આપણા દેશમાં મેથીના બે પ્રકાર જોવા મળે છે.
ચંપા મેથીનું વાવેતર મોટે ભાગે દેશના ઉત્તર અને પૂર્વના મેદાની વિસ્તારોમાં કરવામાં આવે છે. જયારે દેશી મેથી તો દેશના દરેક રાજયમાં ઉગાડવામાં આવે છે. હાલમાં મેથીની ખેતીમાં ઉત્તર પ્રદેશ અગ્રતાક્રમ ધરાવે છે.
મેથીના વાવેતર માટે નવેમ્બર માસના પ્રથમ પખવાડીયાનો સમયગાળો વધારે યોગ્ય છે. ખેડૂતો મેથી જેવા અગત્યના પાકમાં મર્યાદિત પિયત વડે પણ ખેતીને નફાકારક બનાવી શકે છે. જેને માટે સ્થાનિક જાતો કરતા વધારે ઉત્પાદન આપતી સુધારેલી જાતો બહાર પાડવામાં આવે છે. સ્થાનિક જાત કરતા ૭.૧૩% સુધી વધારે ઉપજ આપતી ગુજરાત-૧ જેવી સુધારેલ જાતો હેકટર દીઠ સરેરાશ ૧૮૬૦ કી.ગ્રા. મેથી દાણાનું ઉત્પાદન આપે છે. આ માટે ૧પ થી ર૦ કી.ગ્રા. પ્રતિ હેકટર બીયારણનો દર રાખી રપ થી ૩૦ સે.મી. ના અંતરે બે લાઇનની વાવણી કરવી જોઈએ. હેકટર દીઠ ર૦ કી.ગ્રા. નાઇટ્રોજન અને ૪૦ કી.ગ્રા. ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવું. મેથીના પાકમાં પ્રતિ હેકટરે ૧૦ કિલો ગંધક પાયાના ખાતર તરીકે આપવાથી ૮% જેટલું ઉત્પાદન વધારી શકાય છે.
પહેલું પિયત વાવણી વખતે જયારે બીજા પિયત જરૂર મુજબ પંદર થી વીસ દિવસના અંતરે આપવા. વધુ ઉત્પાદન લેવા માટે મેથીના પાકને પ થી ૭ પિયત આપવા જરૂરી છે. મેથીના પાકને કૂવારા પદ્ધતિ એ પિયત આપવાથી ૩૪% વધુ ઉત્પાદન મળે છે. ઉપરાંત પાણીનો પણ ર૮% બચાવ થઇ શકે છે. મેથીનું ઉત્પાદન ન ઘટે તે માટે કુલ આવવા, શીંગ આવવી, દાણા બેસવાની શરૂઆત થવી અને દાણાનો વિકાસ થવાની અવસ્થાએ ચોકકસ પિયત આપવું. પાકને ભૂકી-છારા રોગથી બચાવવા માટે વાદળછાયા કે ઝાકળ વાળા વાતાવરણમાં પિયત આપવું ઇચ્છનીય નથી.
ભુકી-છારો કે સફેદ ફૂગ અટકાવવા માટે વાવણી બાદ ૪૦ થી ૪૫ દિવસે થતા પહેલા ૩૦૦ મેશ ગંધકની ભુકી રપ કીલો/હેકટરે ઝાકળના સમયે છાંટવી, રોગના વધુ ઉપદ્રવમાં ૧૦ લીટર પાણીમાં રપ ગ્રામ દ્રાવ્ય ગંધકનો ઝાકળ ઉડી ગયા પછી છટકાવ કરવો.
શેઢાપાળા-ઢાળીયાને નિંદણમુકત રાખવા. નિંદણમુકત બીજ વાપરવું, ઉભા પાકમાં આાંતર ખેડ કરવી, હાથથી નિંદામણ કરવું તેમજ પેન્ડીમેથાલીન નો ઉપયોગ કરવો.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020