অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સૂર્ય શક્તિ કિસાન યોજના(સ્કાય યોજના)

સૂર્ય શક્તિ કિસાન યોજના(સ્કાય યોજના)

 sky

ગુજરાતના ખેડૂતો માટે ખુશી ના સમાચાર, ખેડૂતોની વીજળી ની સમસ્યા દુર કરવા ગુજરાત સરકારે દ્વારા એક મહવની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. સૂર્ય શક્તિ કિસાન યોજના (સ્કાય યોજના) જેમા ખેડૂત પોતાની જાતે પોતાના ખેતરમાંજ વીજળી ઉત્પન કરી શકે છે તેમજ વહેચી પણ શકે છે. આ યોજના અંતર્ગત ખેડૂતે પોતાના ખેતરમા સૌર પેનલ લાગવવાની રહેશે. આ સોલર પેનલ પર સરકાર સબસિડી આપશે. આ સૌર પેનલ ની મદદ થી ઉત્પન થતી વીજળી ખેડૂત પોતાની જરૂરિયાત મુજબ વાપરી શકે છે. અને વધારાની વીજળી અન્ય વીજ કંપનઓ ને વેહચી પણ શકે છે. આ યોજના ની મદદ થી ખેડૂતો વધારાની આવક મેળવી શકશે. તો જાણીએ સ્કાય યોજના ની ખાસિયતો વિશે.

યોજનાની રૂપરેખા

આ સ્કાય યોજના નો લાભ લેવા ખેડૂતો જે મૂડી રોકાણ કરશે તે રોકાણ તેને વધારાની વીજળી નું વેચાણ કરી 8 તો 18 મહિના મા જ પરત મળી જશે તથા આ ઉર્જા પ્રદુષણ મુકત રીતે ઉત્પન કરી શકાય છે.

ખેડૂતો ને પોતાના ખેતર મા વીજળી ઉત્પન કરવા માટે સોલર પેનલ આપવામાં આવશે. આ યોજના અંતરગત ખેડૂતોએ સૌર પેનલ માટે થતા કુલ ખર્ચ ની ઓછામાં ઓછા 5% રકમ ભરવાની રહેશે અથવા 5% થી વધારે રકમ ભરી શકશે. ખેડૂત જેટલી વધારે રકમ ભરશે તેટલો વધારે ફાયદો થશે.

આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર 60 % રકમ સબસિડી પેટે ચુકવશે તથા બાકીની 35 % રકમ નિયા સસ્તા વ્યાજ ની લોન કરી આપવામાં આવશે, તે લોન નો સમયગાળો 7 વર્ષ નો રહેશે.

જો કોઈ ખેડૂત વધારે કિલોવોટ નો પેનલ લગાવવા ઈચ્છતા હોય તો નિયમોને આધીન રહી મંજુરી અપવવામાં આવશે. આ વધારા ની પેનલ દ્વારા ઉત્પન થતી વીજળી 3.50 રૂપિયા પ્રતિ યુનિટના દરથી ખરીદવામાં આવશે. તેના પર રાજ્ય સરકાર ની સબસિડી મળવવા પાત્ર રહેશે નહિ.

સ્કાય ફીડર દીઠ યોજનામા જોડતા ખેડૂત મિત્રો ની સમિતિ બનાવવાની રહેશે. સ્કાય ફીડર પર દિવસે 12 કલાક વીજળી મેળવી શકશે તેમજ જે ખેડૂતો આ યોજનામા જોડાયા નહિ હોય તે લોકોને 8 કલાક વીજળી મળવા પાત્ર છે.

વીજળી નું ઉત્પાદન થાય અને વપરાશ કર્યા બાદ જેટલા યુનિટ ગ્રીડમાં આવે તે યુનિટ દીઠ પહેલા 7 વર્ષ મા 7 રૂપિયા પ્રતિ યુનિટ લેખે ખેડૂતો ને ચુકવવામાં આવશે. જે પૈકી 3.50 રૂ પ્રતિ યુનિટ વીજ વિતરણ કંપની ચુકવશે અને બાકીના 3.50 રૂ પ્રતિ યુનિટ (1000 યુનિટ પ્રતિ કિલોવોટ પ્રતિ વર્ષની મર્યાદામા) ખેડૂતને સબસિડી રૂપે ચૂકવાશે. તેમજ આવી કુલ રકમમાંથી ખેડૂતની લોન ના હપ્તા ભરાઈ જાય ત્યાર બાદ જે રકમ વધશે તે સીધી ખેડૂતો ના બેંક એકાઉન્ટ મા જમા કરવામાં આવશે.

7 વર્ષ ની લોન પૂરી થયા બાદ બાકીના 18 વર્ષ સુધી ગ્રીડ મા આપેલ વીજળીના 3.50 રૂ લેખે વીજ વિતરણ કંપની દ્વારા ખેડૂતોને ચૂકવામાં આવશે.

સ્ત્રોત: જરૂરી જ્ઞાન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/10/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate