অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આબોહવા પરિવર્તન

 

આપણે ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડીનો અનુભવ કરીએ છીએ.આ ભિન્ન-ભિન્ન આબોહવાની સ્થિતિઓ છે જેનો આપણે અનુભવ કરીએ છીએ. સ્થળ પરની આબોહવા એ સરેરાશ હવામાન છે જેનો અનુભવ લાંબા સમય સુધી થાય છે.સ્થળ પરની આબોહવા નિર્ધારિત કરતાં ઘટકો એ એકંદર વરસાદ,સૂર્યપ્રકાશ,હવા,ભેજ અને ઉષ્ણતામાન છે.

હવામાનમાં પરિવર્તનો એકાએક અને નોંધપાત્ર રીતે પણ થઈ શકે છે,જ્યારે આબોહવામાં પરિવર્તનો લાંબા સમયે થાય છે અને તેથી ઓછા સ્પષ્ટ હોય છે. ધરતીની આબોહવામાં પરિવર્તનો અને તમામ જીવન સ્વરૂપોમાં બદલાવો આ પરિવર્તનને અનુરૂપ થાય છે.

જોકે, છેલ્લા 150-200 વર્ષોમાં આબોહવામાં પરિવર્તન ખૂબજ ઝડપી થાય છે અને અમુક વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતોને તેને અનુકૂળ થવું મુશ્કેલ બની ગયું છે.આ પરિવર્તનો જે ઝડપથી થઈ રહ્યા છે તે માટે માનવીય પ્રવૃતિઓ જવાબદાર ઠેરવામાં આવી રહી છે.

આબોહવામાં પરિવર્તનના કારણો

આબોહવામાં પરિવર્તનના કારણોને બે વર્ગોમાં વિભાજીત કરી શકાય છે-કુદરતી અને માનવ-નિર્મિત

કુદરતી કારણો

આબોહવામાં પરિવર્તન માટે સંખ્યાબંધ કુદરતી ઘટકો જવાબદાર છે.ખંડીય વહેણ, જ્વાળામુખીઓ, સમુદ્રી પ્રવાહો અને ઘરતીનું વંકાવું એ અમુક મહત્વના ઘટકો છે.

  • ખંડીય વહેણ : આજે આપણને દેખાતા ખંડો નિર્માણ થયા છે જ્યારે લાખો વર્ષો પહેલા જમીનનો વિસ્તાર ધીરે-ધીરે દૂર ખસ્યો હતો.વહેણ જમીનના વિસ્તારના પ્રવાહી દ્રવ્યોનું સ્થાન અને સમુદ્રી પ્રવાહો અને પવનની દિશા બદલે છે.આ પરિવર્તનો આબોહવાને અસર કરે છે. ખંડોનો આ વહેણ આજે પણ ચાલુ છે.
  • જ્વાળામુખી પર્વતો :જ્યારે જ્વાળામુખી બહાર નિકળે છે ત્યારે તે મોટા પ્રમાણમાં વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઈડ (SO2), પાણી,વરાળ,ધૂળ અને રાખ બહાર છોડે છે.જોકે જ્વાળામુખીનું કાર્ય માત્ર છોડા દિવસો પૂરતું જ રહે છે,છતાં પણ વર્ષોથી ગેસ અને રાખોની મોટી માત્રા આબોહવાની જાતોને પ્રભાવિત કરી શકે છે.ગેસ અને રજકણો આંશિક રીતે સૂર્યના આવનારા કિરણોને રોકે છે,જેના પરિણામે શીતળતા અનુભવાય છે.
  • ધરતીનું વંકાવું: ધરતી તેની ભ્રમણ કક્ષાની લંબરૂપ સપાટી પર 23.5° ના ખૂણાથી વંકાયેલી છે.ધરતીના વાંકનમાંના પરિવર્તનો ઋતુઓની ઉગ્રતાને અસર કરે છે.વધારે વંકન મતલબ વધારે ગરમ ઉનાળો અને વધારે ઠંડો શિયાળો; ઓછું વંકન મતલબ ઠંડો ઉનાળો અને મધ્યમ શિયાળો.
  • સમુદ્રી પ્રવાહો: સમુદ્રો આબોહવા તંત્રના મુખ્ય ઘટકો છે.તેઓ ધરતીના લગભગ 71% ને આવરે છે.વાતાવરણ કરતાં સમુદ્રો સૂર્યના વિકિરણોને બમણા શોષે છે.

માનવીય કારણો

ગ્રીનહાઉસ પ્રભાવો: પૃથ્વી સૂર્ય પાસેથી ઉર્જા મેળવે છે,જે પૃથ્વીને સપાટીને તાપ આપે છે.આ ઉર્જા વાતાવરણમાંથી પસાર થાય ત્યારે,અમુક ટકા(લગબગ 30) વેરાઈ જાય છે.આ ઉર્જાનો અમુક ભાગ જમીન અને સૂર્યની સપાટીમાંથી પાછો વાતાવરણમાં પરાવર્તિત થાય છે. વાતાવરણમાંની અમુક વાયુઓ ધરતીની આસપાસ એક આવરણ બનાવે છે અને આ ઉર્જાના અમુક ભાગને શોષે છે.આ વાયુઓ જેવીકે કાર્બન ડાયોક્સાઈડ,મિથેન,અને નાઈટ્રસ ઓક્સાઈડ,સાથે પાણીની વરાળ,એ વાતાવરણનો એક ટકાથી પણ ઓછાની બનેલી હોય છે.તેઓને ‘ગ્રીનહાઉસ ગેસો’ કહેવાય છે.જેવી રીતે ગ્રીનહાઉસનું પ્રતિબિંબ વધારાની ઉર્જાના વિસર્જનને અટકાવે છે,આ ‘ગેસનું આવરણ’ પૃથ્વી દ્વારા બહાર પડતી અમુક ઉર્જાને શોષે છે અને ઉષ્ણતામાનના સ્તરને વ્યવસ્થિત રાખે છે.તેથી તેને ‘ગ્રીનહાઉસ પ્રભાવ’ કહેવાય છે.

ગ્રીનહાઉસ પ્રભાવને સૌપ્રથમ ફ્રેન્ચ વૈજ્ઞાનિક,જીયેન-બાપ્ટીસ્ટે ફોરીયર દ્વારા ઓળખવામાં આવ્યો હતો.વાતાવરણમાં અને ગ્રીનહાઉસમાં બનતી સમાનતા તરફ તેણે ધ્યાન દોર્યુ હતું.

ગ્રીનહાઉસ ગેસોનું આવરણ પૃથ્વીની રચનાના સમયથી તેના સ્થાન પર છે.જોકે,વધતી જતી માનવીય પ્રવૃતિઓના કારણે,વધારે અને વધારે આ ગ્રીનહાઉસ ગેસો વાતાવરણમાં જઈ રહી છે.આના પરિણામે આવરણ જાડુ બને છે અને ‘કુદરતી ગ્રીનહાઉસ પ્રભાવ’ને અસ્ત-વ્યસ્ત કરે છે.

કોલસો,તેલ અને કુદરતી વાયુ જેવા અમુક ઈંધણો જ્યારે આપણે બાળીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઈડ બહાર નિકળે છે.અને,જયારે આપણે જંગલોનો નાશ કરીએ છીએ,વૃક્ષોમાં સંગ્રહાયેલો કાર્બન એ કાર્બન ડાયોક્સાઈડ સ્વરૂપે વાતાવરણમાં છોડાય છે.વધતા જતા ખેતીવિષયક કાર્યો,ભૂમિ-વપરાશ પ્રકારોમાં પરિવર્તનો,અને બીજા સ્ત્રોતો એ મિથેન અને નાઈટ્રસ ઓક્સાઈડના વધતા સ્તરો તરફ દોરે છે.ઔદ્યોગિક પ્રક્રિયાઓ પણ કૃત્રિમ અને નવી ગ્રીનહાઉસ ગેસો જેવી કે CFCs (ક્લોરોફ્લોરોકાર્બન્સ) બહાર છોડે છે, જ્યારે ઓટોમોબાઈલ ધુમાડો બહાર કાઢે છે જેના કારણે ઓઝોનનું નિર્માણ થાય છે.પરિણામિત વિકસિત ગ્રીનહાઉસ પ્રભાવને સૌથી સામાન્યપણે વિશ્વવ્યાપી ઉષ્ણતામાન વૃદ્ધિ અથવા આબોહવામાં પરિવર્તન તરીકે સંબોધવામાં આવે છે.

આપણે ગ્રીનહાઉસ ગેસોને કેવી રીતે યોગદાન આપીએ છીએ?

  • અશ્મિભૂત ઈંધણોનો વપરાશ જેવાકે કોલસો,પેટ્રોલ,ઈત્યાદિ
  • વધારે જમીન માટેની આપણી માંગણીને પહોંચી વળવા વૃક્ષોને કાપવા
  • અવિઘટનક્ષમ અપવ્યય સામગ્રી-પ્લાસ્ટીકોનું નિર્માણ
  • ખેતીમાં ખાતરો,જંતુનાશકોનો નિરંકુશ ઉપયોગ

આબોહવામાં પરિવર્તન આપણા પર કેવી રીતે અસર કરશે?

આબોહવામાં પરિવર્તન એ માણસ જાત માટેનો એક ભય છે.19મી સદીના અંતથી પૃથ્વીની સપાટીનું સરેરાશ ઉષ્ણતામાન 0.3-0.6 0C જેટલું વધ્યું છે.ઉષ્ણતામાનનો આ વધારે આપણને ન્યુનત્તમ દેખાઈ શકે પણ નીચે પ્રકાશિત કર્યા મુજબ તે કુદરતી સંકટ તરફ દોરી શકે છે.

ખેતી

વધતા જતા વસ્તી વધારાના કારણે ખોરાકની માંગ પણ વધી છે.આના પરીણામે કદરતી સ્ત્રોતો પર દબાણ આવે છે.ઉષ્ણતામાન અને વરસાદના પ્રમાણમાં ફેરફારોને આબોહવામાં પરિવર્તન ખેતીવિષયક ઉપજો પર પ્રત્યક્ષપણે અસર કરશે અને અપ્રત્યક્ષપણે જમીનની ગુણવત્તામાં બદલાવો,ઉપદ્રવો અને બિમારીઓ નોતરશે.એવું કહેવાય છે કે અનાજની ઉપજ ભારતમાં ઘટતી જણાઈ રહી છે.આત્યંતિક હવામાન સ્થિતિઓ જેવીકે ઉચ્ચ ઉષ્ણતામાન,ભારે વરસાદ,પૂરો,દુકાળો,ઈત્યાદિ પેદાશ પર અસર કરશે

હવામાન

ગરમ હવામાન વરસાદના પ્રકારને બદલશે,જેના પરિણામે દુકાળો અને પૂરોનું પ્રમાણ વધશે,હિમનદીઓ અને ધ્રુવીય હિમ પાટો પીગળશે,અને જેના પરીણામે દરિયાઈ-સ્તરમાં વધારો થશે.છેલ્લા થોડા વર્ષોથી ચક્રવાતો અને વંટોળિયાઓની સંખ્યામાં થયેલો વધારાને કારણે ઉષ્ણતામાનમાં પણ પરિવર્તન થયું છે.

દરિયાઈ-સ્તરની વૃદ્ધિ

આબોહવાના પરિવર્તનનું એક પરીણામ વધતું જતું દરિયાઈ-સ્તર છે.સમુદ્રોનું ગરમ થયું,અને હિમનદીઓ અને ધ્રુવીય હિમ પાટોના પીગળવાને કારણે એવું અનુમાનિત થાય છે કે હવે પછીની સદીથી સરેરાશ દરિયાઈ સ્તર અંદાજે અડધો મીટર વધશે. દરિયાઈ-સ્તરમાં વૃધિના કારણે તટવર્તીય વિસ્તારો પર સંખ્યાબંધ બાહ્ય અસરો અદ્ભવી શકે છે,જેમાં પ્રચંડ પૂર અને ધોવાણને કારણે જમીનનો નાશ,વધતા જતા પૂરો,અને મીઠા પાણીના અતિક્રમણનો સમાવેશ થાય છે.આ પ્રતિકૂળ રીતે તટવર્તી ખેતી,પીવાના પાણીના સ્ત્રોતો,મત્સ્ય ઉદ્યોગ,માનવીય વસાહતો અને સ્વાસ્થય પર અસર કરી શકે છે.

સ્વાસ્થય

હ્રદય-સંબંધિત મરણાધીનતા,નિર્જલીકરણ,ચેપી રોગોનો ફેલાવો,કુપોષણ અને જાહેર સ્વાસ્થય તંત્રને નુકસાનના વધતા જતા કિસ્સાઓ દ્વારા વિશ્વવ્યાપી ઉષ્ણતામાન વૃદ્ધિ પ્રત્યક્ષપણે માનવીય સ્વાસ્થયને અસર કરશે.

જંગલો અને વન્યજીવનો

કુદરતી પર્યાવરણમાંની વનસ્પતિઓ અને પ્રાણીઓ એ આબોહવા પરિવર્તનને ખૂબજ સંવેદનશીલ હોય છે.જો આબોહવા પરિવર્તનનું દર અવિરતપણે વધતું રહેશે,તો વનસ્પતિઓ અને પ્રાણીઓને વિવિધ જાતોનો વિનાશ થઈ શકે છે.

પ્રતિબંધક ઉપાયો

  • ઉર્જાના નવીનકરણ યોગ્ય ન હોય તેવા સ્ત્રોતોના વપરાશમાં ઘટાડો(અશ્મિભૂત ઈંધણો)
  • નવીનકરણ યોગ્ય સ્ત્રોતોના વપરાશમાં વધારો જેવાકે સોલાર,પવન ઉર્જા,ઈત્યાદિ.
  • વૃક્ષો બચાવો અને વધારે વૃક્ષો વાવો
  • અવિઘટનક્ષમ સામગ્રીઓ જેવી કે પ્લાસ્ટીકોના નિરંકુશ વપરાશને ટાળો
સ્ત્રોત: ગ્રીનહાઉસ પ્રભાવ અને આબોહવા પરિવર્તન પરની રજૂઆતના નિરીક્ષણ માટે અહિંયા ક્લિક કરો

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate