધિત આરોગ્ય કેન્દ્ર મારફતે સબ સેંન્ટર  દ્વારા ગ્રામ્ય કક્ષાએ જેતે આરોગ્ય કર્મચારી/આશા મારફતે વિના મુલ્યે ૬ થી ૧૨ માસ માટે પૂરી પાડવામાં આવે છે.

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

 

રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ દર્દી સંબંધિત પ્રા.આ.કે./સા.આ.કે./અર્બન હેલ્થ સેન્ટર/ જિલ્લા ક્ષય કેન્દ્ર મારફતે ટીબીની સારવાર લેતો હોવો જોઇએ. •તેમજ રક્તપિત સારવાર લેતા દર્દીઓની વર્ષિક આવક ગ્રામ્ય  વિસ્તાર માટે રૂ. ૪૭,૦૦૦/- અને શહેરી વિસ્તાર રૂ. ૬૮,૦૦૦/- સુધી કે તેથી ઓછી હોવી જોઇએ.
યોજના અંતર્ગત લાભ     ·

સુચિત આવક મર્યાદા સુધીના ટીબીની સારવાર લેતા આર્થિક પછાત   વર્ગના, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના, અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગના, વિચરતી/વિમુક્ત જાતિવર્ગના દર્દીઓને માસિક રૂ. ૮૦૦/- આર્થિક સહાય મળવા પાત્ર છે

 

 

રક્તપિત્તના જેતે લાયક દર્દીઓને સંબંધિત આરોગ્ય કેન્દ્ર મારફતે વિનામૂલ્યે એમ.સી.આર. શુઝ તેમજ અલ્સર કીટ પુરી પાડવામાં આવે છે. -વિકૃતી ધરાવતા દર્દીએઓને વિનામૂલ્યે રીકન્સટ્રક્ટીવ સર્જરી કરી આપવામાં આવે છે તેમજ બી.પી.એલ. કાર્ડ ધારકને રૂ.૫૦૦૦/- ની આર્થિક સાહાય આપવામાં આવે છે.
યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

રક્તપિત્તની સારવાર લેતા દર્દીઓએ તેમની અરજી સંબંધિત પ્રા.આ.કે./સા.આ.કે./અર્બન હેલ્થ સેન્ટર/ જિલ્લા ક્ષય કેન્દ્ર મારફતે મેળવી અરજીમાં સંબંધિત તબીબી અધિકારીશ્રીનું રક્તપિત્તની સારવાર બાબતનું પ્રમણપત્ર રજુ કરવાનું રહેશે તેમજા અરજી સાથે બી.પી.એલ. કાર્ડના લાભાર્થીઓએ તેની પ્રામાણિત નકલ અને તે સિવાયના લાભાર્થીઓએ સંબંધિત તલાટી કમા મંત્રી/તા.વિ.અ.શ્રી/ મામલતદારશ્રી/ ન.પાલીકા ચીફા ઓફીસરશ્રી/ વાર્ષિકા આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તેમજા તેમના બેંકના ખાતાની પાસબુકની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે.

યોજનાનો લાભ કયાંથી મળશે.

1.રક્તપિત્તની સારવાર લેતા દર્દીઓએ તેમની અરજી સંબંધિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર / અર્બન હેલ્થા સેન્ટરના મેડીકલ ઓફીસરશ્રી પાસેથી અરજી ફોર્મ મેળવી સાધનિક કાગળો સાથે રજુ કરવાની રહેશે.

સ્ત્રોત :- આરોગ્ય વિભાગ મહેસાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate