ઈશ્યુ બાબતમાં મોટા ભાગની ફરિયાદો રિફંડ કે એલોટમેન્ટ નહીં મળવા વિશેની અથવા રિફંડ કે એલોટમેન્ટ અથવા તેના પરનું વ્યાજ મળવામાં વિલંબને લગતી હોય છે. આ ફરિયાદો પોસ્ટ ઈશ્યુ લીડ મેનેજરને કરવાની હોય છે, જે આ ફરિયાદોનું નિરાકરણ કરવા રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરશે. જો વાજબી સમયની અંદર રોકાણકારને કોઈ જવાબ ન મળે તો રોકાણકાર સેબીને અથવા ઓફિસ ઓફ ઈન્વેસ્ટર્સ આસિસ્ટન્સને ફરિયાદ કરી શકે છે.
રોકાણકારો મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સ દ્વારા તેના ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ હેઠળ સ્પોન્સર કરાયેલી અને તેની સહાયથી ચાલતી વેબસાઈટ www.investorhelpline.in, પર પણ પોતાની ફરિયાદો નોંધાવી શકે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/30/2020