શરીરની ફીકાશ અને રુક્ષતા તાજો ફુદીનો, ખારેક, મરી, સીંધવ, હીંગ, કાળી દ્રાક્ષ અને જીરુની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી શરીરની ફીકાશ મટે છે.
શરીરની રુક્ષતા એટલે કે શરીર કરમાઈ ગયેલું- નીસ્તેજ લાગે, ચામડી પણ કરચલીવાળી માલમ પડે તો અરડુસાનાં તાજાં કે સુકાં પાનનો ઉકાળો બનાવી (સ્વાદ માટે ખાંડ પણ નાખી શકાય) દરરોજ સવાર-સાંજ એક એક ગ્લાસ પીવો. નીયમીત પ્રયોગ કરવાથી નીસ્તેજપણું દુર થઈ શરીરનું સૌંદર્ય ખીલે છે.
ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/26/2020