অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હોમિયોપેથી

હોમિયોપેથીની શોધ જર્મન આરોગ્ય તંજ્ઞ ડૉ. સેમ્યુએલ હેનમને ૧૭૯૦ માં કરયો. સંશોધન દરમિયાન તેના ધ્યાનમાં આવ્યું કે ચીના ઝાડની છાલનું રસ પીવાથી (સિંકોના ઑફિસિનઁલિસ - Cinchona officinalis) મલેરિયાના લક્ષણો દેખાય આવ્યાં (ઠંડી લાગવું, તાવ આવવો, સૂગ (nausea)). જયો કે તેઓ જાણતાં હતાં કે સિંકોના નામનું ઔષધ મલેરિયાના રોગમાં સારવાર માટે વાપરવામાં આવે છે. ઔષધોની એક નવીન પધ્ધતિનો ઉમેરો થયો જે હોમિયોપેથીના તત્ત્વો પર આધારિત છે "સિમીલીયા સિમીલીબસ ક્ર્યેન્ટ (Similia Similibus Curantur)" જેનો અર્થ એ થાય કે "કાંટાને કાંટાથી કાઠવોં". કોઇ એક ઔષધની નિરોગી વ્યક્તિ પર જે લક્ષણોનું નિર્માણ કરે, તેવાં જ લક્ષણો પિડાંતી) વ્યક્તિ પર તે ઔષધનો ઉપયોગ સાર્સ્વાર માટે કરી શકાય છે.

ડૉ હઁનમને કરેલા સંશોધનમાં હોમિયોપેથીના ઔષધોને "Potentizing" કરવા માટે ઔષધોને પાણી આલકોહોલના મિશ્રણમાં ભેળવી તેને પાતળું કરયું અને પછી તે મિશ્રણને અતિશય વેગ વડે હલાવ્યું. વધુ પ્રમાણમાં પાતણું કરવાથી ઔષધોની આડ અસર ઓછી થયાનું દેખાય છે તેમજ તેની ઉપચાર શક્તિ વધતી હોય એવું તેને લાગ્યું.

હોમિયોપેથી આ શબ્દ એ ગ્રીક શબ્દ પરથી નિર્માણ થયો હોમિયોસ (Homoeos) એટલે સમાન અને પઁથોસ (pathos) એટ્લે રોગ અથવા રોગના લક્ષણ. એનો અર્થ એ થાય કે "કાંટાને કાંટાથી કાઠવો. "(likes cure likes) વિવિધ પ્રકારના વ્યાધિમાં હોમિયોપથીનો ઉપચાર કરવામાં આવે છે, અને તે ઉપરાંત આધુનિક ઉપચાર પધ્ધતિને પડકાર આપતાં વ્યાધિનો કે છે. જેમાં, સંધિવા જેવું સાંધામાં દુ:ખાવો (Rhrumatoid Arthritis), કર્કરોગ (વિવિધ જગ્યાએથી ઉદભવતાં), મધુપ્રમેહ, વગે.

હોમિયોપેથી ઔષધોનું માત્ર ખુબ ઓછા પ્રમાણમાં વાપરવું પડતું હોવાથી તેના બીજા ખરાબ પરિણામો ઓછા થાય છે એ મહત્તવનું છે. તેને લીધે આ ઉપચાર પધ્ધતિ મોટી ઉમરના લોકો અને બાળકો માટે સારું સમજવામાં આવે છે. એક ઔષધિની ઉપયોગિતા સિધ્દ થયા પછી તે ઔષધિની ઉપયુક્તતાને માન્યતા આપવામાં આવે છે. હોમિયોપેથીના ઔષધો વિવિધ વસ્તુઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઉત્તમ ઔષધ કોઇ એક રોગના મુળમાંથી તેનો ઉપચાર કરે છે અને રોગના કોઇપણ ચિહનો છોડતાં નથી. હોમિયોપેથીમાં પ્રત્યેક વ્યક્તિની મહત્ત્વ જોઇ તેનો ઉપચાર કરવામાં આવે છે. કાણ કે કોઇપણ બે વ્યક્તિની પ્રકૃતિ એક સમાન હોતા નથી. પ્રત્યેક વ્યક્તિ માટે એક ઔષધ નિશ્ચત હોવાને લીધે આ પધ્ધતિ અજોશ અને ખામી વિનાનું(ચોકકસ) છે. ઉપચાર શરૂ કરતી વખતે દર્દીને પહેલાના રોગની માહિતી પૂછવામાં આવે છે. જેમાં માનસિક લક્ષણ અને શારિરીક લક્ષણ બંનેનો ઇતિહાસ પૂછવામાં આવે છે. પ્રકૃતિનો મૂળભૂત પ્રકાર અને ચૈતન્ય આપની શક્તિ આ સિધ્દાંતો જેના લીધે આરોગ્યની સ્થિતી જણાવે છે અને આ પધ્ધતિને હોમિયોપેથીમાં અજોડ માનવામાં આવે છે.

ડૉ. જેમ્સ હેલ કેન્ટ, ડૉ બાનિંગ હૉલેન, ડૉ. બોકિ ના સમાન મૂળબૂત સંશોધનને પાછલાં ૨૦૦ માં હોમિયોપેથીમા વધારે પ્રમાણમાં સુધારણાઓ કરયા છે અને તે જગત ભરમાં પ્રસરેલ છે. હાલમાં, વિશ્વના ૩૦ દેશોમાં હોમિયોપેથીનો ઉપચાર કરવામાં આવે છે અને વૈકલ્પિક ઔષધોની શાખા દ્વારા માન્યતા મળી છે.

હોમિયોપેથીનો પરિચય

આજના સમયમાં હોમિયોપેથી એ ખૂબ જ ઝડપથી વિકસિત થતી સિસ્ટમ છે અને તેની સેવા લગભગ સંપૂર્ણ વિશ્વમાં ફેલાયેલી છે. દવાની ગોળીની સલામતી અને કાળજીની સૌમ્ય પ્રકૃતિને લીધે ભારતમાં આ નામ હવે લગભગ ઘરઘરમાં જાણીતું બની ગયું છે. એક સામાન્ય સર્વે અનુસાર, ભારતની કુલ વસ્તીના લગભગ 10 ટકા લોકો તેમની સ્વાસ્થ્યની જાળવણી માટે ફક્ત હોમિયોપેથી દવા પર આધાર રાખે છે અને દેશમાં આ પ્રણાલી બીજી સૌથી જાણીતી પ્રણાલી તરીકે પ્રસિદ્ધ છે.

ભારતમાં હોમિયોપેથીની સારવાર શરૂ થયાને દોઢ સદી જેટલો સમય થઇ ગયો છે. દેશના મૂળ અને પરંપરામાં એવી રીતે ભળી ગઇ છે કે હવે તે રાષ્ટ્રિય દવાઓની તરીકે ઓળખાય છે અને મોટી સંખ્યામાં લોકોને સ્વાસ્થ્યની જાણવણી કરવામાં અગત્યનો ભાગ ભજવી રહી છે. તેની શક્તિ દર્દીને માનસિક, લાગણી, આધ્યાત્મિક અને શારીરિક સ્તરે એમ ચાર સ્તરે આંતરીક ક્ષમતાને પારખીને સાકલ્યવાદી (holistic) અભિગમથી બીમારીને સચોટ રીતે અસર કરે છે.

“હોમિયોપેથી” શબ્દ બે ગ્રીક શબ્દનો બનેલો છે, હોમોઇસ એટલે કે, ‘ના જેવું’ અને પેથોસ એટલે કે ‘પીડા’. હોમિયોપેથીનો સરળ અર્થ થાય છે, દર્દનો એ રીતે ઉપચાર કરવો જેમાં, એક નિશ્ચિત નોંધ દ્વારા, દર્દીને સ્વસ્થ લોકો દ્વારા લેવામાં આવેલા રોગ સામે લડવાના લક્ષણોને ધ્યાને લઇને પછી તેની દવા તૈયાર કરવામાં આવે છે. કોઇ રોગને દૂર- “સિમિલિયા સિમિલિબસ કુરાન્તુર” જેનો અર્થ થાય છે, “સમાન લક્ષણોની સમાનતાથી કાળજી લેવી” એ પ્રકારની કુદરતી પદ્ધતી પર આધારીત છે. 19મી સદીની શરૂઆતમાં આ પદ્ધતિને વૈજ્ઞાનિક રૂપ આપનાર હતા ડૉ. સેમ્યુઅલ હાહનેમન્ન(1755-1843). લગભગ બે સદીથી લોકો જે દર્દોથી પીડાતા હતા તેની સામે રાહત આપી છે અને સમયમાં ક્રાંતિ લાવવા માટે મદદ કરી છે જે સમય જતા એક ખૂબ જ સારી પદ્ધતિ તરીકે ઉદ્દભવ થઇ હતી, હાહનેમન્ન દ્વારા શોધવામાં આવેલી આ વૈજ્ઞાનિક પદ્ધતિ કુદરતી અને પ્રસ્થાપિત હોવાને કારણે તેના અનુસરણમાં સતત વધારો થતા આજના સમયમાં પણ સફળ રહી છે.

ચિકિત્સા

“ચિકિત્સા” એ હોમિયોપેથીમાં એક ટેકનિકલ વ્યાખ્યા છે, જે દર્દીના ઉપયોગ માટે એક નિશ્ચિત પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવતા વિશિષ્ટ પદાર્થનો ઉલ્લેખ દર્શાવે છે; આ સામાન્ય સ્વીકૃત શબ્દ જેવો એક ગૂંચવાયેલો શબ્દ નથી, પરંતુ તેનો સામાન્ય અર્થ છે, “એક દવા કે પદ્ધતિ જે રોગની કાળજી લે છે કે દર્દને દૂર કરે છે.”

હોમિયોપેથીક ચિકિત્સક જ્યારે દર્દીને ઉપચાર માટે દવા આપતા હોય ત્યારે બે પ્રકારના સંદર્ભને ધ્યાને રાખે છે: ઔષધ શાસ્ત્ર અને માહિતી સંગ્રહ. હોમિયોપેથીક ઔષધ શાસ્ત્ર એ “ઔષધીય ચિત્ર” છે, જેને “ઉપચાર”ની એબીસીડીના અનુસાર ક્રમમાં ગોઠવવામાં આવી છે, જેમાં તેના લક્ષણો સાથે અલગ ઉપચારને પણ દર્શાવવામાં આવ્યા છે. એક હોમિયોપેથી માહિતી સંગ્રહમાં રોગના લક્ષણોની એક અનુક્રમણિકા આપવામાં આવી હોય છે જેમાં એક નિશ્ચિત લક્ષણો સાથે તેના ઉપચારોનું લિસ્ટ આપવામાં આવે છે.

હોમિયોપેથી ઉપચારમાં ઘણા પ્રાણીઓ, છોડ, ખનીજ અને કૃત્રિમ પદાર્થોનો ઉપયોગ થાય છે. દા.ત. દવાઓમાં આર્સેનિર્મ એલ્બમ(આર્સેનિક ઓક્સિડ), નેટ્રમ મ્યુરિયાટિકમ (સોડિયમ ક્લોરાઇડ કે ટેબલ મીઠું), લાચેસીસ મુચા(બુશમાસ્ટર સાપનું ઝેર), ઓપિયમ અને થીરોઇડિનમ(થાઇરોઇડ હાર્મોન). હોમિયોપેથીમાં રોગમાંથી બનાવવામાં આવતી દવા નોસોડેસ(ગ્રીક નોસોસ, રોગમાંથી) બનાવવામાં આવે છે અથવા મળ-મૂત્ર અને શ્વાચ્છોશ્વાસના નિકાલ, લોહી અથવા કોશીકા વગેરે જેવા પેથોલોજિકલ નમૂના પર આધાર રાખે છે. હોમિયોપેથીક ઉપચાર પદ્ધતિ સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓમાંથી તૈયાર કરવામાં આવે છે જેને સારકોડ કહેવામાં આવે છે.

તૈયારી (દવાની બનાવટ)

હોમિયોપેથી ઉપચારમાં દવાઓનો ભૂક્કો કરવા માટે ખાંડણી અને દસ્તાનો પણ ઉપયોગ થાય છે, ઉપરાંત જરૂર પડે તો સ્ફટિક કે છીપલાઓનો ઉપયોગ પણ કરવામાં આવે છે.

રોગ માટે ઉપચાર શરૂ કરતા પહેલા, હોમિયોપેથીક ચિકિત્સક બે પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. જેમાંથી એક છે - ડાયનામિશેશન કે પોટેન્ટિશેશન પ્રક્રિયા જેમાં પદાર્થને આલ્કોહોલ કે શુદ્ધ કરેલા પાણી સાથે મેળવવામાં આવે છે અને પછી બીજી પ્રક્રિયા છે -તે સક્કસન, જેમાં શરીરને 10 અત્યંત મજબૂત સ્ટ્રોકથી મારવામાં આવે છે. હાહનેમન્ન એવા પદાર્થનો ઉપયોગ કરવાનુ સુચન આપતા હતા કે, જે રોગ જેવા લક્ષણો ધરાવતા હોય, પરંતુ તેમને જોયું કે આ બધા પદાર્થો લક્ષણોને વેગ આપે છે અને વેદના કે રોગમાં વધારો કરે છે, ક્યારેક ઝેરની આડઅસરો પણ થાય છે. ત્યારબાદ તેમણે નિર્દેશ કર્યો કે, પદાર્થોને થોડા મંદ કરવા જરૂરી છે. હાહનેમન્ન એવું માનતા હતા કે, સક્કશેસન દ્વારા પદાર્થોને થોડા મંદ કરવાથી તેની જરૂરી શક્તિને ફરીથી સક્રિય કરી શકાય છે અને તેને વધુ મજબૂત પણ બનાવી શકાય છે. સક્કશેસનની સુવિધા ઊભી કરવા માટે, હાહનેમન્ને એક બેઠક વાળી એક સ્પેશિયલ લાકડાંનું સ્ટ્રાઇકિંગ બોર્ડ બનાવ્યું જેને એક તરફથી ચામડાંથી કવર કરવામાં આવ્યું અને ઘોડાના વાળથી તે ભરવામાં આવ્યું. જેમાં શોષી શકાય તેવા સ્ફટિક અને છીપલા જેવા ઘન પદાર્થોને વાટીને તેની અંદર ભેળવીને દૂઘ-શર્કરા(ટ્રિટુરેશન) સાથે મેળવવામાં આવ્યા.

ભેળવવું (મેળવણી)

હોમિયોપેથીમાં 3 લોગરિથમ સ્કેલનો ઉપયોગ લગભગ સતત થાય છે. હાહનેમન્ન દ્વારા સેન્ટેસિમલ કે સી સ્કેલ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં દરેક તબક્કે પદાર્થના પરિબળનો 100મો ભાગ ભેળવે છે. હાહનેમન્ન દ્વારા તેના સમગ્ર જીવનમાં સેન્ટસિમલ સ્કેલને ધ્યાને લીધો હતો. એ 2સીમાં જે પદાર્થને ભેળવવામાં આવે છે, તેમાં 100નો એક ભાગ મેળવવામાં આવે છે અને પછી અન્ય પદાર્થમાં જે સોલ્યુશન ભેળવવામાં આવે છે તેમાં આગળની બાબતોને ધ્યાને રાખીને 100 ભાગમાંથી ભેળવવામાં આવે છે. સોલ્યુશનના 10,000 ભાગમાંથી હકિકતમાં તો એક જ ભાગ કામગીરી આપે છે, એ સિદ્ધાંત પર આ કામ કરે છે. એ 6સીમાં જે પદાર્થને ભેળવવામાં આવે છે, તેમાં આ પ્રક્રિયા 6 વખત કરવામાં આવે છે, જેના અંતમાં મુખ્ય પદાર્થ 100−6=10−12 ભાગ અથવા 1/1,000,000,000,000)ના સિદ્ધાંત પર કામ કરે છે. આથી પણ ઉંચા સ્તરે જે પદાર્થોને ભેળવવામાં આવે છે તેમાં પણ આ જ નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. હોમિયોપેથીમાં જે પદાર્થને વધારે ભેળવવામાં આવે તેમાં વધુ ક્ષમતા હોય તેવું માનવામાં આવે છે, અને વધુ ભેળવવામાં આવેલા પદાર્થને હોમિયોપેથ દ્વારા ઉપચાર માટે વધુ અસરકારક અને વધુ સારા ગણવામાં આવે છે. અંતમાં ઘણા પદાર્થ એવા પણ હોય છે જે ઓગળી જતા પદાર્થો (શુદ્ધ પાણી, ખાંડ કે આલ્કોહોલ)માંથી ઓગળીના જનાર પદાર્થોમાં પણ ભેળવવામાં આવે છે.

હાહનેમન્ન દ્વારા મોટા ભાગના હેતુ માટે 30સીના સ્તરે પદાર્થને ભેળવવા માટેની વધુ પ્રાસ્તાવિક ગણાવ્યું છે(એટલે કે, તેમાં પદાર્થની ભેળવણીનો સિદ્ધાંત 1060.કેમિકલ પદાર્થને ભેળવવાના એકમના શક્ય તેટલા નાના એકમો અણુ કે નાનામાં નાના કણનો ઉપયોગ કરવા માટે હાહનેમન્નના સમયમાં એવું ધારીએ કે, ઉપચારને ઓળખીને તેના માટે પદાર્થને ભેળવવામાં આવતા હતા. સૌથી સારા પદાર્થની ભેળવણીમાં સામાન્ય રીતે મુખ્ય પદાર્થના 12સીના સંદર્ભે એક નાનામાં નાના કણનો સમાવેશ કરવામાં આવે છે.

તપાસ

આ ચિકિત્સાને દર્દીઓ પર ઉપયોગ કર્યા પહેલા ઘણા વર્ષો સુધી હાહનેમન્ને પોતાની જાત પર તથા અન્ય લોકો પર પ્રયોગ કર્યા હતા. તેઓના પ્રયોગોએ બિમાર લોકો પર તાત્કાલિક ઉપચાર તરીકે અસર ન કરી, કારણ કે, તેમણે એવું વિચાર્યુ કે આ લગભગ એક સરખી જ ઉપચાર પદ્ધતિ છે, તેની વિશિષ્ટતા એ છે કે, તે દર્દની જેવા જ લક્ષણો ઉભા કરે છે, અને પછી રોગ દ્વારા ઊભા થયેલા લક્ષણોને નિર્ણયાક રીતે કામગીરી કરવામાં નિષ્ક્રિય બનાવે છે. જેને પરિણામે બીમાર લોકો આ પ્રયોગોથી દૂર રહે છે. કોઇ નિશ્ચિત રોગ માટે નક્કી કરવામાં આવતી નિર્ણાયક ઉપચાર પદ્ધતિને પ્રોવિંગ કહેવાય છે, જેનો મૂળ જર્મન શબ્દ પ્રુફંગ છે, જેનો અર્થ થાય છે, “તપાસ”. હોમિયોપેથી તપાસ એ એક પદ્ધતિ છે જેના દ્વારા હોમિયોપેથી ઉપચાર નક્કી કરવામાં આવે છે.

“સક્રિય” ઘટકો

ઉપચારો પર લખવામાં આવેલા ઘટકોનું લિસ્ટ કદાચ ઉપભોક્તાને ગૂંચવી પણ શકે છે. કારણકે તેમને એવું લાગે છે કે વસ્તુમાં તે ઘટકનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાન્ય હોમિયોપેથિક તાલિમની દ્રષ્ટિએ, હોમિયોપેથીમાં ઉપચાર હંમેશા સક્રિય ઘટક દ્વારા જ શરૂ કરવામાં આવે છે, ઘણી વખત સામાન્ય રીતે દર્શાવવામાં આવેલા ન હોય તેવા જીવ વિજ્ઞાનના “સક્રિય ઘટકો” પણ હોય છે કારણ કે ક્યારેક દવાની અંદર રહેલા ઘટકો લાંબા સમય સુધી ન રહે અને ઓગળી જાય તો અસર ન કરે. સામાન્ય રીતે જે લિસ્ટ આપવામાં આવ્યું હોય તે મુળભૂત ઘટકોનું જ લિસ્ટ આપવામાં આવે છે. નીચે આપણે એક ઉદાહરણ જોઇએ.

સંલગ્ન ઉપચાર પદ્ધતિઓ

ઇસોપેથી

ઇસોપેથી પદ્ધતિ હોમિયોપેથીમાંથી જ આવી છે અને 1830માં જ્હોન્ન જોસેફ વિલ્હેલ્મ લક્સ દ્વારા તેને શોધવામાં આવી છે. સામાન્ય રીતે જોઇએ તો, ઇસોપેથી એ હોમિયોપેથીથી થોડું અલગ છે જેમાં ચિકિત્સાને “નોસોડેસ” તરીકે ઓળખવામાં આવે છે, જે એવી વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે જે રોગનું કારણ કે રોગમાંથી તૈયાર કરવામાં આવે છે, દા.ત. રસી. ઘણી બધી કહેવાતી “હોમિયોપેથીક રસી” ઇસોપેથીનું એક રૂપ છે.

ફૂલો દ્વારા ઉપચાર

ફૂલો દ્વારા કરવામાં આવતા ઉપચારમાં ફૂલોને પાણીમાં નાખીને તેને સુર્ય પ્રકાશમાં મૂકવામાં આવે છે. જેમાં સૌથી પ્રખ્યાત છે બેચ ફ્લાવર રેમેડીઝ, જે એડવર્ડ બેચ નામના ફિઝિશિયન અને હોમિયોપેથ દ્વારા વિકસાવવામાં આવી હતી. તેમ છતાં આ સારવારનો પ્રસ્તાવ પણ વૈશ્વિક સ્તરે હોમિયોપેથીને જ અનુસરે છે અને તેની ઉપચાર પદ્ધતિ પણ હોમિયોપેથીની જેમ જ હાઇપોથેટિકલ “આવશ્યક શક્તિ” માટે લડે છે. પરંતુ તે તૈયાર કરવાની પદ્ધતિ અલગ છે. બેચ ફ્લાવર ઉપચાર ફૂલોને એક વાટકામાં મૂકીને સુર્યનો તડકો પડે તેવા પાણીમાં મૂકવા જેવી “સૌમ્ય” પદ્ધતિથી કરવામાં આવે છે, અને તે સફળ ઉપચાર નથી. ફૂલો દ્વારા થતા ઉપચારોની અસરકારક્તા અંગે કોઇ જ વિશ્વાસનિય વૈજ્ઞાનિક કે ક્લિનિકલ પૂરાવા મળતા નથી.

ઈલેક્ટ્રોહોમિયોપેથી

ઈલેક્ટ્રોહોમિયોપેથીનો જન્મ 19મી સદીમાં થયો હતો જેમાં ઈલેક્ટ્રિક સારવારની સાથે હોમિયોપેથીની પણ સારવાર કરવામાં આવે છે.

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હોમિયોપેથી, કોલકત્તા

ભારત સરકારના, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ એક સ્વાયત સંસ્થા તરીકે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હોમિયોપેથી (એનઆઇએચ)ની સ્થાપના 10 ડિસેમ્બર 1975ના રોજ કોલકત્તામાં કરવામાં આવી છે. આ સંસ્થા 1987થી હોમિયોપેથીમાં ડિગ્રી કોર્સ અને 1998-99થી અનુસ્તાનક કોર્સ ચલાવે છે. 2003-04 સુધી એનઆઇએચ કલકત્તા યુનિવર્સિટી સાથે સંલગ્ન હતી અને 2004-05થી આગળ હવે તે પશ્ચિમ બંગાળની સ્વાસ્થ્ય વિજ્ઞાન યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એનઆઇએચ દ્વારા શિક્ષકો અને ફિઝિશ્યન માટે ઓરિએન્ટેશન તાલિમ કોર્સ ચલાવવામાં આવે છે. બીએચએમએસ કોર્સનો સમયગાળો લગભગ 5½ વર્ષનો છે (જેમાં એક વર્ષ ફરજિયાત ઇન્ટર્નશીપનો સમાવેશ થાય છે.) એમડી (હોમ)નો કોર્સ પણ ત્રણ વિષયમાં થઇ શકે છે. જેમાં ઓર્ગેનોન ઓફ મેડિસીન, રિપોર્ટેરી અને માટેરિયા મેડિકાનો સમાવેશ થાય છે. દરેક વિષય માટે અહીં 6 સીટ પ્રાપ્ય છે.

પ્રશ્નોત્તરી

હોમિયોપેથી એટલે શું?

હોમિયોપેથી એ એક ઔષધો ઉપચાર પધ્ધતિ છે. તે દ્વારા રોગ પર ઉપચાર કરવામાં આવે છે. આ ઔષધોપચાર પધ્ધતિ દર્દીની પ્રકૃતિમાં યોગ્ય બદલ કરવા માટે ઉપયુકત છે. ’હોમિયોસ’ નો અર્થ ’સદ્શ્ય’ એવું થાય છે. તેમજ ’પઁથોસ’ નો અર્થ ’સહન’ ’કરવું’ (યાતના કે વેદના) એવું થાય છે.

હોમિયોપેથીની શોધ કોણે કરી અને તેનું મૂળ ઉદભવ ક્યાં થયો છે?

હોમિયોપેથીની શોધ જર્મન ફિઝીશીયન ડૉ સઁમ્યૂઅસ હઁહેનમનને કર્યો  ૨૦૦ વર્ષ પહેલા ૧૭૯૦ની સાલમાં હોમિયોપેથીની શોધ થઈ. હોમિયોપેથીના મૂળ જર્મનના છે.

ક્યાં આધારો પર હોમિયોપઁથીમાં ઉપચાર કરવામાં આવે છે?

દર્દીને તેના લક્ષણોને પુછી, તે લક્ષણોને વિયા કરી, તેના લક્ષણો પર ક્યાં ઔષ્ધોનો પ્રભાવ થશે, તેને ધ્યાનમાં રાખી તેને યોગ્ય ઔષધો દર્દીને આપવામાં આવે છે.

હોમિયોપથી અને અઁલોપથીમાં શું તફાવત છે?

હોમિયોપેથી એ દર્દી પર ઉપચાર કરે છે, જેને વિકાર (વિકૃતિ) થયો હોય તો અઁલોપઁથી તે વિકાર પર ઉપચાર કરે છે. હોમિયોપેથીમાં પ્રત્યેક વ્યક્તિને તેની સ્વતંત્ર પ્રકૃતિને સમજવામાં આવે છે. જેને લીધે પ્રત્યેક વ્યક્તિને સ્વતંત્ર ઔષધોનો ડૉસ આપવામા આવે છે. અઁલોપઁથીમાં કોઈ બદલાવ ન કરતાં સર્વ દર્દીઓમાં બે કે એક જ પ્રકારના લક્ષણો હોય તો આપવામાં આવે છે.

કઈ કઈ વિકૃતિને હોમિયોપથીમાં ઉપચાર કરવામાં આવે છે?

શી પર પરિણામ કરના અનેક વિકૃતિઓ પર અઁલોપથીમાં ઉપચાર કરવામાં આવે છે. જેવા કે તેનો વિકાર, અથ્રાયટીસ, મધુપ્રમેહ આ ઉપાંત અચાનક તાવ, શર્દી, ખાંસી, પેટમાં વિકૃતિ જેનો અઁલોપઁથીમાં ઉપચાર થાય છે.

સ્ત્રોત: આરોગ્ય. કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate