অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઉપયોગી સૂચનો

ઉપયોગી સૂચનો

  • ખૂબ પાણી પીવો. બોટલના પાણીથી દૂર રહો કારણ કે તેઓનો નિકાલ કરવો પડે છે અને તેઓ કુદરતી સંપત્તિઓનો જથ્થો ઘટાડે છે.
  • કેફીનગ્રસ્ત પીણાઓથી દૂર રહો. કુદરતી ઠંડું પીણું જેવા કે છાશ પીવો.
  • હલકા-રંગના કપડા પહેરો, ખાસ કરીને સુતરાઉ કપડાં.
  • નિર્જલીકરણથી બચવા પુષ્કળ પ્રવાહી પીવો. અમુક કુદરતી પ્રવાહીઓ જેવા કે, લીંબુનું પાણી, અપરિપક્વ નાળિયેર, ફળોનો રસ ઈત્યાદિ. અપરિપક્વ નાળિયેરના પાણીમાં સાકર, રેસા, વિટામીન અને ખનિજો સાથે પ્રોટીન પણ હોય છે.
  • પુષ્કળ સલાડ ખાઓ અને તાજા ફળો જેમાં કુદરતી રીતે પાણી હોય જેમ કે, તરબૂચ. હકીકતમાં આ ફળમાં અંદાજે 92% પાણી અને 14% સુધી વિટામીન સી છે. આ પરસેવા મારફતે ગુમાવેલી ભીનાશને પાછી મેળવવામાં મદદ કરે છે. આ ફળમાં અમુક પ્રમાણમાં વિટામીન બી અને પોટેશીયમ પણ જોવા મળે છે.
  • માટીના કુંડાઓ સંગ્રહ કરેલું પાણી પીવો.
  • તેલવાળા પદાર્થો ખાવાથી બચો અને ખાસ કરીને વિક્રેતાઓ દ્વારા કાપેલા ફળોને ખાવાથી દૂર રહો કારણકે તે માખીઓ અને ધૂળના સંપર્કમાં આવી શકે છે.
  • હાથથી વપરાય તેવા પંખાઓનો ઉપયોગ કરો. જ્યારે વિજળી ન હોય ત્યારે પણ તે કામ કરે છે.
  • વેટીવેરીઆની બનેલી ભીની ચાદરો ખુલ્લી બારીઓ પર લટકાડો. આ ઘરમાં તાજી હવાને ફેલાવવામાં મદદ કરે છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate