অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઉર્જા એટલે શું

ઉર્જા અને તેના વર્તમાન ઉપયોગો

ગ્રામીણ વિસ્તારોમાં ઉર્જાની માંગ સતત વધારા પર છે.વર્તમાન ઉર્જાનો ઉપયોગ મોટેભાગે ઘરગથ્થુ રસોઈ અને પ્રકાશ અને ખેતીના વિસ્તારોમાં થાય છે.ઉર્જાનો 75% વપરાશ રસોઈ અને પ્રકાશ માટે થાય છે.સ્થાનિકપણે ઉપલબ્ધ જૈવિક ઈંધણ અને કેરોસીન એ ઈલેક્ટ્રીસીટી સિવાયના ગ્રામીણ પરિવારોમાં વિશાળ પ્રમાણમાં વપરાતા ઈંધણો છે. ખેતીમાં, સૌથી વધારે ઉર્જાનો ઉપયોગ પાણીને પમ્પ કરવામાં થાય છે.વિદ્યુતઉર્જા અને ડિઝલ આ હેતુ માટે વપરાતા ઈંધણો છે.માનવીય તાકાત જેની ઘણીવાર નોંધ લેવામાં આવતી નથી તેનો ખેતીવિષયક કાર્યોમાં મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.જોકે,ઉર્જાના ઉપયોગની જાતો ગામડાની અંદર પણ ધનિક કે ધન નહોય તેવા વચ્ચે,સિંચાઈ કરેલી અને સૂકી જમીન વચ્ચે,સ્ત્રી અને પુરૂષ વચ્ચે પણ વિસ્તીર્ણ પ્રમાણમાં ભિન્ન-ભિન્ન હોય છે.

ભારતમાં વપરાતી ઉર્જાનો વર્તમાન દરજ્જો

ભારતમાં,જ્યાં 70% લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે,જો દેશના વિકાસના દરને ચાલુ રાખવો હોય તો ગ્રામીણ ઉર્જા એ સૌથી વધારે આવશ્યક છે.આપણા ગામડાઓમાં 21% અને ગ્રામીણ પરિવારોના 50% હજી પણ વિદ્યુતઉર્જા વગરના છે.

ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચે ઉર્જાના વપરાશમાં દર માથાદીઠ વિશાળ તફાવત છે.ઉદાહરણ તરીકે,ગ્રામીણ પરિવારોના 75% રસોઈ માટે બળતણ પર આધાર રાખે છે, 10% છાણ પર અને લગભગ 5% LPG પર જ્યારે તેની વિરુદ્ધમાં શહેરી પરિવારોના 22% રસોઈ માટે બળતણ પર આધાર રાખે છે,બીજા 22% કેરોસીન પર અને લગભગ 44% LPG પર. તેજ રીતે,ગૃહ પ્રકાશ માટે,ગ્રામીણ પરિવારોના 50% કેરોસીન પર આધાર રાખે છે અને બીજા 48% વિદ્યુતઉર્જા પર, જ્યારે શહેરી પરિવારોના 89% વિદ્યુતઉર્જા પર અને બીજા 10% કેરોસીન પર આધાર રાખે છે.

સ્ત્રીઓ તેમના એક દિવસના ઉત્પાદક સમયના ચાર કલાક બળતણ લાવવામાં અને રસોઈ કરવામાં વિતાવે છે.બાળકો પણ બળતણના લાકડાઓને એકત્ર કરવામાં જોડાય છે.

રાષ્ટ્રના વિકાસ માટે ઉર્જા માટેની પહોંચ એ મહત્વની પૂર્વપેક્ષિત બાબત છે. આપણી લગભગ તમામ દૈનિક પ્રવૃતિઓમાં ઉર્જા કેન્દ્રીય સ્થાન ધરાવે છે-રસોઈ,સ્વચ્છ પાણી મેળવવામાં,ખેતી,શિક્ષણ,પરિવહન,રોજગાર નિર્માણ અને પર્યાવરણાત્મક નિરંતરતા.

ગ્રામીણ ઉર્જાની લગભગ 80% જૈવિક ઈંધણથી ઉત્પન્ન થાય છે.આ ગામડાઓમાં પહેલેથી જ ઘટતી જતી વનસ્પતિ પર ભારે દબાણ મૂકે છે.બિનકાર્યક્ષમ ચુલાનો ઉપયોગ ઘણીવાર સ્ત્રી અને બાળકોની મજૂરીમાં વધારો કરે છે જેઓ બળતણના લાકડાઓને ભેગા કરવામાં જોડાય છે.તદુપરાંત,આ ચુલાઓથી રસોઈ કરતા ઉત્પન્ન થતો ધુમાડો સ્ત્રી અને બાળકોના શ્વસન સ્વાસ્થયને મોટા પ્રમાણમાં અસર કરે છે.

નવીનકરણ યોગ્ય સ્ત્રોતોથી વધતું જતું ઉર્જાનું સંવર્ધન,સુધરેલી ઉર્જાની કાયક્ષમતા અને વિકસિત ઉર્જા ઉત્પાદન એ ચોક્કસપણે સ્વ ચિરસ્થાયી સમુદાયો બનાવવામાં ભારતને સામાન્ય અને ગ્રામીણ વિસ્તારોમાં દોરે છે.

સ્ત્રોત: ઓલ્ડ પોર્ટલ ટિમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate