অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ચિકુનગુન્યાનો તાવ

ચિકુનગુન્યાનો તાવ

આ નામ એક સ્વાહીલી શબ્દ જેનો અર્થ "જે વળી જાય છે" એમ થાય છે. આ શબ્દ એક ઝુકેલા શારિરીક વલણના સંદર્ભમાં છે, જેના પરિણામમાં arthratic નો રોગ થવાના લક્ષણો છે. આ રોગ બહુ ગંભીર મનાતો નથી.

 

ચિકુનગુન્યાના નૈદાનિક લાક્ષણિક આકર્ષક ભાગો છે તાવ, માથાનો દુખાવો, ચીતરી ચડવી, ઉલ્ટી થવી, myalgia,અળાઈ અને arthralgia. નૈદાનિક નિદાન ઘણીવાર ડેંગુ તાવની સાથે ભેળસેળ થઈ જાય છે, કારણકે ચિકુનગુન્યાના તાવના વિષાણુ એવા ભાગમાં ફરે છે, જ્યાં ડેન્ગ્યુ (DEN)ના વિષાણુ હંમેશા મળી આવે છે. સૌથી મહત્વના લક્ષણો arthralgia ના છે, જે ઘણા બધા કિસ્સાઓમાં મળે છે. કેટલાક કિસ્સાઓમાં morbilliform ની અળાઈ બીજાથી પાંચમા દિવસે તેની શરૂઆત પછી વિકસિત થાય છે. Hemorrhagic સ્પષ્ટ રીતે દેખાતુ નથી તેમ છતા સામાન્ય નથી તે થોડાક કિસ્સાઓમાં મળી આવે છે અને લોહી પડતા પેઢામાં નસકોરી ફાટવામાં haematemesis અને કોઇક જ વાર ઝાડામાં લોહી હોય છે.

માંદગીના સમયનો ગાળો

આ બિમારી ઘણીવાર બહુ ગંભીર હોય છે, જે ૩ થી ૫ દિવસ ચાલે છે. થોડાક કિસ્સાઓમાં જે કદાચ ૧૦ દિવસ અથવા તેના કરતા વધારે દિવસો ચાલે છે. માંદગી પછી ફરીથી સ્વસ્થ થવાનો અવધી સાધારણપણે લાંબો હોય છે અને તે સાંધામાં દુખાવો અને નબળાઈના લક્ષણો બતાવે છે.

વિકૃત મનોદશા - ગામડાની/વિભાગોની ૩૦% થી ૭૦% મર્યાદાની વસ્તીમાં તે અસરકારક છે.
મૃત્યુની સંખ્યા - નજીવી.

ચિકુનગુન્યાના તાવનુ વિતરણ અને તેના રોગચાળાનુ શાસ્ત્ર

ચિકુનગુન્યા તાવની વ્યાખ્યાના દાખલાઓ.

મહારાષ્ટ્ર રાજ્યમાં ૧૯૭૩, ૧૯૮૩ અને ૨૦૦૦ની સાલમાં છુટછવાયા કિસ્સાઓ નોંધાયા હતા. બારસી,મહારાષ્ટ્રમાં (૧૯૭૩) ૩૭.૫% વિકૃત મનોદશા નોંધાઈ હતી. તાજેતરમાં ચિકુનગુન્યાના કિસ્સાઓ મુન્ગી, બાલમટાકલી અને માધી (અહમદનગર તાલુકા), માલેગાવ શહેર (નાશિક જીલ્લો) અને મરાઠાવાડા પ્રદેશના ૮ તાલુકાઓ, વિર્દભ પ્રદેશના ૭ તાલુકાઓ, અકોલા, વાશિમ, બુલઢાના, યવતમાલ, નાગપુર, વર્ધા અને ચંદ્રપુરમાં નોંધાયા હતા.

ચિકુનગુન્યા તાવના લક્ષણો અને ચિન્હો

 

ચિકુનગુન્યા તાવની વ્યાખ્યાના દાખલાઓ

શંકાશીલ દાખલો.

  • તીવ્ર શરૂઆત.
  • ૭ દિવસ કરતા ઓછા સમયનો ઉગ્ર તાવ.
  • તીવ્ર માથાનો દુખાવો.
  • Myalgia
  • તીવ્ર Arthralgia.
  • અળાઈ સાથે અથવા તેના વીના.

બનવાજોગ દાખલો.

  • શંકાશીલ CHK નો દાખલો.
  • ઉંચા રોગના વાહકની ઘનતા.
  • એ વિસ્તારમાં CHK ની ઉપસ્થિતીની દૃઢતા.

પુષ્ટી કરેલો દાખલો

  • શરૂઆતના તબક્કામાં લોહીમાંથી વિષાણુનુ વેગળાપણુ.
  • બિમારીના ૫ દિવસ પછી Serological ની કસોટી IgM પ્રતિપિંડ માટે.
  • ચારગણુ અથવા તેના કરતા વધુ IgGના પ્રતિપિંડ્ના seraની જોડીનુ પ્રદર્શન.

સામાન્ય રીતે કોને અસર થાય છે આ રોગ બધી ઉમ્રના લોકોને થાય છે.

ચિકુનગુન્યા તાવના પ્રેરણાત્મક કર્તા

ચિકુનગુન્યા એક રોગ પેદા કરનાર અતિ સુક્ષ્મ જંતુવાળો અસામાન્ય રોગ છે, જે Alpha વિષાણુ જે મચ્છરના aedes aegypti ડંખવાથી ફેલાય છે.

ચિકુનગુન્યાના તાવના વિષાણુ Togaviridae, genus Alphaના વિષાણુ અને બદલી સમુદાય semliki forest venezuelan (SFV) equine encephalitis ના કુંટુંબના છે.

ચિકુનગુન્યા તાવના પ્રસારણની રોકથામ

ચિકુનગુન્યા તાવને રોકવા માટે હજી સુધી કોઇ રસ્સી ઉપલબ્ધ થઈ નથી, એટલે તેને રોકવા માટે અને તેને નિયંત્રણમાં લાવવા માટે મચ્છરના કરડવાથી દુર રહેવુ અને રોગના વાહકની ઘનતા ઓછી કરવી.
એક દર્દીના ઉપચારના રોગનુ લક્ષણ ખાસ કરીને બળતરા રોધક ઔષધ છે. steroids આના ઉપચાર માટે વપરાતા નથી.

ચિકુનગુન્યાના તાવના રોગચાળાની શોધ

ચિકુનગુન્યાના તાવના રોગચાળાની શોધ, બીજા વ્યાપક રોગચાળાના વલણવાળા રોગના શોધ જેવી છે. પહેલુ મહત્વ એ છે કે વ્હેલા ચિન્હો મળવા જોઇએ. રોગનુ નિદાન કરવુ અને આ રોગચાળાને નિયંત્રણમાં લાવવા તત્પર પગલા ભરવા જોઇએ. પરિમાણ ઉપર નિયંત્રણ લાવવુ બહુ જ અસરકારક છે, જ્યારે પસંદગીવાળા પરિમાણો વ્હેલા લગાડાય છે.

કિસ્સાઓના યાદીની હાર, ઉમર, લિંગ, સરનામુ અને બીજી વિગતવાર બાબતોની નોંધ રાખવી જોઇએ. જીલ્લા સ્વાસ્થય પ્રતિનિધી (District Health Authority) ના ઉપરીને જણાવવી જોઇએ. વધારે કિસ્સાઓની સક્રિય શોધ કરવી જોઇએ. પ્રયોગશાળામાં આ રોગની ખાત્રી કરવા માટે સીરમના (serum) નમુના ભેગા કરવા જોઇએ. રોગના વાહકની દેખરેખ તરત જ શરૂ કરવી જોઇએ, અને તેમાં પુખ્ત મચ્છરોનો સંગ્રહ કરવો, મચ્છરોના પ્રકારોની અને તેની ગિચોગીચતાની ઓળખ કરવી, રોગના વાહકની સંવેદનશીલતા અને મળતી જંતુ વિનાશક દવાની આકારણી કરવી.

સમાજમાં આરોગ્યનુ શિક્ષણ આપવા, મચ્છરના કરડવાનુ રોકવા, મચ્છરદાની, પાછુ હઠાવનાર ક્રિમ અને મચ્છરને ઉછેરવાની જગ્યાઓ, પાણીના વાસણો અઠવાડીયામાં એક વાર કોરા કરીને,પાણીના વાસણોમાંથી અઠવાડીયામાં એક વાર પાણી ઘટાડીને, ધુમ્મસવાળુ pyrathrum ઘરમાંથી બહાર કાઢીને, સંરક્ષણ આપતા કપડા પહેરીને અને શંકાશીલ કિસ્સાઓની વ્હેલી જાણ, આરોગ્યની સગવડો આપીને પતાવવી જોઇએ.

ચિકુનગુન્યાના તાવના રોગચાળાની પુષ્ટી કરવી, બીજા પડોસીના ઉંચા જોખમવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલા ભરવા.

ચિકુનગુન્યાના તાવના પ્રસારણની પ્રચલિત પ્રથા

પ્રકૃતીમાં ચિકુનગુન્યાના તાવના વિષાણુનુ ભરણપોષણ

પ્રકૃતીમાં વિષાણુ નીચા સ્તરે માણસ - મચ્છર - માણસનુ ઘટનાચક્ર ચાલે છે. પ્રકૃતીમાં ચિકુનગુન્યાના તાવના જીવાણુનુ ઉત્તરજીવન એ transovarialના (TOT) પ્રસારણ Aedes aegypti મચ્છરનુ શરૂઆતથી છેવટ સુધી થાય છે.

રોગના વાહકો

ભારતમાં આ Aedes aegypti વિષાણુનુ મહત્વ સૌથી વધારે છે. તે Aedes albopictus & Aedes vitatus થી મોકલી શકાય તેવુ છે.

ચિકુનગુન્યા તાવના જીવાણુ માણસથી માણસ Aedes aegypti ના મચ્છરથી થાય છે. Aedes aegypti એક સૌથી મહત્વના રોગચાળાવાળા રોગનુ વાહક છે. પણ બીજા પ્રકારો જેવા કે Aedes albopictus & Aedes vitatus બીજી પંક્તિના રોગના વાહકનુ દોષારોપણ થયુ છે. Aedes aegypti એક મુખ્ય રોગના વાહકનો પ્રકાર છે અને શહેરના ભાગોમાં તે બહુ સામાન્ય છે. શહેરમાં ફેલાવો Aedes aegyptiનો એક તાજેતરનો સંબધિત બનાવ છે, જે શહેરના વિકસિત પાણીના પુરાવાની યોજના સાથે જોડાયેલ છે, સુધરેલી વાહતુક યોજના અને પાણીની અછત. Aedes aegyptiની લોકસંખ્યા વરસાદ સાથે અને પાણીના સંગ્રહની સાથે વારંવાર બદલાય છે.

પાણીની હદ ઉપર ભેજવાળી સપાટીમાં એક પછી એક ઇંડા મુકે છે. ઘણી માદીઓ Aedes aegypti ઇંડા ઘણી OVI સ્થિતીની જગ્યા ઉપર એક gonotrophic ચક્ર ઉપર મુકે છે. ગર્ભ સાધારણપણે ૪૮ કલાકમાં હુફવાળા અને ભેજવાળા વાતાવરણમાં વિકસિત થાય છે. એક વાર embryonation સંપુર્ણ થાય છે, ત્યારે ઈંડા લાંબા સમય સુધી ભેજરહીત (એક વર્ષ કરતા વધારે) રહી શકે છે. એક વાર વાસણો ભરાય છે, ત્યારે ઇંડામાંથી બચ્ચાઓ બહાર આવે છે, પણ એક સમયે બધાય ઇંડામાંથી બચ્ચાઓ બહાર નીકળતા નથી.

Aedes aegypti ઘણુ કરીને સંપુર્ણપણે પેદા કરે છે અને ઘરગુથી માણસે બનાવેલ પાણીના વાસણો જે ઘરની આજુબાજુમાં,ઇમારત બંધાતી હોય તેવી જગ્યાઓ અને કારખાનાઓમાં મળે છે. ગરમ અને કોરા પ્રદેશમાં ઉપલા માળાની ટાંકી, જમીનમાં નીચે પાણી ભરવાની ટાંકી વગેરે તેનુ મુખ્ય આવાસ બને છે. જીવનના ચક્રની શ્રેષ્ઠ પરિસ્થિતી જે પાણીની નજીક રહેતા ચક્રના મુકામ Aedes aegypti ના (બચ્ચાને જન્મ આપ્યા પછી મોટા થયા સુધી લીધેલો સમય) ઓછામાં ઓછુ ૭ દિવસો હોય છે. નીચા ઉષ્ણતામાનમાં પરિપકવનુ બહાર નીકળવુ કદાચ ઘણા અઠવાડીયા લ્યે છે, Aedes aegypti ની સરેરાશ પરિપક્વનુ ઉત્તરજીવન ફક્ત ૮ દિવસો છે. વરસાદના દિવસોમાં જ્યારે બચવાનો સમય લાંબો હોય છે (૨૧ દિવસ સુધી) ત્યારે જીવાણુના સંક્રમણ થવાનુ જોખમ વધારે હોય છે. 

પોષણ આપનારનુ વર્તન
Aedes aegypti એક ઉંચી જાતનુ anthropophilic છે. એ diarnal નો પ્રકાર હોવાથી માદાઓનો બે વખતનો ખોરાકનો સમય હોય છે, એક જે સવારના ઘણા કલાકો ચાલે છે અને મળસકા પછી રાત પડતા પહેલા બપોરના સમયમાં તે ઘણા કલાકો સુધી બીજી વાર ચાલે છે. Aedes aegypti સાધારણપણે રાત્રે ખોરાક લેતુ નથી પણ તે પ્રકાશવાળા ઓરડામાં રાત્રે ભોજન લ્યે છે.

આરામના સમયનુ વર્તન).
Aedes aegypti અંધારામાં આરામ કરવાનુ પસંદ કરે છે, ઘરમાં અથવા ઇમારતમાં, ભેજવાળી જગ્યાઓમાં, સુવાના ઓરડામાં, નાહવાના ઓરડામાં, રસોડામાં અને ઘરની અંદર તેની પસંદગીની જગ્યા ફર્નીચરની નીચે હોય છે, લટકતી વસ્તુઓ જેવી કે કપડા અને પડદા જે દીવાલ ઉપર લટકે છે, ઘણી ઓછી વાર તેઓ બહાર વનસ્પતિની સૃષ્ટી સાથે અથવા સુરક્ષિત જગ્યા ઉપર જોવા મળે છે.

ઉડવાની હદ
મોટી વયની માદાઓએ (Aedes aegypti) વિખેરાઈને તેઓ ઘણા બધા કારણોથી પ્રભાવિત થાય છે, જેમાં ovi પરિસ્થિતીમાં રહેલ જગ્યાઓ અને લોહીના ચુસાવાનો સમાવેશ છે, પણ તે ઘણીવાર ૧૦૦ મીટરની મર્યાદામાં બહાર પડતા દેખાય છે.

પ્રસારણનુ ચક્ર
Aedes aegyptiની માદાઓ સાધારણપણે CHKના કીટાણુથી ચેપીત થાય છે, જ્યારે તેઓ એક માણસનુ લોહી ચુસે છે જેને તીવ્ર તાવ (Viraemia)ની માંદગી વારંવાર આવે છે. બહારના રોગના લક્ષણો દેખાવા માંડે તે પહેલા તેના જંતુઓ પેદા કરવાના સમય પછી (૮ થી ૧૦ દિવસ) મચ્છરની લાળની ગ્રંથીને ચેપ લાગે છે અને તેના વિષાણુ સંક્રમિત થાય છે, જ્યારે ચેપ લાગેલ મચ્છરનો ડંખ અને લાળનુ પ્રવાહી બીજા માણસના જખમ ઉપર જાય છે.

ચિકુનગુન્યાના તાવનુ નિદાન

  • વિષાણુનુ વેગળાપણુ.
  • ચાર વાર વળેલુ અથવા પ્રતિપિંડમાં મોટો વધારો titer ના જોડાયેલ sera માં.
  • પાચકરસનુ ImmunoSorbent Assay (ELISA)ની સાથે જોડાણ અને IgM પ્રતિપિંડ માટે ચકાસણી.
  • ખરા સમય દરમ્યાન નિદાન Polymerase chain ની પ્રતિક્રિયા (RT–PCR)ની કસોટી.
  • પાંચ દિવસની બિમારી પછી IgM પ્રતિપિંડ હકારાત્મક બનશે.

ચિકુનગુન્યાના તાવ ઉપર ઉપચાર

  • ચિકુનગુન્યા એક રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુનો રોગ છે અને તેથી આરામ કરવો બહુ મહત્વનુ છે. શક્તિશાળી કસરતોથી દુર રહેવુ જોઇએ. હળવી કસરતો કરવાની ભલામણ છે.
  • ઘણુબધુ પ્રવાહી લેવુ જોઇએ.
  • Antipyretics & analgesics જેવી કે Paracetamol or Ibuprofen દવાઓ ડૉકટરની સલાહ પ્રમાણે લેવી જોઇએ.
  • ગમે તે રૂપમાં Aspirin or steroids થી દુર રહેવુ.
  • ત્યાં કોઇપણ જીવાણુનાશક અથવા આંતરિક નસોનુ પ્રવાહી જેવુ કે સાધારણ ક્ષારવાળુ, dextrose નિયમિત પણે લેવાની જરૂર નથી. ફક્ત તેને લગતી પરિસ્થિતી હોય તો ફક્ત તે લેવુ જરૂરી છે.

ચિકુનગુન્યા તાવના લક્ષણો દેખાવા માંડે તે પહેલા તેના જંતુઓ પેદા થવા દેવાનો સમય

તે સાધારણપણે ૨ થી ૧૨ દિવસ હોય છે.(સામાન્યપણે ૩ થી ૫ દિવસ).

સ્ત્રોત: આરોગ્ય.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate