લીંબુના પાકમાં બહારની માવજત આપવાથી વધારે ઉત્પાદન મેળવી શકાય છે. લીંબુના પાકમાં જો કોઈ ખાસ સમયે વિશેષ માવજત આપવામાં ના આવે તો આખા વર્ષ દરમ્યાન વત્તા-ઓછા પ્રમાણમાં ફૂલો આવીને ફળ મળ્યા કરે છે પરંતુ મુખ્યત્વે ફૂલ અને ફળ આ કોઠામાં દર્શાવ્યા પ્રમાણે આવે છે. ફૂલ આવવાનો સમય ફળ મળવાનો સમય આખા વર્ષના કુલ ઉત્પાદનના કેટલા ટકા ફળ મળે છે જાન્યુઆરી-ફેબ્રુઆરી જુલાઈ થી સપ્ટેમ્બર(ચોમાસુ) ૬૦ મે-જૂન ઓક્ટોબર થી જાન્યુઆરી(શિયાળો) ૩૦ ઓક્ટોબર-નવેમ્બર ફે બ્રુઆરી થી મે (ઉનાળો) ૧૦ આમ ઉનાળા દરમ્યાન ફક્ત ૧૦ ટકા જેટલા જ ફળો મળે છે. ઉનાળામાં લીંબુની માંગ વધુ હોય છે અને બજારભાવ પણ ઉંચા રહે છે. આની સામે ચોમાસા દરમ્યાન પુષ્કળ ઉત્પાદન મળે છે ત્યારે બજારભાવ ઓછા મળે છે. આવા સંજોગોમાં જો લીંબુના પાકને ફૂલો આવવાના સમયમાં ફેરફાર કરી ઉનાળાના સમય દરમ્યાન વધારે ઉત્પાદન મેળવી શકાય તો લીંબુની ખેતી વધારે નફાકારક બનાવી શકાય.આવી પરિસ્થિતિ નિર્માણ કરવા માટે ઓક્ટોબર-નવેમ્બર માસમાં વધુ ફૂલો લાવવા જરૂરી છે. આ માટે ચોમાસું પુરૂં થયા બાદ વાડીને ખેડી ગોડી નાખવી અને જમીનને ૨૦ દિવસ સુધી તપવા દેવી. સૂકી અને રોગિષ્ઠ ડાળીઓ કાપી દૂર કરવી અને બોર્ડોમિશ્રણનો છંટકાવ કરવો. વીસ દિવસ બાદ ભલામણ પ્રમાણે ખાતરો આપી હળવું પિયત આપવુ જેથી ફૂલો આવવાની શરૂઆત થશે. ઘણી વખત આવી માવજત આપ્યા બાદ વધારે વનસ્પતિક વૃધ્ધિ થવાથી ફૂલો આવતા નથી. આવા સંજોગોમાં ૧૦ પી.પી.એમ., ૨,૪-ડી અથવા ૫૦ પી.પી.એમ., એન.એ.એ. નો ૧ ટકા યુરિયાના દ્વાવણ સાથે છંટકાવ કરવો. વધુમાં લીબુંના ફળો બરાબર બેસી ગયા બાદ ૨ ટકા યુરિયા સાથે ૨૦ પી.પી.એમ., એન.એ.એ.ના ૧ થી ૨ છંટકાવ કરવાથી ફળનું ખરણ ઘટે છે અને ફળના કદ અને વજનમાં વધારો થાય છે. લીબુંના પાકમાં ઉનાળામાં વધારે ફળો લેવા ફૂલ આવવાના સમયમાં ફેરફાર કરવા આણંદ કેન્દ્ર ખાતે થયેલ સંશોધનના પરિણામો દર્શાવે છે કે ફૂલના સમયમાં ફેરફાર થયેલ નથી પરંતુ પુખ્ત વયના ઝાડને ૨ ગ્રામ કલ્ટાર (ક્રિયાશીલ) ઓક્ટોબર માસમાં થડ થી ૩૦ સે.મી. દૂર આપવાથી ઉત્પાદનમાં (૩૫.૩૮ ટ્ન/હેક્ટર) વધારો થાય છે.જ્યારે ફળ સંશોધન કેન્દ્ર દહેગામની ભલામણ પ્રમાણે સપ્ટેમ્બર- ઓક્ટોબર માસમાં ૫૦૦ પી.પી.એમ. સાયકોસેલના ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવાથી લીંબુના ફળ ૨૦ દિવસ વહેલા તૈયાર થાય છે.
પાણી નિયમીત આપવું તેમજ ૧૦ લીટર પાણીમાં ર૦ થી ૩૦ ગ્રામ બોરેક્ષા પાઉડર ઓગાળી છંટકાવ કરવો.
આ માટે નીચે મુજબની માવજત વર્ષમાં ત્રણ વખત એટલે કે ચોમાસા પહેલા, ઓગષ્ટમાં અને ડિસેમ્બરમાં આપવી.
આ જીવાતના નિયંત્રણ માટે ખાસ કરીને નર્સરીમાં રોપા પર તેમજ બગીચામાં લીંબુના ઝાડ પર ફોસ્ફામીડોન ૩ મિ.લિ. અથવા ડાયમોથીએટ ૧૦ મિ.લિ. અથવા મીથાઈલ-ઓ-ડીમેટોન ૧૦ મિ.લિ. દવા પૈકી કોઈ પણ એક દવાનો છંટકાવ ૧૦ લિટર પાણીમાં ભેળવીને જયારે જયારે ઉપદ્રવ જણાય ત્યારે દર ૧પ દિવસના અંતરે કરવાથી આ જીવાતનું અસરકારણ નિયંત્રણ મળે છે. લીમડા અથવા નફફટીયાના પાનના ૧૦% દ્રાવણનો છંટકાવ કરવો.
સ્ત્રોત: I-ખેડૂત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/27/2020