অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

યુ આઈ ડી એ આઈ

વિશિષ્ટ ઓળખ પ્રોજેકટનો વિચાર પ્રારંભમાં આયોજન કમિશનને એવી પહેલ સાથે આવ્‍યો કે તે દેશભરના દરેક નિવાસી માટે ઓળખ પૂરી પાડશે અને પ્રાથમિક રીતે કલ્‍યાણલક્ષી સેવાઓ કાર્યક્ષમ રીતે પૂરી પાડવાના આધાર તરીકે ઉપયોગમાં લેવાશે. તે સરકારના જુદા જુદા કાર્યક્રમો અને યોજનાઓના અસરકારક નિરીક્ષણ માટે ઓજાર (સાધન) તરીકે કામ કરશે.

  1. વિશિષ્ટ ઓળખની વિભાવનાની પ્રથમ ચર્ચા ર૦૦૬થી થઇ હતી અને ત્યારે ‘‘ગરીબી રેખા નીચેનાં કુટુંબો માટે વિશિષ્ટ ઓળખ’’ નામના પ્રોજેકટ માટે વહીવટી બહાલી સંદેશાવ્‍યવહાર અને માહિતી પ્રૌદ્યોગિકી વિભાગે તા.૦૩-૦૩-૨૦૦૬ના રોજ આપી હતી. આ પ્રોજેકટનો અમલ નેશનલ ઇન્‍ફર્મેટિક સેન્‍ટર (એન.આઇ.સી.)એ ૧ર મહિનાની મુદત માટે કરવાનો હતો. પાછળથી, ગરીબી રેખા હેઠળના પ્રોજેકટ માટે વિશિષ્ટ ઓળખ માટે કરવામાં આવેલ કોર ડેટાબેઝ અદ્યતન કરવા, તેમાં ફેરફાર કરવા, ઉમેરો કરવા અને તેમાંથી રદ કરવા માટે ૦૩ જુલાઇ, ર૦૦૬ના રોજ ડો. અરવિંદ વીરમણિ, મુખ્‍ય સલાહકાર, આયોજન કમિશનના અધ્‍યક્ષપદે પ્રક્રિયા સમિતિ રચવામાં આવી હતી.
  2. ‘‘યુ.આઇ.ડી.એ.આઇ.પ્રોજેકટ અંગે વ્યૂબહાત્મક દૃષ્ટિકોણ’’ તૈયાર કરીને મે. વિપ્રો લિમિટેડે (પાયલોટ યુ.આઇ.ડી.એ.આઇ. પ્રોજેકટના ડિઝાઇન અને કાર્યક્રમનાતબક્કા માટેના સલાહકાર) આ સમિતિને રજૂ કરેલ હતો. જેમાં ઇલેકટોરલ ડેટાબેઝ સાથે હોય તેવું ચુસ્તા જોડાણ વિચારાયું હતું. અધિકૃતિ માટે ખાતાકીય અને તટસ્થર સત્તા નિશ્ચિત કરવા આયોજન કમિશનના ઉપક્રમ હેઠળ વહીવટી હુકમથી ઊભા કરેલા યુ.આઇ.ડી.એ.આઇ.સત્તાતંત્રની જરૂરિયાત સમિતિને જણાઇ હતી અને તે જ સમયે ૧૧મી પંચવર્ષીય યોજના માટે નિયત કરેલાં લક્ષ્યાંક મેળવવા માટે કેન્દ્રિ ત અભિગમ અપનાવ્યોિ હતો. પ્રક્રિયા સમિતિની સાતમી બેઠક ૩૦ ઓગસ્ટ ર૦૦૭ના રોજ મળી હતી. તેણે સૈદ્ધાંતિક બહાલી મેળવવા માટે સંસાધનમોડલ પર આધારિત વિગતવાર દરખાસ્તં આયોજન કમિશનને રજૂ કરવાનું નક્કી કર્યું હતું.
  3. તે જ સમયે ભારતના મહારજિસ્ટ્રાર રાષ્ટ્રીય વસ્તી જિસ્ટ ર ઊભું કરવામાં અને ભારતના નાગરિકોને બહુલક્ષી રાષ્ટ્રીય ઓળખ કાર્ડ ઇસ્યુુ કરવામાં રોકાયેલા હતા.
  4. તેથી પ્રધાનમંત્રીશ્રીની મંજૂરીથી મંત્રીઓનું ઉચ્ચાોધિકાર જૂથ (EGOM)બે યોજનાઓ- નાગરિકતા અધિનિયમ, ૧૯પપ હેઠળ રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટ‍ર અને માહિતી અને ઔદ્યોગિકી વિભાગના વિશિષ્ટ ઓળખ નંબર આપવા માટે પ્રોજેકટ રચવાનું નક્કી કર્યું હતું. મંત્રીઓના ઉચ્ચાધિકાર  જૂથને પ્રોજેકટ વહેલા અને અસરકારક રીતે પૂરો કરવા માટે ખાસ સીમાચિહ્ન અને પદ્ધતિની બાબત જોઇ જવા તેમજ તે અંગે આખરી દૃષ્ટિ લેવા સત્તા અપાઇ હતી. આ ઉચ્ચાધિકારી  જૂથ ૦૪ ડિસેમ્બર ર૦૦૬ના રોજ રચાયું હતું.
મંત્રીઓના ઉચ્‍ચાધિકાર જૂથની પ્રથમ બેઠક ર૭ નવેમ્‍બર, ર૦૦૭ના રોજ મળી હતી. તેને ઓળખ સંબંધી રહેઠાણની માહિતી ઊભી કરવાની જરૂરિયાત જણાઇ હતી. વ્‍યક્તિગત માહિતી નવેસરથી એકઠી કરવા પર આધારિત છે કે મતદાર યાદી જેહાલની પ્રવર્તમાન માહિતીના આધારે છે તે ધ્‍યાનમાં લીધા સિવાય માહિતી મહત્ત્વની અને ફરજિયાત જરૂરી છે. તેની રચના પછી ચાલુ ધોરણે તેના નિભાવ અને અદ્યતન રાખવાની જવાબદારી સ્‍વીકારે તેવું સંસ્‍થાકીય તંત્ર મુકરર કરવાની જરૂરિયાત છે.
  • મંત્રીઓના ઉચ્‍ચાધિકાર જૂથની બીજી બેઠક ર૮ જાન્‍યુઆરી ર૦૦૮ના રોજ યોજાઇ હતી. તેણે રાષ્‍ટ્રીયવસ્‍તીરજિસ્‍ટર અને યુ.આઇ.ડી.એ.આઇ. આપવાનો વ્‍યૂહ નક્કી કર્યો. તેણે વધારામાં આયોજન કમિશન હેઠળ,યુ.આઇ.ડી.એ.આઇ.સત્તાતંત્ર સ્‍થાપવાની દરખાસ્‍તને બહાલી અપાઇ હતી.
  • મંત્રીઓના ઉચ્‍ચાધિકાર જૂથની ત્રીજી બેઠક ૦૭ ઓગસ્‍ટ, ર૦૦૮ના રોજ યોજાઇ હતી. આયોજન કમિશનેમંત્રીઓનાઉચ્‍ચાધિકાર જૂથ સમક્ષ યુ.આઇ.ડી.એ.આઇ. રચવાની વિગતવાર દરખાસ્‍ત મૂકી હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્‍યું હતું કે યુ.આઇ.ડી.એ.આઇ. સંબંધમાં સભ્‍યોએ ઊભા કરેલા ખાસ મુ્દ્દાઓ(મંત્રીઓનાઉચ્‍ચાધિકાર જૂથની બેઠકની કાર્યવાહીનું જોડાણ) અંગે સત્તાવાર કક્ષાની સમિતિએ તપાસવાની જરૂર રહેશે. તે બાબત તપાસી, આખરી નિર્ણય લેવામાં સરળતા રહે તે માટે મંત્રીઓના ઉચ્‍ચાધિકાર જૂથને તે અંગે ભલામણ કરવા સચિવોની બેઠક સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

સચિવોની સમિતિની ભલામણ પછી મંત્રીઓના ઉચ્‍ચાધિકાર જૂથની ચોથી બેઠક ૦૪ નવેમ્‍બર ર૦૦૮ના રોજ મળી હતી. સચિવોની સમિતિની ભલામણોમંત્રીઓની ઉચ્‍ચાધિકાર સમિતિને રજૂ કરવામાં આવી હતી અને નીચેના નિર્ણયો લેવાયા હતા.

  • પ્રારંભમાં યુ.આઇ.ડી.એ.આઇ.ને વહીવટી સત્તાતંત્ર અધિસૂચિત કરી તેનામાં વૈધાનિક સત્તા આપવાની બાબત પાછળથી વિચારણામાં લઇ યોગ્‍ય સમયે તે વિચારણામાં લેવામાં આવે.
  • યુ.આઇ.ડી.એ.આઇ. મતદાર યાદી/એપિક(EPIC) માહિતી પરથી પ્રારંભિક માહિતી ઊભી કરવા તેની પ્રવૃત્તિઓ મર્યાદિત કરી શકે. તેમ છતાં, યુ.આઇ.ડી.એ.આઇ. માહિતીનાં તત્વોના ધોરણ નિશ્ચિત કરવા માહિતી ઊભી કરવાનું હાથ ધરે તેવી એજન્‍સીઓને વધારામાં સૂચનાઓ આપી શકે.
  • ડેટાબેઝનું નિર્માણ કેવી રીતે કરવું તે અંગે યુ.આઇ.ડી.એ.આઇ. તેનો પોતાનો નિર્ણય લેશે.
  • યુ.આઇ.ડી.એ.આઇ.ને આયોજન કમિશનમાં પાંચ વર્ષ માટે સ્‍થિત કરવામાં આવશે. ત્‍યારબાદ યુ.આઇ.ડી.એ.આઇ.ને સરકારની અંદર કયાં મૂકવામાં આવશે તે બાબતવિચારાશે.
  • કેન્‍દ્રીય કક્ષાએ, ૧૦ કર્મચારીઓની કોર ટુકડી સાથે. યુ.આઇ.ડી.એ.આઇ.ની રચના કરી અને આયોજન કમિશનને સંપૂર્ણ માળખા સાથે વિગતવાર દરખાસ્‍ત અલગ રીતે મૂકવા આયોજન કમિશનનેજણાવ્‍યું. બાકીનો સ્‍ટાફ અને યુ.આઇ.ડી.એ.આઇ.ના સંગઠન વિષયક માળખા સાથેની દરખાસ્‍ત મંત્રી મંડળના સચિવ સમક્ષ ડીઓઇ/સીસીઇએ મારફત રાબેતા મુજબની કાર્યપદ્ધતિ હેઠળ બહાલમેળવતાં પહેલાં વિચારણા માટે રજૂ કરશે.
  • ત્રણ કર્મચારીવર્ગની કોર ટુકડી સાથે કેન્‍દ્રીય યુ.આઇ.ડી.એ.આઇ. સાથે રાજ્ય યુ.આઇ.ડી.એ.આઇ.સત્તાતંત્રની રચનાને મંજૂરી.
  • આ અંગે પ્રારંભનાઅધિકૃત માળખાનો ઉપયોગ ઉપલબ્ધ કરવા,યુ.આઇ.ડી.એ.આઇ.નેડીસેમ્બર, ૨૦૦૯ લક્ષ્‍યાંક મુદ્દત આપવામાં આવી હતી.
  • હાલની કાર્યપદ્ધતિ મુજબ ડીઓઇ અને સીસીઇએ મારફત સંપૂર્ણ સંગઠન વિષયક માળખા અને સંપૂર્ણ સ્‍ટાફ માટે મંજૂરી માગતાં પહેલાં, મંત્રીમંડળના સચિવે વિગતવાર સંગઠન વિષયક માળખું, સ્‍ટાફ અને બીજી જરૂરિયાતને આખરી રૂપ આપવા બેઠક બોલાવવી.

પાછળથી, રરમી જાન્‍યુઆરી ર૦૦૯ના રોજ મંત્રીઓના ઉચ્‍ચધિકાર જૂથના નિર્ણયો અનુસાર મંત્રીમંડળના સચિવે શાસન માળખા અંગે માહિતી પ્રૌદ્યોગિકી વિભાગે રજૂ કરેલી દરખાસ્‍તવિચારણામાં લઇને નીચે મુજબ ભલામણ કરી.

  • યુ.આઇ.ડી.એ.આઇ.રચવા માટેનું જાહેરનામું તાત્‍કાલિક બહાર પાડવું.
  • સત્તાતંત્રના કામનું નિરીક્ષણ કરવા આયોજન કમિશનનાઉપાધ્‍યક્ષનાવડપણા હેઠળ ઉચ્‍ચકક્ષાની સલાહકાર, નિયંત્રણ અને સમીક્ષા સમિતિ રચવી.
  • આયોજન કમિશનનાસભ્‍ય, અથવા આયોજન કમિશનના સચિવને મુખ્ય યુ.આઇ.ડી.એ.આઇ. કમિશનર માટેના સૂચિત કામની દેખરેખ રાખવાનું કામ સોંપવું.
  • તેમાં કોર ટુકડી મૂકવી.

મંત્રીઓના ઉચ્ચાધિકાર જૂથની ૦૪ નવેમ્‍બર ર૦૦૮ના રોજ મળેલી ચોથી બેઠક અનુસાર, યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા રચવામાં આવ્‍યું અને આયોજન કમિશને ર૮ જાન્‍યુઆરી ર૦૦૯ના રોજ પ્રારંભમાં ૧૧પ કર્મચારીઓની કોર ટુકડી સાથે આયોજન કમિશનના ઉપક્રમે કચેરી તરીકે અધિસૂચિત કરી. યુ.આઇ.ડી.એ.આઇ.નેયુ.આઇ.ડી.એ.આઇ. યોજનાનો અમલ કરવા યોજના અને નીતિઓ નક્કી કરવાની જવાબદારી આપવામાં આવી હતી. તેને યુ.આઇ.ડી.એ.આઇ.ડેટાબેજ સ્‍વીકારશે અને તે અંગે કામગીરી કરશે. તેને ચાલુ ધોરણે તેનું અદ્યતન બનાવવા અને નિભાવવા માટે જવાબદાર રહેશે.

પ્રધાનમંત્રી પરિષદ:

પાછળથી યુ.આઇ.ડી.એ.આઇ.સત્તાતંત્ર અંગેની પ્રધાનમંત્રી પરિષદ અનુસાર ૦ર જુલાઇ ર૦૦૯ના રોજ સરકારે શ્રી નંદન એમ. નિલેકણીને યુનિક આઇ ડેન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયાના પ્રારંભની પાંચ વર્ષની મુદત માટે મંત્રી પરિષદના મંત્રીના દરજ્જામાં નીમ્‍યા. શ્રી નિલેકણી ર૩ જુલાઇ ર૦૦૯ના રોજ અધ્‍યક્ષ તરીકે યુ.આઇ.ડી.એ.આઇ.માં જોડાયા. ભારતના યુ.આઇ.ડી.એ.આઇ.સત્તાતંત્રની પ્રધાનમંત્રી પરિષદની રચના ૩૦મી જુલાઇ ર૦૦૯ના રોજ કરવામાં આવી. મંત્રી/વિભાગો, હિતાધિકારીઓ અને ભાગીદારો વચ્‍ચે કાર્યક્રમ, પદ્ધતિ અને અમલ અંગે સંકલન સાધવા યુ.આઇ.ડી.એ.આઇ.ને સલાહ આપશે. આ પરિષદ દર ત્રણ મહિને એકવાર મળશે. યુ.આઇ.ડી.એ.આઇ.સત્તાતંત્રની પ્રધાનમંત્રી પરિષદની પ્રથમ બેઠક ૧ર ઓગસ્‍ટ ર૦૦૯ના રોજ મળી હતી. પ્રધાનમંત્રી પરિષદમાં લેવાયેલ મુખ્‍ય નિર્ણયો નીચે મુજબ હતા :

  • વિધાન માળખા માટેની જરૂરિયાત
  • વ્‍યૂહનેવ્‍યાપક મંજૂરી
  • ભાગીદારોનેઅંદાજપત્રીય સહાય
  • બાયોમેટ્રિકઅને વસ્‍તી વિષયક ધોરણો નિયત કરવાં.
  • યુ.આઇ.ડી.એ.આઇ.ના માળખાની રૂપરેખાને મંજૂરી
  • પર્સોનલ અને બીજા પ્રશ્નો પરત્વે અનુકૂલન
  • અધિકારીઓ પસંદ કરો, નિયુકત કરો અને પુનઃ નિયુક્ત કરો.
  • સરકારમાં સમાવવાનીયોગ્‍યતા
  • જગ્‍યાઓનુંબ્રોડબેન્‍ડિંગ
  • બજારમાંથી વ્‍યાવસાયિકોનીસેવાઓ મેળવવી
  • પી.આઇ.ઓની વૈશ્વિક સલાહકાર પરિષદ રચવી.
  • ઇન્ટર્નસઅને અન્ય વ્યવસાયિકનીવૈશ્વિક પ્રાપ્‍તિ

મુખ્ય મૂલ્યો

  • ભારત સરકારે રર ઓકટોબર, ર૦૦૯ના રોજ યુ.આઇ.ડી.એ.આઇ.સત્તાતંત્ર અંગે મંત્રી સમિતિ રચવાનો હુકમ કર્યો. તેના અધ્‍યક્ષપદે માન. પ્રધાનમંત્રી હોય છે. તે નાણા મંત્રી, કૃષિ મંત્રી, ગ્રાહકોની બાબત, અન્‍ન અને જાહેર વિતરણ મંત્રી, ગૃહ મંત્રી, વિદેશ મંત્રી, કાયદા અને ન્‍યાયમંત્રી, સંચાર અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી, શ્રમ અને રોજગાર મંત્રી, માનવ સંસાધન વિકાસ મંત્રી, ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજમંત્રી, આવાસન અને શહેરી ગરીબી નિવારણ મંત્રી અને પ્રવાસન મંત્રીની બનેલી હોય છે. જેમાં આયોજન કમિશનના ઉપાધ્‍યક્ષ અને યુ.આઇ.ડી.એ.આઇ.નાઅધ્‍યક્ષ ખાસ આમંત્રિત હોય છે. માન. પ્રધાનમંત્રીના અધ્‍યક્ષપદવાળી સમિતિનાં કાર્યો નીચે મુજબ રહે છે :
  • યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયાનેલગતા સત્તાતંત્રના ઉદ્દેશ સિધ્ધ કરવા અપનાવવાના થતા સંગઠન, યોજના, નીતિ, કાર્યક્રમો, યોજનાઓ, નાણાકીય વ્‍યવહાર અને પદ્ધતિ સહિતના પ્રશ્નો સંબંધિત હોય છે.
સ્ત્રોત: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથઓરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/3/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate