অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (RMSA)

રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (RMSA)

રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (RSMA)નો ઉદ્દેશ માધ્યમિક શિક્ષણના ધોરણોને વિસ્તારવાનો અને તેમાં સુધારણા કરવાનો છે — વર્ગો 9 થી 10. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન પ્રત્યેક નિકટવર્તી માટે 5 કિ.મીના ક્ષેત્ર વિસ્તારની અંદર માધ્યમિક શાળા(વર્ગ 10 સુધીની)ચોક્કસ કરવા દ્વારા દેશના દરેક ખૂણામાં માધ્યમિક શિક્ષણને પણ લઈ જશે.રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન(RMSA) જે ભારત સરકારની માધ્યમિક શિક્ષણના સાર્વત્રિકરણના(USE)ધ્યેયને પ્રાપ્ત કરવા માટેની તાજેતરની પહેલ છે.

સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાનની સ્થાપના લાખો બાળકો માટે પ્રારંભિક શિક્ષણને લાવવા માટે કરવામાં આવી જે મોટા પ્રમાણમાં સફળ થઈ છે અને તેથી દેશભરમાં માધ્યમિક શિક્ષણના માળખાંને મજબૂત બનાવવા માટેની આવશ્યકતા ઊભી કરી છે.એચઆરડી મંત્રાલયે આની નોંધ લીધી છે અને હવે માધ્યમિક શિક્ષણ યોજના જેને રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (RMSA) પણ કહેવાય છે 11મી યોજના દરમ્યાન Rs.20,120 કરોડના સંપૂર્ણ ખર્ચ પર તેનો અમલ કરવા માટેની યોજનાઓ શરૂ કરી છે.

“સર્વ શિક્ષા અભિયાનના સફળ અમલ સાથે,મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચત્તર પ્રાથમિક વર્ગોમાંથી ઉત્તીર્ણ થઈને માધ્યમિક શિક્ષણ માટેની વિશાળ માંગનું નિર્માણ કરી રહ્યા છે” એચઆરડી મંત્રાલય જણાવે છે

ધ્યેય

માધ્યમિક શિક્ષણ માટેનો ધ્યેય 14-18 વર્ષની ઉંમરના તમામ યુવા વ્યક્તિઓ માટે સારા ગુણવત્તાકીય શિક્ષણને ઉપલબ્ધ,સુગમ અને રાજલ બનાવવાનો છે.આ ધ્યેયને ધ્યાનમાં રાખીને નિમ્નલિખિત સાધવાનું હોય છે:

  • કોઈપણ રહેણાંકના યોગ્ય અંતરની અંદર માધ્યમિક શિક્ષણ પૂરું પાડવા માટે,જે માધ્યમિક શાળાઓ માટે 5 કિલોમીટર અને ઉચ્ચત્તમ માધ્યમિક શાળાઓ માટે 7-10 કિલોમીટરનું હોવું જોઈએ
  • 2017થી(100% GER) માધ્યમિક શિક્ષણ માટેની સાર્વત્રિક પહોંચને નિશ્ચિત કરવી, અને
  • 2020થી સાર્વત્રિક કાયમીકરણને
  • આર્થિકપણે સમાજના નબળા વર્ગો,શૈક્ષણિકપણે પછાત,ગ્રામીણ વિસ્તારોમાં વસતી બાળાઓ અને અસમર્થ બાળકો અને અન્ય સીમાંત વર્ગો જેવા કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાતવર્ગ અને શૈક્ષણિકપણે પછાત લઘુમતીઓ (EBM) માટેના વિશેષ સંદર્ભો સાથે માધ્યમિક શિક્ષણ માટેની પહોંચ પૂરી પાડવી.

લક્ષ્ય અને ઉદ્દેશ

માધ્યમિક શિક્ષણના સાર્વત્રિકરણ(USE)ના પડકારોને પહોંચી વળવા,માધ્યમિક શિક્ષણની કાલ્પનિક રૂપરેખામાંના ઉદાહરણરૂપી સ્થળાંતર માટેની આવશ્યકતા હોય છે.આ સંદર્ભમાં માર્ગદર્શન આપતાં સિદ્ધાંતો છે; સાર્વત્રિક પહોંચ, સમાનતા અને સામાજીક ન્યાય,પ્રસ્તુતતા અને વિકાસ અને પાઠ્યક્રમ સંબંધિત અને સંરચનાત્મક પાસાઓ.માધ્યમિક શિક્ષણનું સાર્વત્રિકરણ સમાનતા તરફ ગતિશીલ થવા માટેની તકો આપે છે.‘સાર્વજનિક શાળા’ની કલ્પનાને પ્રોત્સાહન મળશે.જો આ મૂલ્યોની સ્થાપના તંત્રમાં કરવામાં આવે તો,તમામ પ્રકારની શાળાઓ,જેમાં અસહાયિત ખાનગી શાળાઓનો પણ સમાવેશ થાય છે તેઓ સુવિધાથી વંચિત અને ગરીબી રેખાની(BPL) નીચેના પરિવારોમાંના બાળકો માટે પર્યાપ્ત ભરતીઓ નિશ્ચિત કરવા દ્વારા માધ્યમિક શિક્ષણના સાર્વત્રિકરણ (USE) તરફ યોગદાન આપશે.

મુખ્ય ઉદ્દેશો

  • તે નિશ્ચિત કરવાનો કે તમામ માધ્યમિક શાળાઓ જેમ કે સરકાર/સ્થાનિક મંડળ અને સરકાર સહાયિત શાળાઓ અને અન્ય શાળાઓની બાબતમાં યોગ્ય નિયમન કાર્યપદ્ધતિમાં નાણાકીય ટેકા મારફતે ઓછામાં ઓછાં નિશ્ચિત ધોરણો મુજબ ભૌતિક સુવિધાઓ,સ્ટાફ અને પુરવઠાઓ ધરાવે છે.
  • જાહેર શિક્ષણ સમાવિષ્ટ સ્થાનિક પરિસ્થિતિઓ પર આધારિત નિકટવર્તી સ્થાન(એટલે કે,માધ્યમિક શાળાઓ 5 કિ.મીની અંદર અને ઉચ્ચત્તમ માધ્યમિક શાળાઓ 7-10 કિ.મીની અંદર)/કાર્યક્ષમ અને સુરક્ષિત પરિવહન વ્યવસ્થાપનો/આવાસિક સુવિધાઓ મારફતે-ધોરણો મુજબ તમામ યુવાન વ્યક્તિઓ માટેના માધ્યમિક શિક્ષણ માટેના પ્રવેશને સુધારવા માટે. જોકે પર્વતીય અને મુશ્કેલ વિસ્તારોમાં આ ધોરણો શિથિલ હોઈ શકે છે.વિશેષપણે આવાસિક શાળાઓની સ્થાપના આવા વિસ્તારોમાં થઈ શકે છે.
  • નિશ્ચિત કરવા કે કોઈપણ બાળક લિંગ,સામાજીક-આર્થિક અસમર્થતાઓ અને અન્ય અવરોધોના કારણે સંતોષજનક ગુણવત્તાકીય માધ્યમિક શિક્ષણથી વંચિત રહે નહી
  • માધ્યમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે જેના પરિણામે વિકસિત બૌદ્ધિક,સામાજીક અને સાંસ્કૃતિક ભણતરની પ્રાપ્તિ
  • નિશ્ચિત કરવા કે માધ્યમિક શિક્ષણને અનુસરતા તમામ બાળકો સારા ગુણવત્તાકીય શિક્ષણને મેળવે
  • ઉપરના ઉદ્દેશોની પ્રાપ્તિ એ અન્ય વિષયોમાં સાર્વજનિક શાળા તંત્રની દિશામાંની વાસ્તવિક પ્રગતિનું વર્ણન પણ કરશે

માધ્યમિક તબક્કા માટેના અભિગમ અને વ્યુહરચના

માધ્યમિક શિક્ષણના સાર્વત્રિકરણના(USE) સંદર્ભમાં,વધારાની શાળાઓ,વધારાના વર્ગખંડો,શિક્ષકો અને અન્ય સુવિધાઓના રૂપમાં મોટા સ્તર પરની આગતોને સંખ્યાઓ,વિશ્વસનીયતા અને ગુણવત્તાના પડકારોને પહોંચી વળવા પૂરી પાડવી આવશ્યક છે.અન્ય વિષયોની સાથે શૈક્ષણિક જરૂરિયાતોના મૂલ્યાંકન/જોગવાઈ,ભૌતિક માળખું,માનવ સંસાધન,શૈક્ષણિક આગતો અને કાર્યક્રમોના અમલના અસરકારક અનુરક્ષણની આવશ્યકતા હોય છે.પ્રારંભમાં યોજના વર્ગ 10 સુધી આવરશે. ક્રમબદ્ધ રીતે,ઉચ્ચત્તમ માધ્યમિક તબક્કાને પણ લઈ લેવામાં આવશે,વિશેષપણે અમલના બે વર્ષોની અંદર.માધ્યમિક શિક્ષણ માટેના સર્વવ્યાપી પ્રવેશ અને તેની ગુણવત્તા સુધારવા માટેની વ્યુહરચના નીચે મુજબની છે

પ્રવેશ

  • દેશના વિવિધ પ્રાંતોમાંની શિક્ષણ સુવિધાઓમાં વિસ્તૃત વિષમતાઓ હોય છે.ખાનગી શાળાઓની વચ્ચે અને ખાનગી અને સરકારી શાળાઓની વચ્ચે વિષમતાઓ હોય છે.ગુણવત્તાકીય માધ્યમિક શિક્ષણને સાર્વત્રિક પ્રવેશ પૂરો પાડવા માટે, આ અનિવાર્ય છે કે વિશેષપણે રચવામાં આવેલા વ્યાપક ધોરણોને રાષ્ટ્રીય સ્તર પર વિકસિત કરવામાં આવે અને માત્ર રાજ્ય/ કેન્દ્ર શાસિત પૂરતા નહી પણ જ્યાંપણ આવશ્યક હોય તે પ્રદેશની પણ ભૌમિતિક,સામાજીક-સાંસ્કૃતિક,ભાષા સંબંધિત અને વસ્તી વિષયક સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રત્યેક રાજ્ય/ કેન્દ્ર શાસિત માટે જોગવાઈ કરવામાં આવી શકે છે.માધ્યમિક શાળાઓ માટેના ધોરણો સામાન્યપણે કેન્દ્રીય વિદ્યાલયો માટેના ધોરણોને તુલનાયોગ્ય હોવા જોઈએ.માળખાંકીય સુવિધાઓ અને ભણતર સંસાધનોના વિકાસને નિમ્નલિખિત પ્રકારે કાર્યાન્વિત કરવામાં આવશે
  • વિદ્યમાન માધ્યમિક શાળાઓ અને વિદ્યમાન શાળાઓમાંની ઉચ્ચત્તમ માધ્યમિક શાળાઓના સ્થળાંતરનો વિસ્તાર/વ્યુહરચના
  • તમામ આવશ્યક માળખાંકીય સુવિધાઓ અને શિક્ષકો સાથે સૂક્ષ્મ આયોજન પ્રયોગ પર આધારિત ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓનું ઉન્નતિકરણ.ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓનું ઉન્નતિકરણ કરતી વખતે આશ્રમ શાળાઓને અગ્રતા આપવામાં આવશે
  • આવશ્યકતાઓના આધારે ઉચ્ચત્તમ માધ્યમિક શાળાઓમાંની માધ્યમિક શાળાઓનું ઉન્નતિકરણ
  • શાળા નિરુપણ પ્રયોગના આધારે આપૂર્તિ વિસ્તારોમાં નવી માધ્યમિક શાળાઓ/ ઉચ્ચત્તમ માધ્યમિક શાળાઓની શરૂઆત. આ તમામ ઈમારતોને ફરજીયાત જળ લણણી તંત્ર હશે અને પર્યાવરણ અનુકૂળરીતે તેઓને અસમર્થ બનાવવામાં આવશે
  • રેઈન હાર્વેસ્ટીંગ તંત્રોને વિદ્યમાન શાળાની ઈમારતોમાં પણ ગોઠવવામાં આવશે
  • વિદ્યમાન શાળાની ઈમારતોને પણ પર્યાવરણ અનુકૂળરીતે અસમર્થ બનાવી શકાય તેવી બનાવવામાં આવશે
  • નવી શાળાઓને પણ પીપીપી પ્રકારે સ્થાપિત કરવામાં આવશે

ગુણવત્તા

  • બ્લેક બોર્ડ,ફર્નિચર,પુસ્તકાલયો,વિજ્ઞાન અને ગાણિતિક પ્રયોગશાળાઓ,કંપ્યુટર લેબો,શૌચાલય સમૂહ જેવું આવશ્યક માળખું પૂરું પાડવું
  • વધારાના શિક્ષકોની નિયુક્તિ અને શિક્ષકોને કામ પર પ્રશિક્ષણ
  • વર્ગ VIIIમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે શીખવાની ક્ષમતાને વિકસિત કરવા માટે સેતુમય અભ્યાસક્રમ
  • NCF, 2005 ધોરણોને પહોંચી વળવા પુનરાવલોકન કરતો પાઠ્યક્રમ
  • ગ્રામીણ અને મુશ્કેલ પર્વતીય વિસ્તારોમાંના શિક્ષકો માટે આવાસિક રહેઠાણ
  • મહિલા શિક્ષકો માટેના રહેઠાણને પ્રાધાન્ય આપવામાં આવશે

નિષ્પક્ષતા

  • SC,ST,OBC અને લઘુમતી સમુદાયોના વિદ્યાર્થીઓ માટે મફત રહેવાની/જમવાની સુવિધાઓ
  • બાળાઓ માટે હોસ્ટેલો/ આવાસિક શાળાઓ,રોકડ પ્રોત્સાહન,યુનીફોર્મ,ચોપડીઓ,અલગ શૌચાલયો
  • માધ્યમિક સ્તર પરની યોગ્ય સંપન્ન/ જરૂરિયાત વિદ્યાર્થીઓને સ્કોલરશીપો પૂરી પાડવી
  • સમાવેશન શિક્ષણ એ તમામ પ્રવૃતિઓનું પ્રમાણ-ચિહ્ન રહેશે.તમામ શાળાઓમાંના વિશિષ્ટપણે સમર્થ બાળકો માટે તમામ આવશ્યક સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવશે
  • સાર્વજનિક અને અંતર ભણતરના વિસ્તરણની જવાબદારીને હાથે ધરવામાં આવશે,ખાસ કરીને ચેવાઓ માટે જેઓ સંપૂર્ણ સમયના માધ્યમિક શિક્ષણને અનુસરી શકતા નથી અને મોઢામોઢ સૂચનાના ઉમેરા/વૃદ્ધિ માટે.આ તંત્ર શાળા બહારના બાળકોના શિક્ષણ માટે પણ મહત્વનો ભાગ ભજવશે

સંસ્થાત્મક સુધારણાઓ અને સંસાધન સંસ્થાઓની મજબૂતી

  1. પ્રત્યેક રાજ્યમાં આવશ્યક વહીવટી સુધારણાઓ કરવા એ કેન્દ્રીય સહાય માટેની પૂર્વીય-શરત રહેશે.આ સંસ્થાત્મક સુધારણાઓમાં સમાવેશ થાય છે
  2. શાળા સંચાલનમાંની સુધારણાઓ- શાળાઓનું સંચાલન અને ઉત્તરદાયિતાને વિકેન્દ્રીત કરવા દ્વારા તેમનું પ્રદર્શન સુધારે છે
  3. શિક્ષકની ભરતી,પરિનિયોજન,પ્રશિક્ષણ,વળતર અને કારકિર્દી વિકાસની ન્યાયસંગત નીતિનું અંગીકરણ
  4. શૈક્ષણિક વહીવટમાંની સુધારણાઓની જવાબદારી જેમાં આધુનિકીકરણ / સંચાલન અને પ્રતિનિધિત્વ / વિકેનદ્રીકરણનો સમાવેશ થાય છે
  5. તમામ સ્તરો પર માધ્યમિક શૈક્ષણિક તંત્રમાંની આવશ્યક ધંધાકીય અને શૈક્ષણિક આગતોની જોગવાઈ,એટલે કે,શાળાકીય સ્તરની ઉપરની તરફ; અને
  6. ભંડોળોના ઝડપી પ્રવાહ અને તેમના ઈષ્ટત્તમ ઉપાયોજન માટેની નાણાકીય પ્રક્રિયાઓને સરળ બનાવવી
  7. વિવિધ સ્તરો પરની સંસાધન સંસ્થાઓનું આવશ્યક મજબૂતીકરણ,જા.ત
  8. રાષ્ટ્રીય સ્તર પર,NCERT (સમાવિષ્ટ RIEs), NUEPA અને NIOS
  9. રાજ્ય સ્તર પર SCERTs, રાજ્ય જાહેર શાળાઓ, SIEMATs, ઈત્યાદિ,અને
  10. શિક્ષક શિક્ષણની કેન્દ્રીયપણે-પ્રાયોજીત યોજના હેઠળ કાયમી શિક્ષણના યુનીવર્સિટી વિભાગો,વિજ્ઞાન /સામાજીક શાસ્ત્ર /માનવીય શિક્ષણ પરની પ્રતિષ્ઠિત સંસ્થાઓ,અને શિક્ષક શિક્ષણની કોલેજો(CTEs) / શિક્ષણમાં પ્રગતિશીલ અભ્યાસની સંસ્થાઓ (IASEs)

પંચાયત રાજનો સમાવેશ

શાળા સંચાલન સમિતિઓ અને વડીસ-શિક્ષક સંગઠનો જેવા મંડળો મારફતે માધ્યમિક શિક્ષણના સંચાલનમાં પંચાયત રાજ અને મ્યુનીસીપલ મંડળો,સમુદાય,શિક્ષકો,વડીલો અને અન્ય ભાગીદારોની સંડોવણીને આયોજન પ્રક્રિયા,અમલ,નિરીક્ષણ અને મૂલ્યાંકનમાં ચોક્કસ કરવામાં આવશે.

સરકાર ચાર કેન્દ્રીયપણે પ્રાયોજીત યોજનાઓને પ્રવર્તમાન કરે છે

કેન્દ્રીય સરકાર ચાર કેન્દ્રીયપણે પ્રાયોજીત યોજનાઓને પ્રવર્તમાન કરે છે.એટલે કે

(i)ICT@ શાળાઓ,માધ્યમિક અને ઉચ્ચત્તમ માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર શિક્ષણ અને કમ્પ્યુટર સહાયિત શિક્ષણ માટે રાજ્ય સરકારોને સહાય પૂરી પાડવા માટે

(ii) શાળા શિક્ષણમાંના અસમર્થ બાળકોને મુખ્યપણે વિભાજીત કરવામાં રાજ્ય સરકારો અને એનજીઓને સહાય કરવા માટે અસમર્થ બાળકો માટેનું (IEDC) એકીકૃત શિક્ષણ

(iii) ગ્રામીણ વિસ્તારોમાં કન્યા છાત્રાલયો ચલાવવા માટે એનજીઓને સહાય પૂરી પાડવા માટે માધ્યમિક અને ઉચ્ચત્તમ માધ્યમિક શાળાઓ(પ્રવેશ અને નિષ્પક્ષતા)ની વિદ્યાર્થીનીઓ માટેની ભોજન અને છાત્રાલય સુવિધાઓને મજબૂત બનાવવી,અને

(iv) શાળાઓમાં ગુણવત્તાકીય સુધારો જે શાળાઓમાં યોગાની રજૂઆત માટે,શાળાઓમાં વિજ્ઞાન શિક્ષણના સુધારા માટે,પર્યાવરણ શિક્ષણ માટે અને આંતર્રાષ્ટ્રીય વિજ્ઞાન ઓલિંપિયાડોને ટેકો આપવા ઉરાંત જનસંખ્યા શિક્ષણ માટે,રાજ્ય સરકારો માટેની સહાયની જોગવાઈનો સમાવેશ થાય છે.આ તમામ યોજનાઓ,વર્તમાન કે રૂપાંતરિત સ્વરૂપોમાં,નવી યોજનાઓને અંતર્ગત કરવામાં આવશે.

(v) સ્વરોજગાર કે અંશકાલિક રોજગાર માટે નાણાકીય રીતે પછાત બાળકોને તૈયાર કરવા દ્વારા ભણવાની સાથે કમાણી માટેની જોગવાઈ.રાજ્યો/ કેન્દ્ર શાસિત બ્લોક,જીલ્લા સ્તરો પર વ્યાવસાયિક પ્રશિક્ષણ કેન્દ્રો (VTC) અને સંસ્થાઓની સ્થાપના કરી શકે છે.

કેન્દ્રીય વિદ્યાલયો અને જવાહર નવોદય વિદ્યાલયો

કેન્દ્રીય વિદ્યાલયો અને જવાહર નવોદય વિદ્યાલયોની સંખ્યા ધીમી પ્રગતિ કરતી શાળાઓ તરીકેના તેમના મહત્વને અને તેમની ભૂમિકાની મજબૂતીને ધ્યાનમાં લેતાં વધતી જશે

વિત્તીયન સ્વરબપ અને બેંક અકાઉંટની શરૂઆત

  • કેન્દ્રીય સરકાર 11મી પાંચ વર્ષીય યોજના દરમ્યાન ઉત્તર-પૂર્વીય રાજ્યો સિવાયના તમામ રાજ્યો/ UTs માટેના તમામ ધટકો(જ્યાં નિધીયન યોજના અંતર્ગત કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના વિતરણના આધાર પર થાય છે)નો અમલ કરવા માટેના ખર્ચના 75 ટકા વહન કરશે.ઉત્તર-પૂર્વીય રાજ્યો માટે,આવા ખર્ચના 90 ટકા કેન્દ્રીય સરકાર દ્વારા લઈ જવામાં આવશે.
  • રાજ્ય સરકારો અને યુનીયન પ્રદેશો 11મી પાંચ વર્ષીય યોજના દરમ્યાન ઉત્તર-પૂર્વીય રાજ્યો સિવાયના તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત માટેના તમામ ધટકો(જ્યાં નિધીયન યોજના અંતર્ગત કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના વિતરણના આધાર પર થાય છે)નો અમલ કરવા માટેના ખર્ચના 25 ટકા વહન કરશે.ઉત્તર-પૂર્વીય રાજ્યો આવા ખર્ચના 10 ટકા ધારણ કરશે
  • રાજ્ય સરકાર વર્તમાન એસએસએ સમાજ મારફતે સ્થળાંતર અને ભંડોળોના વપરાશ માટે વ્યાપક નાણાકીય સંચાલન તંત્રની રચના કરશે. આમાં પારદર્શકતા,કાર્યક્ષમતા અને ઉત્તરદાયિતાને નિશ્ચિત કરવી જ જોઈએ,અને અંતિમ પરિણામો તરફના ભંડોળોના વપરાશની નોંધ કરવી જોઈએ
  • રાજ્ય,જીલ્લા અને શાળા સ્તરો પર યોજના અંતર્ગતના ભંડોળો માટે અલગ બેંક અકાઉંટો ખોલવા જોઈએ.અકાઉંટોને જાહેર શાખા બેંકોમાં ખોલવા જોઈએ.શાળા શિક્ષણ સમિતિનો હેડ માસ્ટર કે પ્રિન્સીપલ કે વાઈસ પ્રિન્સીપલ શાળા સ્તર પરના અકાઉંટનો સંયુક્ત ધારક રહેશે; જીલ્લા કાર્યક્રમ કોઓર્ડીનેટર જીલ્લા સ્તર પરના અકાઉંટનો સંયુક્ત ધારક રહેશે
  • 12મી પાંચ વર્ષીય યોજના માટે,કેન્દ્રો અને રાજ્યો વચ્ચેની વિતરણ વ્યવસ્થા બદલાઈને 50:50 થશે.ઉત્તર-પૂર્વીય રાજ્યો માટે 11મી અને 12મી બન્ને પાંચ વર્ષીય યોજનાઓ માટે વિતરણ વ્યવસ્થા બદલાઈને 90:10 થશે

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate