অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પથરીનો વગર ઓપરેશને ઘરેલું ઉપચાર દ્વારા નિકાલ

પથરીનો વગર ઓપરેશને ઘરેલું ઉપચાર દ્વારા નિકાલ

પથરી એટલે સ્ટોન ની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે, કેમ કે આજકાલ આપણું ખાવા પીવાનું ખુબ જ બદલાઈ ગયું છે, આમ તો આ રોગ કોઈ પણ ને કોઈપણ ઉંમરમાં થઇ શકે છે પણ મહિલાઓને આ રોગ પુરુષો કરતા ઓછી શક્યતા રહે છે. પથરીના ઘરેલું ઉપચારના માધ્યમથી ઠીક કરી શકાય છે. સ્ટોનની બીમારી સામાન્ય રીતે ત્રીસ થી સાઈઠ ના ઉમરના લોકોમાં જોવા મળે છે અને સ્ત્રીઓની ગણતરીએ પુરુષોમાં ચાર ગણી વધુ જોવા મળે છે. આ બીમારીમાં ઘણી વાર દુઃખાવો એટલો થાય છે કે તેને માત્ર તે જ વ્યક્તિ જાણે છે, જેને તે થઇ રહ્યો હોય. પથરીનો જો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો તેનાથી આપણેને ઘણા જ ખરાબ પરિણામ જોવા મળે છે.

કારેલા :

કારેલા આમતો ખુબ કડવા હોય છે પણ પથરીમાં રામબાણ ની જેવું કામ કરે છે. કારેલામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ નામના તત્વ હોય છે, જે પથરીને બનતા રોકે છે. પથરી થયા પછી બે નાની ચમચી કારેલા નો રસને સવાર સાંજ 8-10 દિવસ પીવો તેનાથી નાના નાના કણોમાં પથરી તૂટીને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.

અજમો :

પથરી થાય તો અજમાનું વધુમાં વધુ ઉપયોગ કરો. અજમાનું સેવન બમણો લાભ કરે છે. તેનાથી પેશાબ વધુ આવે છે અને અજમો પથરીના ઉત્પતિનો નાશ કરે છે, એટલે કે પથરી ફરી વખત નહી બને. રોજ સવારે એક ચમચી અજમાને ગરમ પાણી સાથે લો. તેનાથી એક મહિનામાં પાથરીમાંથી છુટકારો મળે છે.

તુલસી :

સુદ્ધ તુલસીનો રસ લેવાથી પણ પથરીના યુરીનને રસ્તે નીકળવામાં મદદ મળે છે. ઓછામાં ઓછું એક મહિનો તુલસીના પાંદડાનો રસ સાથે મધ લેવાથી ખુબ લાભ મળે છે. તુલસીના તાજા પાંદડા પણ રોજ ચાવવા જોઈએ.
લીંબુનો રસ અને જેતુન (ઓલીવ ઓઈલ) ના તેલનું મિશ્રણ : તે કીડની ની પથરી માટે સૌથી સારો કુદરતી ઉપચારમાં નો એક છે. પથરીના દર્દી થયા પછી 60 મી.લી. લીંબુના રસમાં તેટલી જ માત્રામાં કુદરતી જેતુનનું તેલ ભેળવીને સેવન કરવાથી તરત જ રાહત થઇ જાય છે. લીંબુનો રસ અને જેતુન નું તેલ સ્વાસ્થ્ય માટે પણ ખુબ સારું રહે છે.

બેલ પત્થર (કોઠા ):

બેલ પથ્થર ઉપર થોડું પાણી નાખીને ઘસી લો. તેમાં એક આખું કાળા મરી નાખીને સવારે કાળા મરી ખાવ. બીજા દિવસે કાળા મરી બે કરી દો અને ત્રીજા દિવસે ત્રણ એમ સાત કાળા મરી સુધી પહોચો. આઠમાં દિવસે કાળા મરીની સંખ્યા ઘટાડવાનું શરુ કરી દો અને પછી એક સુધી આવી જાવ. બે અઠવાડિયાના આ પ્રયોગ થી પથરી દુર થઇ જાય છે. યાદ રાખો એક બેલ પથ્થર(કોઠું) બે ત્રણ દિવસ સુધી ચાલશે.

 

સ્ત્રોત: ફોરમસ્તી.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/5/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate