રાજ્યના અનુસૂચિત જનજાતિના ૧પ થી ૩પ વર્ષના યુવક-યુવતીઓમાં શારીરિક ક્ષમતા વધે, સાહસિક બને અને તેઓનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુથી વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
આ યોજનામાં ૧પ થી ૩પ વર્ષની વયમર્યાદા ધરાવતા ૧૦૦ શિબિરાર્થીઓને પસંદ કરવામાં આવશે. તેઓને આ કાર્યક્રમમાં ૧૦ દિવસ માટે બોલાવવામાં આવશે.
આ કાર્યક્રમ માટે આવનાર શિબિરાર્થીઓને વતનથી તાલીમ સ્થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ, ભોજન અને નિવાસ વ્યવસ્થા સરકારશ્રી દ્વારા પુરી પાડવામાં આવે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020