24x7: ઝડપી ઔદ્યોગીકરણ તરફ ધસી રહેલું જગત ચોવીસ કલાકનો સમાજ રચવા મથી રહ્યું છે અથવા રચાઈ રહ્યો છે. તાજેતરના વિજ્ઞાનીઓ હવે ઉપર્યુકત બાબતથી ચિંતિત છે. તેઓનું માનવું છે કે આને કારણે ઘણા દેશોએ અપૂરતી ઊંઘથી પેદા થતી સમસ્યાઓનો સામનો કરવાનો પડશે. દર વર્ષે ઊંઘથી પેદા થતી સમસ્યોનો સામનો કરવો પડશે. દર ત્રણ લાખથી વધુ જેટલા અકસ્માતો આ અપૂરતી ઊંઘ સાથે સંબંધ ધરાવે છે આપણે સાંભળીએ જ છીએ કે ડ્રાઈવરને ઝોકું આવી ગયું. એલર્ટ ટ્રક ડ્રાઈવરો પણ પૂરતી ઊંઘ વગર કલાકો સુધી ડ્રાઇવિંગ નથી કરતા.
ઉજાગરા: ઉજાગરાઓને કારણે ઝોકાં ખાતા વાહનચાલકો અમે નાઈટ શિફટમાં કામ કરનારા કર્મચારીઓ ભયંકર હોનારતો સર્જવા માટે જવાબદાર હોય છે.
તાજેતરમાં થયેલા અભ્યાસ એવું સૂચવે છે કે રોગો અને જીવાણુંઓ સામેના સતત યુધ્ધથી ક્ષીણ થઈ ગયેલું શરીરનું રોગ પ્રતિકારશકિતનું તંત્ર પૂરતી ઊંઘથી ચેતનવંતુ બને છે અપૂરતી ઊંઘથી વ્ચકિતની પ્રતિકિયા અને પ્રત્યાઘાતની પ્રક્રિયા ધીમી પડે છે. ચપળતા ઘટી જાય છે.
ભૂતઘાત્રી: આયુર્વેદના આચાર્યોએ એટલે જ ઊંઘને ભૂતધાત્રી એટલે કે પ્રાણીઓના શરીરને પોષણ આપતી માતા સમાન ગણાવી છે. વારંવાર ભૂલો કરતી ગૃહિણીઓ અથવા ‘ભૂલાઈ જાય છે’ની ફરિયાદ કરનારાઓએ એવું ના માની લેવું કે તેમની યાદશકિત ઘટી ગઈ છે. એના મૂળમાં અપૂરતી ઊંઘ કારણભૂત હોય છે, માટે જ રતનપાન કરાવનારી માતાઓએ બાળકના ઊંઘવાના સમય સાથે પોતાની ઊંઘતું ટાઈમટેબલ ગોઠવી દેવું જોઇએ.
અભ્યાસ: સ્કૂલ-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાથીઓ જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે ઉજાગરા કરીને વાંચતાં હોય છે પરંતુ તેની આડઅસર રૂપે પ્રેઝન્ટેશન સમયે- પ્રશ્નપત્રના જવાબો લખતી લખતે જૂનું વાંચેલું યાદ નથી આવતું.
સેરોટોનિન: કુદરતના ક્રમ પ્રમાણે ઊંઘ લાવવાનો ગુણ ધરાવતું મગજનું સેરોટોનિન નામનું તત્વ રાત્રિના સમય પર જ સ્ત્રવે છે જેનાથી શરીરને પોષણ મળે અને અન્ય બહુધા હોર્મોન્સ પણ સંતુલિત રહે. એટલા માટે જ અભ્યાસીઓ Students એ મોડી રાતના જાગીને વાંચવા કરતાં બ્રાહ્મમુહૂર્તમાં અભ્યાસ કરવાની ટેવ પાડવી જોઈએ, જેથી ઓછા પ્રયાસોથી તમારી memories strong બને અને પરિણામે તણાવના ભોગ ન બનાય.
મિહિરભાઈ : MBA કરીને એક મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદા પર સ્થાપિત થયેલાં મુંબઈ સ્થિત મિહિરભાઈને સોરાયસિસ થયો. Skin Problemsથી ડરી ગયેલા અપરિણીત મિહિરભાઈ નો Detalis-History લીધી નોકરીનો સમય સાંજના ૭થી સવારના ૪ નો હતો. એટલે ઘરે આવીને આખો દિવસ ઊંઘી જાય. પરેજી દવાઓથી રાહત થવા માંડી પણ પગના તળિયે થોડી rouyh skin – Psoriasis મટે નહીં. મારા વારંવારના સૂચનથી મિહિરભાઈએ રાતની Shift dutyવાળી નોકરી બદલીને regular નિયત સમયે ઊંઘ મળી શકે એવી job લીધી અને ક્રમશ: ઉજાગરાને કારણે અસંતુલિત થતાં દોષોમાં સંતુલન થતાં સોરાયસિસ ગાયબ થયો.
જટામાંસી: જટામાંસીમાં જટામાંસિક એસિડ, એક્ટિનીડીન જેવા ઘણાં કાર્યકારી તત્વો આવેલાં છે. તાજેતરમાં થયેલા સર્વેક્ષણ અનુસાર જે વ્યકિતઓ સ્ટ્રેસને કારણે થાક અનુભવતા હોય છે, તેને Chronic fatigue syadrome થાય છે. આમાં જટામાંસી એક Anti-oxidant તરીકે કામ કરીને મગજ શાંત કરે છે અને તણાવથી દૂર કરે છે. તેની માત્ર એક ચપટીથી જ ખૂબ રાહત થાય છે.
જાણે અજાણે પૂરતી ઊંઘથી વંચિત રહેતા લોકોની વાત તો આપણે કરી પરંતુ જેમને ખરેખર ઊંઘવું છે એ લાખ ઉપાયો છતાં ઊંઘી શકતા નથી તેના માટે કેટલીક મહત્વની tips જોઈએ:
ઊંઘ પર રીસર્ચ કરનારા વૈજ્ઞાનિકો સ્પષ્ટપણે માને છે કે ઊંઘ લાવનારી ગોળીઓનું નિયમિત સેવન કરવાથી આ ગોળીઓ જ અનિદાના વિષવૃક્ષનું કારણ બને છે
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્ - aarogyatirth@gmail.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020