તમારા બાળકના વિકાસ માટે શું સૌથી મહત્વનું છે? તાજેતરમાં અમેરિકાના પ્યૂ રિસર્ચ સેન્ટર(Pew Research Center)માં માતાપિતામાં ૧૦ કુશળતાની યાદી દર્શાવી હતી, જેમાં પૂછવામાં આવ્યું હતું કે: “આમાંનું કયું કૌશલ્ય(skill) તમારા બાળકને આજની દુનિયામાં આગળ વધવા માટે સૌથી મહત્વનું છે?” સંવાદ(communication) કરવાની આવડત અને તે કરવાની તૈયારી એ સૌથી મહત્વનું છે. વાંચન, લેખન, સંઘ-કાર્ય અને તર્ક કરતાં પણ કોમ્યુનિકેશન સ્કિલ અત્યંત મહત્વની છે. તેમાં આશ્ચર્યજનક નથી, કેમ કે આપણે કદાચ વિશ્વ સાથે વધારે પડતા જોડાયેલા છીએ. તેમ છતાં માતા-પિતા વારંવાર સમજી શકતાં નથી કે તેઓ પોતાના બાળક માટે આ કૌશલ્યના વિકાસ અને સંભાળ(Skill Development)માં કેવી રીતે મહત્વની ભૂમિકા ભજવે છે. તમારાં બાળકોને કહેવામાં આવતી દસ શક્તિશાળી વસ્તુઓ, જે તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ લોકો સાથે સંબંધ બાંધવા માટે આવશ્યક છે, તેમાં સૌથી મહત્વનું છે અસરકારક વાતચીત કરવાની કલા.તમે શું કહી રહ્યા છો, તમે કેવી રીતે કહી શકો છો અને તમે ક્યારે કહો છો-તે માતા-પિતા પોતાનાં બાળકો સાથે સ્થાયી અને અર્થપૂર્ણ સંબંધો બનાવવા માટે હોવાં જરૂરી છે. માતા-પિતા પોતે જે કહે છે અને કેવી રીતે કહે છે તે અંગે સભાન હોવાં જોઈએ. વારંવાર નકારાત્મક ટિપ્પણીઓ એક રીતે વાતચીતને આકાર આપી શકે છે. જે આપણે સમજી શકતા નથી પરંતુ તેનાથી આપણે વાકેફ હોવું એ અગત્યનું છે.
તમારા શબ્દો અને વાતચીત તમારી વાસ્તવિકતા, તમારા ભાવિ અને તમારા સંબંધોને બનાવે છે. તમે જે અંગે વાત કરો છો - અથવા જે અંગે વાત કરતા નથી – તમારા સંબંધોને વ્યાખ્યાયિત કરે છે. બન્ને સાથે સીધી રીતે અને અન્ય લોકો સાથે જ્યારે તમારાં બાળકો હાજર હોય ત્યારે- તમારી વાતચીત તમારાં બાળકોની આસપાસની પ્રાથમિક વાતચીત બની જાય છે અને તમારી પાસે આ વાતચીતને બદલવા માટે ક્ષમતા છે.
તમે મારા ૧૦ સૌથી શક્તિશાળી વસ્તુઓની સૂચિનો ઉપયોગ કરીને તમારા બાળકોને કહી શકો છો:
10. તમે શું વિચારો છો?:બાળકોના અભિપ્રાય વિષે પૂછો જેથી તેમને પણ કુટુંબની વાતચીતનો ભાગ બનવાની તક મળે અને તેઓ તેમના નિર્ણયો લેવાની કુશળતાઓ શીખવા અને તેમની પસંદગીઓ માટે જવાબદારી લેવાનું શરૂ કરે છે. તમે શું વિચારો છો તે વ્યક્ત કરવું અને તમને જે જોઈએ છે તે પૂછવું એ મૂળભૂત કૌશલ છે, જે તમારાં બાળકોને તેમના સમગ્ર જીવનમાં કામ આવશે.
આ થયું કાઉન્સેલિંગ. આમાં થોડાક ઘરગથ્થુ અને શાસ્ત્રોક્ત ઉપચારો ઉમેરીએ. બાળકોને ગાયના ઘીમાંથી બનાવેલો શીરો, મગસ, ગુલાબજાંબુ વગેરે પ્રકારની મીઠાઇ નિયમિત ખોરાક સાથે આપો. ગાયના ઘીમાં ઘૃતિ અને સ્મૃતિ એટલે કે બુદ્ધિ, યાદશક્તિ અને ધીરજ આપનારા ગુણો છે. મગજના કોષો ગોળ અથવા સાકર એટલે કે ગળપણથી સતેજ થાય છે. બ્રાહ્મી, જટામાંસી, ભિલામોયુક્ત ઔષધ આપી શકાય, પણ તમારી નજીકના વૈદ્યરાજના માર્ગદર્શન હેઠળ જ આપવી.
સ્ત્રોત લેખિકા : વૈદ્ય સુષ્મા હીરપરા આરોગ્યમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020