অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સુર્યકીરણો

સુર્યકીરણો

સુર્યકીરણોમાં જીવાણુઓનો નાશ કરવાની અદ્ભુત શક્તી રહેલી છે.

એમાંથી મળતું વીટામીન ડી હાડકાંને મજબુત બનાવવામાં મદદરુપ થાય છે.

સુર્ય અને માનવહૃદય વચ્ચે પણ અતુટ સંબંધ છે. સુર્યમંડળમાં તોફાન આવ્યા બાદ હૃદયરોગના હુમલામાં ચારગણો વધારો થાય છે.

શરીરમાં લોહતત્ત્વની ઉણપ, ચામડીના રોગ, સ્નાયુની અશક્તી, થાક, કૅન્સર, તાવ અને માંસપેશીઓની બીમારીનો ઈલાજ સુર્યકીરણોના યોગ્ય ઉપયોગથી કરી શકાય. સુર્યકીરણો બહારની ચામડી પર જ અસર કરે છે એમ નહીં, પરંતુ એ શરીરના આંતરીક અંગોમાં જઈને એને સ્વસ્થ બનાવવામાં સફળ કામગીરી કરે છે.

સુર્યપ્રકાશનો લાભ લેતાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી. પરસેવો થયા પછી તાપમાં બેસવું નહીં. બપોર પછી સુર્યકીરણોમાં બેસવાનું મહત્ત્વ નથી. સુર્યકીરણો આંખ અને માથા પર પડવાં ન જોઈએ. એ વખતે માથા પર ટુવાલ રાખવો. સુર્યકીરણોનું સેવન સ્નાન પહેલાં બહેતર બની રહે છે.

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate