આ બધી ભૌતિક સગવડ ન હોવા છતાં એ જમાનાની સ્ત્રીઓના વાળ કાળા અને લાંબા રહેતા, ચશ્માં તો મોતિયો આવે ત્યારે પહેરવાં પડતાં, મોં પર કરચલીઓ ઓછી હતી.ઊંઘ સરસ આવતી અને ગુસ્સો તો જવલ્લેજ આવતો. એસિડિટી, સાંધાના દુ:ખાવાની ફરિયાદ ભાગ્યે જ સાંભળવા મળતી. આજકાલનો યુગ એકાગ્રતા હણનાર છે. ફોન, મોબાઇલ, લેપટોપ, ટી.વી, નોકરી, સર્વન્ટસ, ન્યુકિલયર ફેમિલી- વિભકત કુટુંબ બધું જ સગવડની સાથે સ્ટ્રેટ આપનાર છે/ એના કારણે હાથમાં લીધેલું કામ અધૂરું રહે. બીજું કામ કચવાતે મને શરૂ કરવું પડે. Back of the mind પહેલું કામ પૂરું ના કરી શકવાનું Guilt રહે. ઘીમે ઘીમે એ Guilt ની સંખ્યા વધતી જાય. ક્રમશ: તમે આના કારણે કામની અગ્રતા નક્કી કરવાની ક્ષમતા ગુમાવતાં જાવ અને એકાગ્રતા ઘટતી જાય. ઉંમર વધવાની સાથે શરીરની ક્ષમતા ઘટવાથી, શરીર અને મન વચ્ચે યુદ્ધ શરૂ થાય.આપણું મન ત્રિગુણાત્મક છે. સત્વ, રજ અને તમ. એ પ્રમાણે તમારી પ્રકૃતિ નક્કી થાય છે. તામસિક પ્રકૃતિવાળાનો અભિગમ નકારાત્મક હોય, ચંચળ સ્વભાવના તુમારખી-ગુસ્સાવાળા, એમની ભાંગફોડ કરવાની વૃત્તિને કારણે અરાજકતા ફેલાય, ભ્રમણામાં જીવનાર હોય છે. આવા લોકો ને ગરમ, ચટાકેદાર, સ્પાઇસી ભોજન પ્રિય હોય છે.રાજસિક પ્રકૃતિવાળા લાગણી પ્રધાન હોય, અહમવાદી હોય, સ્વકેન્દ્રી હોઇ શકે. કયારેક રાજી રહે કયારેક નારાજ રહે. આ પ્રકૃતિના લોકોને વૈવિધ્યસભર અનેક વાનગીઓવાળું, રાજાના જેવું ભોજન ગમે છે.સાત્વિક પ્રકૃતિવાળા કોઇ અપેક્ષા વગર સરળતાથી વર્તનાર હોય છે. સોમ્ય, અનુશાસનમાં માનનાર વિશ્વાસ રાખી શકાય તેવા સકારાત્મક અભિગમવાળા હોય છે. આવા લોકોને સાદું, ઓછા મરી-મસાલાવાળું, તાજું ભોજન પસંદ હોય છે.
શાસ્ત્રો પ્રમાણે દરેક વ્યક્તિમાં ઉપરોકત બધા ગુણ ઓછાવત્તા પ્રમાણમાં પડેલા હોય છે. દિવસભરની પ્રવૃત્તિઓ દરમિયાન મનનો આમાંથી જે ગુણ પ્રભાવિત કરે એ પ્રમાણે શરીર વર્તે છે, માટે તમારા આહાર અને વિહાર (Food & Lifeslyle) ને મૂળભૂત રીતે સુધારીને જ તમે સ્વસ્થ મન અને શરીર જાળવી શકશો તો ટાઇમ મેનેજમેન્ટ ખૂબ સરળ બની શકશે.
માહિતીને જ્ઞાન બનાવો : એટલે કે તમને જે વાતની માહિતી છે, કે આમ કરવાથી મને આ તકલીફ થાય છે કે નુકસાન થાય છે, તો તે પ્રવૃત્તિને રોકી દો. કોઇપણ પ્રવૃત્તિ શરૂ કરતાં પહેલાં એના વિષે, એને કારણે પડનારા પ્રત્યાઘાતો વિષે વિચારી ને પછી જ કામ શરૂ કરવું, જે તમને mood swings થી બચાવશે.
હું આ કાન શા માટે, કોના માટે, કયા હેતુથી કરું છું, એનાથી તમને કે કુટુંબને, સમાજને ફાયદો થશે કે નુકશાન તે વિષે વિચારવું. ક્યારેક ‘ના’ પાડતાં પણ શીખવું.એ બધાં પાસાઓ વિચારીને કામ શરૂ કરવું. આના કારણે Guilt નો, અપરાધનો ભાવ રોકી શકાશે. તમારા મનને તંદુરસ્ત રાખવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.
ભૂખ હોય ત્યારે જમવું. જમવાના સમયમાં ફેરફારો કર્યા કરવાથી પાચકસ્ત્રાવો ના હોય. એના કારણે ખોરાકનું યોગ્ય પાચન ના થવાથી મન અને શરીરને પોષણ આપનાર સારભાગ ઓછો બને અને ર્કિટ્ટભાગ-કચરો વધુ બને જે તમને એસિડિટી, ગેસ, માથાનો દુ:ખાવો, ગુસ્સો વગેરે તકલીફો આપે.રસોઇમાં તલનું તેલ, ગાયનું ઘી, ગાયનું દૂધ વાપરવું. ગાયનું ઘી તમારી ધૃતિ અને સ્મૃતિ વઘારે છે! ઘી એટલે બુદ્ધિ- Intellect, ધૃતિ એટલે ધીરજ- Tollerance અને સ્મૃતિ- યાદશકિત તથા જાગૃતિ- Alterness ખડી સાકરમાંનો ગ્લુકોઝ તમારા મગજના કોષો ને તાકાત તેમજ શક્તિપ્રદાન કરનાર છે, એ લેટેસ્ટ સંશોધન છે.ઘી અને સુગર ફ્રી : આ શરીર અને મનને પોષણ આપનાર મહત્વનાં આ તત્વોને રોજિંદા ખોરાકમાંથી બાદ રાખનાર હેરાન થાય છે. પછી ફ્રેશ થવા કોફી, ચા, મસાલા, ગુટખા તરફ વળે છે.
શરીર અને મનને પૂરતો આરામ આપવાથી ઓછા દિવસ-રાત, સતત પ્રવૃત્ત રહેવાને બદલે સમયમાં ધાર્યું કામકાજ કરી શકાય છે.
રાતની ૧૦ થી સવારના ૫ સુધીના ઊંઘ પ્રાકૃત છે. મોડા સૂવાથી અને મોડા ઊઠવાથી મન નબળું પડે છે.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્, aarogyatirth@gmail.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/29/2020