অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મધમાખીપાલન અપનાવો

મધમાખીપાલન અપનાવો

ગુજરાત માં વાઘરી લોકો મધપૂડામાંથી ધુમાડો કરીને ઉડાડ્યા પછી મધપુડાને ભીના કપડામાં મૂકી નીચોવીને મધ કાઢે છે,જેના લીધે મધની સાથે ઈંડા ,ઈયળો અને બચ્ચા પાન મરી જાય છે પરિણામે મધની સાથે મીણ,ઈંડા,ઈયળો અને બચ્ચાના શરીરનો કસ પાન આવે છે.જેથી ચોખ્ખું મધ મળતું નથી અને તેનો રંગ પણ કાળો જોવા મળે છે.આધુનિક અને વૈજ્ઞાનિક રીતે મધમાખી ઉછેરીને તેમાંથી મધ કાઢવામાં આવે તોતે શુધ્ધ,અર્ધપારદર્શક,પાતળુ અને સોનેરી રંગ નું હોય છે.

એક મધપૂડામાં એક જ રાણી હોય છે જે કદમાં સૌથી મોટી અને લાંબી પરંતુ ડંખ,પરાગપેટી કે મીણગ્રંથી ધરાવતી નથી.રાણી નર સાથે ઉડવાનું શરૂ કરીને ઉડતી ઉડતી સંભોગ કરે છે.ત્યારબાદ તે મધપુડો બનાવી પોતાના અંડનિક્ષેપક અંગ દ્વારા ઈંડા મુકવાનું ચાલુ કરે છે.રાણીનું કાર્ય ફક્ત ઈંડા મૂકવાનું હોય છે.મધપુડામાં બીજા અગત્યના કામદારો કે જે પરાગરજ અને મધુરસ ભેગુ રીતે તેમાંથી મધ તેમજ મીણ બનાવે છે. મધપૂડામાં ત્રીજા અગત્યના નર હોય છે જેની સંખ્યા ઓછી હોય છે અને તેને ડંખ ,પરગપેટી કે મીણ ગ્રંથી હોતી નથી. તેનું કાર્ય ફક્ત રાણીને ફલિત કરવાનું હોય છે.

મધમાખીઓના પ્રકાર

ભમરીયું મધ

ભારતમાં થતી મધ્માંખીઓમાં સૌથી મોટી અને તેને સ્થાનિક ભાષામાં સારંગમાખી તરીકે પાન ઓળખાય છે જે સપાટ મેદાનો તેમજ પહાડી પ્રદેશમાં ૧૨૦૦ મીટર ઊંચાઈ સુધી જોવા મળે છે.જે ઊંચા વ્રુક્ષો ,મોટા મકાનો પાણીની ઉંચી ટાંકીઓની નીચે મોટો લટકતો મધપૂળો બનાવે છે ,તેસ્વભાવે ખુબ ક્રોધી હોવાથી જલ્દી છંછેડાઈ જઈ ડંખ મારે છે તેમજ સ્થળાંતરકરવાની વૃતીવાળી છે. એક પૂડામાંથી વર્ષે ૨૫ થી ૧૦૦ કિલો મધ મળે છે. આમાખી ના સ્વભાવે લીધે ઘરગથ્થું અને વ્યાપારી ધોરણે ઉછેરવાની શક્ય નથી.

ડાળી મધ

આ મધમાખી ૫૦૦ મીટર ઉંચાઈ સુધી મળે છે અને ઝાડની ડાળીઓ દિવાલોના ખૂણા અને કૂવાની બખોલમાંનાનો લંબગોળ મધપૂડો બનાવે છે એક મધપૂડામાંથી ૨૦૦ ગ્રામ થી ૧.૫ કિલો મધ મળે છે.કદમાં નાની અને ઓછા પ્રમાણમાં મધ ભેગુ કરી શકે છે. ડંખ મારતી હોવાથીઆમાખીને પાળવી અનુકુળ નથી.

ઘુસ્યુમધ

આ માખી નાની ડંખ વગરની દિવાલ ઉપર કે ઝાડની બખોલમાં નાના ગોળ મધપુડા બાંધે છે .જેમાંથી ખુબ જ ઓછુ મધ મળે છે.આ માખો પાળવા માટે અનુકુળ નથી.

સાતપૂડીયું

આખા ભારતમાં આ મધમાખી જોવા મળે છે .આ માખીઓ મધ્યમકદની અને સ્વભાવે નમ્ર છે. સુરક્ષિત જગ્યાઓ જેવી કે ઝાડની બખોલ,કૂવા ની દિવાલ ,ગુફાઓ કે બંધ જગ્યાઓમાં એક કર્તા વધારે સમાંતર પૂડામાંથી મધ પ્રમાણમાં વધારે મળતુ હોવાથી ઘરગથ્થું ઉછેર માટે યોગ્ય છે. આ માખીઓને લાકડાની પેટીઓ બનાવીને ઉછેર કરી શકાય છે.વ્યાપારી ધોરણે તેનો ઉછેર કરી શકાય છે.

ઇટાલિયન મધમાખી

આ મધમાખીઓ કદમાં ભમરીયા મધ કર્તા નાની અને સાતપૂડીયા મધ કર્તા મોટી,રંગે ભૂરી,સ્વભાવે નમ્ર અને ખુબ જ પ્રમાણમાં મધ એકઠું કરે છે. મધ એકઠુ કરવા ખુબ જ દુર સુધી વારંવાર જાય છે. લાકડાની પેટીઓ બનાવીને તેને ઉછેર કરવો અનુકુળ છે .વર્ષ માં એક પુડામાંથી સરેરાશ ૩૦ કિલો અને વધારેમાં વધારે ૭૦ કિલો જેટલી મધ મળે છે.અને તેની  ગુણવત્તાપણ સારી  હોય છે.હાલમાં આ જાતિની માખીઓનો ઉછેર વ્યાપારી ધોરણે સારી રીતે કરી શકાય છે.

મધમાખી ઉછેર માટેની જરૂરિયાતો

મધપેટી

સારા લાકડામાંથી લંબચોરસ બનાવેલી પેટી કે જેમાં લગભગ દસ જેટલી લંબચોરસ લાકડાની ફ્રેઈમો મુકવામાં આવે છે .આ ફ્રેઈમોપર મધમાખી ના કામદારો મીણની સીટ બનાવી તેના પર મીણકોઠી ઓ તૈયાર કરી તેમાં મધ એકઠુ કરે છે.મધ પેટીઓ ને ઉપર છાપરીગોઠવીને તેના ઘણી વખત મળ પાન બનાવવામાં આવે છે. મધપેટીના માળમાં સૌથી નીચેના માળમાં રાણી હોય છે.કે જેથી તેના ઈંડા.યાદો તેમજ કોશેટાસૌથી નીચેના માળમાં રહે અને શુદ્ધ મધ ઉપરના માળમાંથી મળી રહે છે.

હાથમોજા

 

મધ પેટીઓનું સંચાલન કરતી વખતે તેનો ઉપયોગ થાય છે.

મીણ નો મધપૂડા આધાર

 

આ મધપુડા આધાર મધમાખીઓએ બનાવેલા અસલ મીણનેકોમ્બ ફાઉડેન્શન મશીનમાં પસાર કરીને તૈયાર કરવામાં આવે છે. નવો મધપુડોનિર્માણ કરવા માટે લાકડાની ફ્રેમ પરપાતળા તારની મદદથી તેને ચોટાડવામાં આવે છે ,જેના પર મધમાખી ઓ મીણ કોઠીઓ બનાવીને તેમાં મધ તથા પરાગરજ એકઠુ કરેછે. આ મધપુડા શીટને હુંફાળા પાણીથી ધોઈને સ્વચ્છ કાર્ય બાદ તેનો ઉપયોગ કરવો જોઈએ.

મધ કાઢવાનું યંત્ર

તેમાં એક મોટા પીપમાં મધપુડા ની  ફ્રેમને મુકવા માટેની વ્યવસ્થા હોય છે.આ ફ્રેમોને તેમાં મૂકી તેને ઝડપથી ફેરવવા માટે એક હેન્ડલ સાથે ગીયારની મદદથી જોડેલું હોય છે. પીપના નીચેના ભાગે એક મોટું કાણું હોય છે.જ્યાંથી મધ બહાર કાઢી શકાય છે.આ મશીન સ્ટેઈનલેસ સ્ટીલ કે ગેલ્વેનાઇઝ પતરામાંથી બનાવેલુંહોય છે.

ચેહરા રક્ષણ માટેની જાળી

આ જાળી માં કપડું તેમજ જાળીનો ઉપયોગ થાય છે .તેનો ઉપયોગ મધ પેટીઓનું નિરિક્ષણ, સાફસફાઈ અને અન્ય કામગીરી કરતી વખત ચહેરાને મધમાખી ઓનો ડંખ બચવા માટે થાય છે.

ધુમાડિયુ

સ્ટેનલેસ સ્ટીલ  અથવાગ્લવેનાઈઝના પતરામાંથી ગોળ ડબ્બા જેવું તેમજ તેના છેડે એક નાળચા જેવો આકાર આવેલ સાધન ને ધુમાડિયુ કહે છે. જેનો ઉપયોગ મધમાખીઓને શાંત કરવા માટે તેમાં કંતાનના કપડાનો ધુમાડો કરીને કરવામાં આવે છે.

રાણીને અલગ રાખવા માટેની જાળી

આ લોખંડ અથવા સ્ટીલ ના પાતળા સળિયા માંથી બનાવેલી જાળીની ફ્રેમ હોય છે.જેમાંથી રાણી પસાર થઇ શક્તિ નથી .તેને સૌથી નીચેની લાકડાની પેટી પર તે મુકવામાં આવે છે. આ જાળી મુકવાથી રાણી સૌથી નીચેની લાકડીની પેટીમાં રહીને ઈંડા મુકવાનું કાર્ય ત્યાં જ કરે છે.

છરી

લોખંડ અથવા સ્ટીલ નિ છરી ને ગરમ કરી મધ કાઢતી વખતે બંધ થયેલી મધકોઠી ઓ પર ફેરવીને મધકોઠીઓ ખુલ્લી કરીને મધ કાઢવા માટે તેનો ઉપયોગ થાય થાય છે.
ઉપર જણાવેલા અગત્યના સાધનો ઉપરાંત કોન્બ ફાઉન્ડેશન વાયર,થર્મોમીટર લેમ્પ,હથોડી,પક્કડ,વાસ્પ ટ્રેપ,બોટલોબોટલકેપીંગ મશીન વગેરેની જરૂર પડે છે.

મધમાખી ના દુશ્મનો

 

મધમાખીના દુશ્મનો પૈકી કીડી,મંકોડા,કાચીંડા અને ગરોળી મધ પેટીમાં પેસી જઈને મધ ખાઈ ને તેમજ મધમાખીઓને પણમરી નાખે છે.આ દુશ્મનો થી બચવા માટે મધ પેટીમાં સ્ટેન્ડ ના ચારેય પાયાની નીચે વાટકીઓમાં પાણી ભરીને મુકવું જોઈએ.શકરોબાજ અને કલીયોકોશી પણ મધમાખીઓને ખાઈ જાય છે.અમુક જાતની ભમરી ઓ પણ મધમાખીઓને ખાઈ જાય છે.ભૂતિયું ફૂંદુ મધપૂડામાંથી મધ ચૂસી જાય છે.પાનકથીરી મધમાખીના બાહ્ય પરજીવી તરીકે જીવન વિતાવીને નુકસાન પહોંચાડે છે. આ પાન કથીરી ના નિયંત્રણ  માટે સલ્ફર પાઉડર,લીમડાનું તેલ કે મેટારીઝીયમ એનીસોપ્સી નામની ફૂગ ઉપયોગી છે.મીણના ફૂંદાની ઈયળો મીણ ખાઈ જાય છે.આ ઉપરાંત ઘણા રોગો જેવા કે યુરોપિયન ફુલ બુડ, અમેરિકન,ફાઉલબુડ,સેક ફાઉલ બુડ,થઇ ફાઉલ બુડ,નોશીમાં,અમીબા,કલસ્ટરીંગ રોગો વગેરે પણમધ્માંખીમાં આવતા હોય છે જે માટે જરૂરી કાળજી લેવી આવશ્યકછે.

ગુજરાત માં મધમાખીઓને ઉપયોગી થાય તેવા પાકોનું કેલેન્ડર

ક્રમ

પાક

પૂષ્પકાળ

સ્ત્રોત

સુર્યમુખી

આખું વર્ષ

મધ અને પરાગરજ

બાજરા

જુન-સપ્ટેમ્બર

જાન્યુઆરી-જુન

પરાગરજ

મકાઈ

આખું વર્ષ

પરાગરજ

જુવાર

જુન-સપ્ટેમ્બર

જાન્યુઆરી-જુન

મધ

ધાણા

ફ્રેબુઆરી-માર્ચ

મધ અને પરાગરજ

મેથી

ડીસેમ્બર-જાન્યુઆરી

મધ અને પરાગરજ

લીમડો

માર્ચ-મે

પરાગરજ

રાયડો

ડીસેમ્બર-ફ્રેબુઆરી

મધ અને પરાગરજ

તુવેર

સપ્ટેમ્બર-જાન્યુઆરી

મધ અને પરાગરજ

૧૦

ગુજરાત ધાસ

જુન-સપ્ટેમ્બર

મધ

૧૧

નીલગીરી

જાન્યુઆરી-જુન

મધ અને પરાગરજ

૧૨

લીંબુ

ફ્રેબુઆરી-માર્ચ

મધ અને પરાગરજ

૧૩

મહુડો

એપ્રિલ-મે

મધ અને પરાગરજ

૧૪

બાવળ

સપ્ટેમ્બર-ઓકટોબર

મધ અને પરાગરજ

૧૫

તડબુચ

અપ્રિલ-મે

મધ અને પરાગરજ

૧૬

કપાસ

નવેમ્બર-ફ્રેબ્રુઆરી

મધ અને પરાગરજ

૧૭

ગલગોટો

જાન્યુઆરી-સપ્ટેમ્બર

મધ અને પરાગરજ

૧૮

ડુંગળી

જાન્યુઆરી-ફ્રેબુઆરી

મધ અને પરાગરજ

મધ ના ઉપયોગો

  • શુદ્ધ મધને આંખોમાં અંજવાથી આંજણી માટે છે.તેમજ આંખોમાંથી પાણી નીકળે જતા સ્વચ્છ થઇ જાય છે.
  • મધનો ઉપયોગ હદય,મગજ અને ફેફસા માટે ફાયદાકારક છે.
  • શુદ્ધ મધને લીંબુ સાથે નરણા કોઠે લેવાથી મેદસ્વીતા ઘટે છે.
  • શુદ્ધ મધને દૂધ સાથે લેવાથી વજન વધે છે
  • ગળાની બળતરામાં મધ લેવાથી બળતરા ઘટે છે.
  • શરીર પર પડેલા ઘા કે બળી ગયેલ ચામડી પર લગાવાથી રાહત થાય છે.
  • શરીરમાં લોહી સાથે ભળીને લોહીનું પરિભ્રમણ વધારે છે.અને આયુષ્યમાં વધારો થાય છે.
  • મધને દૂધ સાથે મિશ્ર કરી બાળકોને ખવડાવવાથી બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ વિકસે છે.
  • ચહેરા પર મધ લગાડવાથી ખીલ મટે છે.ચહેરા પરની ચામડી લીસી અને ચમકદાર બની ચહેરો સુંદર લાગે છે.
  • શુદ્ધ મધ ખાવાથી શરીરમાં તાજગી અને શક્તિ આવે છે.
  • મધને પાણી સાથે ઓગળીને પીવાથી સ્ફૂર્તિ આવે છે.તેમજ માથનો દુખાવો પણ દૂર થાય છે.

મધમાખીઓનો પરાગ નયન તેમજ પાક ઉત્પાદન વધારવામાં ફાળો

મધમાખીઓ મોટાભાગનાપાકોમાં પરાગનયનની ક્રિયા કરતી હોય છે.અને જેના લીધે બીજ ઉત્પાદન વધે છે,તેની સાથે સાથે બીજ પણ મોટા અને વજનદાર બને છે.બીજનીભ્રુણ સ્ફુરણશક્તિ,ફળોમાં સુગંધ અને પોષકતત્વો,વિવિધ પાકોની વૃદ્ધિ,લીલાચારાનું ઉત્પાદન.ફૂલોમાં મધનું પ્રમાણ ,રોગ જીવત સામે પાકમાં પ્રતિકારક શક્તિ અને તેલી પાકોમાં તેલનું પ્રમાણ વધે છે.મધ,આખી ને લીધે ખાસ કરીને પરાગનયન જે પાકોમાં થાય છે તેના લીધે ઉત્પાદનમાં ઘણો વધારો થતો હોય છે.આં ગુજરાતના ખેડૂતોએ મધમાખી પાલનનો વ્યવસાય અપનાવીને પુરક આવક મેલ્ચીને સાથે સાથે પાક ઉત્પાદન પણ વધારવું જોઈએ.

મધમાખી પાલન કરતી વખતે રાખવાની કાળજી

  1. મધમાખી પાલન કરતાપહેલા પરાગનયન અને મધ પુષ્કળ પ્રમાણમાં પૂરતા પડતા પાકોનું આખા વર્ષ દરમિયાન સતત વાવેતર કર્તા રહેવું જોઈએ.
  2. મધમાખીઓ જે પાકોમાં મુલાકાત લેતી હોય તે પાકો પર જંતુનાશક દવા નો છંટકાવ સંપૂર્ણપણે ટાળવો.
  3. મધમાખીની પેટીઓઠંડકવાળી જગ્યાએ રાખવાથી ખાસ કરીને નીલગીરી કે અન્ય વ્રુક્ષો ણોછાયામાં મુકવી.
  4. મધમાખી નિ પેટીઓ જ્યાં રાખી હોયતે જગ્યા બરાબર સાફ રાખવી.
  5. પેટીઓનું દરરોજ સવારે એક વખત નિરિક્ષણ કરી પેટીની સાફસૂફી તેમજ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવી.
  6. મધ અને પરાગરજ પુરા પડતા પાકો જયારે પૂરતા પ્રમાણમાં હોય ત્યારેખાંડ ની ચાસણી મુકીનેમધમાખીઓને ખોરાક પૂરો પડવો જોઈએ.
  7. મધ પેટીમાં પાનકથીરીનો ઉપદ્રવ જોઅવા મળે તો સલ્ફર પાઉડરનો છંટકાવ કરવો.
  8. જે મધપેટીમાં રોગ લાગેલ હોય તેને અલગ તારવી રોગ નિયંત્રણ પગલાં અપનાવવા.
  9. શિયાળામાં ખુબ જ ઠંડી પડે ત્યારે રાત્રે મધ મેટીપર કંતાન ઢાંકવું અને સવારે તે લઇ લેવું.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate