অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રાથમિક શાળાઓમાં ભૌતિક સુવિધાઓ વિકસાવવી

પ્રાથમિક શાળાઓમાં ભૌતિક સુવિધાઓ વિકસાવવી

ઠરાવ: રાજ્યની જિલ્‍લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્‍તકની પ્રાથમિક શાળાઓમાં વર્ગ ખંડોના બાંધકામ માટે સને ૨૦૦૮-૨૦૦૯ ના વર્ષમાં નીચે મુજબ જોગવાઇ સૂચવવામાં આવેલ છે.

ક્રમ

વિગત

ઓરડાની સંખ્‍યા

ઓરડા દીઠ કિંમત રૂપિયામાં

જોગવાઇ રૂપિયા લાખમાં

બિન આદિવાસી વિસ્‍તાર માટે

૧૦૦

રૂ. ૨,૨૫,૦૦૦/-

રૂ. ૨૨૫.૦૦

આદિવાસી વિસ્‍તાર માટે

૫૦

રૂ. ૨,૨૫,૦૦૦/-

રૂ. ૩૩૭.૫૦

કુલ..............

૧૫૦

રૂ. ૨,૨૫,૦૦૦/-

રૂ. ૩૩૭.૫૦ (અંકે રૂપિયા ત્રણ કરોડ સાડત્રીસ લાખ પચાસ હજાર પુરા)

 

આ જોગવાઇ ને ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી, પુખ્‍ત વિચારણાને અંતે નીચે જણાવેલ શરતોને આધીન રહી સને ૨૦૦૮-૨૦૦૯ ની કુલ રૂ. ૩,૩૭,૫૦,૦૦૦/- ની (અંકે રૂપિયા ત્રણ કરોડ સાડત્રીસ લાખ પચાસ હજાર પુરા) ની નવી બાબતને આથી વહીવટી મંજુરી આપવામાં આવે છે.

  • સને ૨૦૦૮-૦૯ ના વર્ષની બજેટ જોગવાઇને આધિન રહીને નાણા વિભાગ દ્વારા વખતોવખત ફાળવવામાં આવતી ગ્રાન્‍ટની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે
  • બાંધકામની યોજના માટે નકશા અને અંદાજોને સક્ષમ અધિકારીની મંજુરી મેળવવાની રહેશે.
  • આ અંગેનું ખર્ચ સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ જોગવાઇઓ અને લાગુ પડતા ધારાધોરણો ને આધિન નિયત પદ્ધતિથી કરવાનું રહેશે.
  • પ્રસ્‍તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધિન ચાલુ તથા અગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્‍ત બજેટ જોગવાઇ કરાવી લેવાની રહેશે.
  • આ મંજુરી અન્‍વયે જો કોઇ પણ વસ્‍તુની ખરીદી કરવાની હોય તો તે સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણો અને નિયમોનુસાર કરવાની રહેશે.
  • આ યોજના અંગેનું ખર્ચ તા. ૧-૪-૦૮ થી શરૂ કરવાનું રહેશે.
  • આ કામો એસ. એસ. એ. મારફતે કરાવવાના રહેશે. કામો અંગેની માહિતી સરકારશ્રી જ્યારે માંગે ત્‍યારે નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણે પૂરી પાડવાની રહેશે.
  • આ અંગેનો ખર્ચ બિન આદિજાતી માટે બજેટ સદર ૪૨૦૧-૦૧-ઇડીએન-૨-૨૦૧-૦૧ હેઠળ મંજુર રહેલ ગ્રાન્‍ટમાંથી મેળવવાનો રહેશે.
  • આદિવાસી વિસ્‍તાર માટે માંગણી નં. ૯૬-૪૨૦૨-૦૧-૭૯૬-૧૯-હેઠળ મંજુર રહેલ ગ્રાન્‍ટમાંથી મેળવવાનો રહેશે.
  • આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણા વિભાગની તા. ૧૦-૩-૦૮ ની નોંધણી મળેલ સંમતિ અન્‍વયે રવાના કરવામાં આવે છે.

ગુજરાત રાજ્યના રાજ્ય પલશ્રીના હુકમથી અને તેમના નામે.

સ્ત્રોત: ડી. જી. ચૌધરી, સેકશન અધિકારી ,શિક્ષણ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate