અન્ય ચિહ્નો : તેમની જીભ પર સફેદ છારી બાઝી ગયેલી હતી. જીભની કિનારીઓ લાલચોળ થઈ ગઈ હતી. જીભ પર અને ગાલની અંદરના ભાગે(ગલોફામાં) સફેદ પાકી ગયેલી ચાંદીઓ પડી ગઈ હતી. જીભની આવી સ્થિતિ પરથી તદ્દન સ્પષ્ટ થતું હતું કે પાચનની પ્રક્રિયામાં જ ક્યાંક ગરબડ છે. વધુ તપાસ કરતાં ખબર પડી કે ભૂખ પણ ખાસ લાગતી નહોતી. પેટ પણ સાફ આવતું નહોતું. (કોન્સ્ટિપેશન) ખાટા ઓડકાર, મોંઢું કડવું લાગે. આ બધાં ચિહ્નો પરથી સ્પષ્ટ હતું કે શરીરમાં પિત્તનું પ્રમાણ વધી ગયું છે.
મુખપાક : આયુર્વેદના આચાર્યોએ આ રોગનું નામ મુખપાક આપ્યું છે. અંગ્રેજીમાં આને Stomatitis કહે છે. આચાર્ય સુશ્રુત કહે છે કે તમામ પ્રકારના પાક(Inflamation)નું કારણ પિત્ત છે.
ચિકિત્સા : પિત્તદોષની ઉત્તમ ચિકિત્સા આયુર્વેદ પ્રમાણે વિરેચન છે. વિરેચન એટલે પિત્ત વિગેરે દોષો અને મળોથી મળાશયને રિક્ત એટલે કે ખાલી કરવું.
આવિપત્તિકર ચૂર્ણ : એ માટે રોજ રાત્રે આવિપત્તિકર ચૂર્ણ એકથી દોઢ ચમચી જેટલું લેવાનું કહ્યું.
ચંદ્રકલા રસ : પિત્ત અને રક્તદોષની ઉગ્રતા ઘટાડવા ચંદ્રકલારસની બે-બે ગોળી સવારે-સાંજે વાટીને ઘી+સાકર સાથે વાટીને લેવાની કહી શરીરમાં દાહ-બળતરા થોડા દિવસમાં શમી જાય છે. પિત્તથી આવતાં ચક્કર પણ પિત્તની માત્રા ઘટતાં મટે છે.
જેઠીમધ : મોંઢામાં પડેલી ચાંદીમાં રુઝ લાવવા માટે જેઠીમધ એક્સટ્રેક્ટની ગોળીઓ ચૂસવા માટે આપી. બે-બે ગોળીઓ સતત મોંમાં રાખી દિવસ દરમિયાન તેનો રસ પેટમાં જવા દેવો. જેઠીમધના રોપણ (Healing Property) ગુણથી ચાંદીઓમાં ઝડપથી રુઝ આવવા માંડે છે.
ન્યુટ્રલાઈઝેશન :
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/14/2020