દૂધના પ્રવાહને વધારવા માટે, તમારા આહારમાં વેજીઝ એટલે શાકભાજી સહિત, ખાસ કરીને ડાર્ક લીલી ભાજીઓ અથવા ડીપ રેડ કે ગ્રીન ભાજીઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. આમાં સ્પિનચ, મેથી, બીટ્સ, કેપ્સિકમ વગેરેનો સમાવેશ થાય છે, જેમાં સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે ખાસ કરીને કોલાઇન નામનું પોષક તત્વ આવેલું છે. તે મગજ, કરોડરજ્જુનું માળખું અને આજીવન મેમરીનાં કાર્યોને પ્રભાવિત કરે છે. જો તમે ગેસ્ટ્રિક સમસ્યા અનુભવતા હોવ તો ગેસ કરનાર કોબી, કોલીફ્લાવર જેવાં શાકભાજી બનાવવાનું ટાળો.
દૂધના પ્રવાહ માટે બેથી ત્રણ પ્રકારનાં ફળો, ખાસ કરીને વિટામીન C અને ફલેવોનોઈડ્સથી સમૃદ્ધ ફળો દિવસ દરમિયાન ખાવાં જરૂરી છે. આંતરડાના બેક્ટેરિયા માટે આ શ્રેષ્ઠ ખોરાક છે, જેનાથી વિટામીન K અને B મેટાબોલિઝમને પ્રોત્સાહન આપે છે અને ઇમ્યુન સિસ્ટમ વધારે છે. જ્યુસને ટાળો, કારણ કે ફળોમાં રહેલ કુદરતી ખાંડનું વધારે પ્રમાણ શરદી અથવા ઉધરસનું કારણ બની શકે છે જે બાળકને પણ થઈ શકે છે.
સ્તનપાન કરાવતી માતા હંમેશા હેરલોસ અને નખ બરડ(બ્રિટલ) થવાની સમસ્યાનો સામનો કરે છે, લેગ્યૂમ્સમાં આયર્ન અને પ્રોટીન ઘણાં છે તેથી ખાવાં જરૂરી છે.
સ્તનપાન કરાવતી માતાને રેસાવાળા ખોરાકની ભલામણ કરવામાં આવતી નથી કારણ કે ફાયબરને શોષણ માટે પાણીની જરૂર છે અને જો લેક્ટેટિંગ(સ્તનપાન કરાવતી) માતા તેટલું પાણી પીવા માટે સક્ષમ ન હોય તો તેને કદાચ ગેસ્ટિક, પેટ ફૂલવું અને કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડે છે. જરૂરી ખનિજો અને વિટામિન્સ મેળવવા માટે તમારા ભોજનમાં મલ્ટિગ્રેઇન પ્રોડક્ટ્સ ઉમેરો અથવા ફ્લેક્સ બિયાં, કોળાનાં બીજ, તડબૂચનાં બીજ વગેરે વિવિધ બિયાં ઉમેરો. આનાથી ખોરાકમાં ઝીંકનો સારો સ્રોત મળી રહે છે.
દૂધ અને દહીં જેવી દૂધની પેદાશો સ્તનપાન કરાવવાના સમય દરમિયાન વપરાશ માટે ખૂબ જ સારી છે કારણ કે તે સારા બેક્ટેરિયા ધરાવે છે જે આંતરડાને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે અને પાછું કેલ્શિયમ અને વિટામિન ડીનો સારો સ્રોત છે. લૉ ફેટ દહીંથી શરીરમાં ચરબી જમા થતી નથી પરંતુ શરીરમાં બ્લડ સુગર જાળવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
સ્ત્રોત: સોનલ શાહ, Stay Healthy
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020