ખોરાક બરાબર ન પચે, ભારે અજીર્ણ થાય અને એના મૂળમાં મંદાગ્નિ હોય. તમારા પેટમાં –શરીરમાં રહેલો જઠરાગ્નિ મંદ પડી જાય ત્યારે રોગો પેદા થાય અને શરૂઆત ‘મને ભૂખ નથી, મારે જમવું નથી’- થી થાય.
જઠરાગ્નિ ચાર પ્રકારનો હોય છે. સમ,મંદ,તીક્ષ્ણ, અને વિષમ સમ-અગ્નિ સિવાયના ત્રણેય અગ્નિથી અજીર્ણ અપચો થાય છે. અંગ્રેજીમાં આ સમસ્યાને Indigestion કહે છે.
મંદજઠરાગ્નિ : દર્દીના ચહેરા પર સોજા ન હોય, પણ થોથર જામેલી હોય તેવો મોટો થઈ જાય છે. પેટ અને શરીર ભારે લાગે છે. ઉલટી થશે તેવું થયા કરે. ખાધેલું ન પચ્યું હોય એવા ઓડકાર આવે. મળમાં ચિકાશ હોય તેવું લાગે. આ પ્રકારના અજીરણને આમાજીર્ણ કહે છે. જે મંદ જઠારાગ્નિ કારણે થાય છે.
તીક્ષ્ણ જઠરાગ્નિ:ખાટા ઓડકાર આવે, પેટ-છાતીમાં બળતરા થાય ક્યારેક ચક્કર આવે, તરસ લાગે, પરસેવો વળે વગેરે સમસ્ચાઓ થતી હોય છે. જેને વિદગ્ધ અજીર્ણ કહે છે. તીક્ષ્ણ જઠરાગ્નિને કારણે થાય છે.
વિષમ જઠરાગ્નિ : પેટ ન દુ:ખે, પેટ ફૂલી આફરો આવે, કબજિયાત રહે, વાછૂટ ના થાય, સોયો ભોંકાતી હોય તેવું લાગે, ક્યારેક દર્દી ભાન ગુમાવી દે વગેરે સમસ્યાઓ વિષ્ટબ્ધાજીર્ણ કહેવાય છે. જે વિષમ જઠારાગ્નિને કારણે થાય છે.
સમસ્યા આ છે: આપણે જઠારાગ્નિની સ્થિતિને અવગણીને ખોરાક લઈએ છે.
આજકાલની મમ્મીઓમાં ધૈર્ય- ધીરજ રહી નથી, માટે સ્કૂલથી આવેલા બાળકને તરત ‘ જમાડી લેવું’ એવું અભિયાન ચાલુ થાય. બાળકને ભૂખ છે કે નહીં તેની દરકાર મમ્મીઓ કરતી નથી. થોડા થોડા સમયના અંતરે નાસ્તા-દૂઘ-આઈસ્ક્રમ-ચોકલેટ-બિસ્કીટ વગેરે ખાધા કરવાની ટેવ ને કારણે બાળકો અપચા- અજીર્ણ અને મંદાગ્નિના ભોગ બને છે.
સમશન: કોઈ શોકજનક ઘટના બની હોય અને તેના આધાતથી મન ક્ષુબ્ધ બન્યું હોય છતાં ખાવામાં આવે, કે ખૂબ કોધ પછીના ધૂંધવાટ સાથે લેવાયેલું ભોજન ને સમશન કહે છે. જે અજીર્ણપેદા કરી છે.
વિષનાસન: ભૂખ લાગ્યા વિના ખાવું, પેટમાં ડોસી-ઠાંસીને ખાવું કે ભૂખ હોય તેના કરતાં ઘણું ઓછુ ખાવું વગેરેને વિષનાસન કહે છે જે અજીર્ણ પેદા કરે છે.
અધ્યશન: પહેલાનું ખાધેલું પચ્યુ ન હોય અને થોડીવાર પછી ફરી ખાવમાં આવે તો શાસ્ત્રકારો તેને અધ્યશન કરે છે
આજની જીવનશૈલીમાં શ્રમ-પરિશ્રમ ખૂબ ઘટવા માંડ્યા છે. બાળકો, ટી.વી કોમ્પયુટરને કારણે અથવા જગ્યાના અભાવે શારીરિક શ્રમ પડે તેવી રમતો રમતાં નથી. જેને કારણે ખાધેલો ખોરાક પૂરે પૂરો પચતો નથી. માટે સૌ પ્રથમ વ્યાયામ વધે તેવી પ્રવૃત્તિ કરવી. ઉજાગરા કરવા નહીં, દિવસે ઊંઘવું નથી.
સૂંઠ, મરી,પીપર,હીંગ,, સિંધાલૂણને સરખા ભાગે ભેગાં કરીને ગરમ પાણીમાં mix કરીને પાતળી પેસ્ટ બનાવીને પેટ ઉપર નાભિની આસપાસ લગાડવું. શાસ્ત્રકારો કહે છે કે તેનાથી સર્વપ્રકારના અજીર્ણ અપતા મટે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020