સંસ્થાને થયેલ નાણાકીય નુકસાન સામે કર્મચારીના પગાર, ગ્રેજ્યુઈટી અથવા બીજા કોઈ ચુકવવાપાત્ર બાકીમાંથી કપાતની શિક્ષાના કેસમાં કર્મચારી તરફથી થયેલ રજૂઆતોની વિચારણા કર્યા વિના તથા વાજબી તક આપ્યા વગર પેન્શનની રકમ માટે ઈનકાર કરી શકાય નહીં. કારણ કે ખૂબ જ સારી રીતે સ્થાપિત કાયદો છે કે પેન્શન કોઈ એક્સગ્રેશિયા ચુકવણું નથી અને પેન્શનમાં ગ્રેજ્યુઈટીનો પણ સમાવેશ થાય છે. તે એક પ્રકારની મિલકત છે જેનો યોગ્ય કારણ દર્શાવ્યા વિના ઈનકાર કરી નહીં શકાય.
(Ref.: કાશીનાથ સિંહ એન્ડ અનધર વિ. ધી ફૂડ કોર્પો. ઓફ ઈન્ડિયા એન્ડ અધર્સ- પટના હાઈકોર્ટ-૨૦૦૮)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/24/2020