તમે કદાચ જ્યોર્જ બર્નાર્ડના શોના પ્રચલિત વાક્યને સાંભળ્યુ હશે- “મારા માટે માનવીય મોક્ષ માટેનો એકમાત્ર વિશ્વાસ શિક્ષકોમાં રહેલો છે.” સભ્ય સમાજ તરીકે ભારતમાં આપણે હંમેશા શિક્ષકોને ભગવાન પછીના ઉચ્ચત્તમ આસને મૂક્યા છે અને તેવું શા માટે નહી?
વ્યક્તિના જીવનમાં શિક્ષક મહત્વનો ભાગ ભજવે છે. એક સારો શિક્ષક યુવા વિદ્યાર્થીઓના મનમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર સ્થાન મેળવે છે. વડીલો પછી શિક્ષક જ છે જે બાળકોને સહુથી વધારે પ્રભાવિત કરે છે અને તે કે તેણીના વ્યક્તિત્વને ઓપ આપે છે.
તમે જાણો છો તે મુજબ બાળકો દરેક સમાજમાં શોષણ, હિંસા અને દુર્વ્યવહારનો સામનો કરે છે. જો તમે માત્ર તમારી આજુબાજુ જોશો તો, તમે તે જોઈ શકશો. નાના બાળકો મજૂરીમાં રોકાઈ ગયા છે અને શાળાએ જવાથી વંચિત છે-તેમાંના ઘણાને બંધનયુક્ત કરવામાં આવ્યા છે-વડીલો તેમના બાળકોને ફટકા મારે છે, શિક્ષકો વર્ગોમાં બાળકોને ફટકા મારે છે અથવા તેમની જાતિ કે ધર્મના કારણે તેમના સામે ભેદભાવ કરે છે, બાળાને જન્મ લેવાનો અધિકાર આપવામાં આવતો નથી અથવા તેને જન્મતાં જ મારી નાખવામાં આવે છે અથવા તેઓને છોકરી હોવાના કારણે પરિવાર અને સમાજમાં ભેદભાવનો સામનો કરવો પડે છે. વહેલા લગ્ન, બળાત્કાર...
હા, આ ઘણા બાળકોના જીવનની વાસ્તવિકતા છે. તેમાંના અમુક તમારા વર્ગ કે તમારી શાળામાં પણ હોઈ શકે છે.
તમે જ્યારે બાળકનો દુરૂપયોગ કે તેનું શોષણ થતાં જોશો અથવા તે વિશે સાંભળશો તો એક શિક્ષક તરીકે તમે શું કરશો?
શું તમે….
તમને જ્યાં સુધી આગળ વધવા પુરાવા નહી મળે ત્યાં સુધી રાહ જોશો? અથવા શું તમે..
તમે કેવી રીતે વર્તો છો કે તમે તમારી જાતને કેવી રીતે જુઓ છો તેના પર આધાર રાખશે. શું તમે તમારી જાતને કેવળ એક શિક્ષક કે એક નેતા, મશાલચી, સલાહકાર અને માર્ગદર્શક તરીકે જ જુઓ છો? કારણ કે એક નેતા, મશાલચી, સલાહકાર અને માર્ગદર્શકે રખેવાળ, સંરક્ષક અને સામાજીક બદલાવના પ્રતિનિધિની ભૂમિકા પણ બજાવે છે. તમે શિક્ષકો મહત્વના છો કારણ કે…
આ બુકલેટને ખાસ કરીને આપના માટે બનાવવામાં આવી છે. જેથી કરીને તમે બાળકોની મદદ કરી શકો અને તેમને દુરૂપયોગ અને શોષણથી બચાવી શકો. જો કે અમે કાયદાની વિગતવાર ચર્ચા કરી છે, વકીલ પાસેથી તમે કાયદાકીય સલાહ મેળવો તે મહત્વનું છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020