આમ ખેત ઉત્પાદનના રૂપાંતર અને મૂલ્ય વૃધ્ધિથી ઘણા ફાયદાઓ મેળવી શકાય છે.
કૃષિ પેદાશો આધારીત મૂલ્ય વૃધ્ધિ સામાન્ય રીતે ભૌતિક તથા રસાયણિક સ્તરે કરવામાં આવે છે.
સામાન્ય રીતે ખેત પેદાશોના ભૌતિક બંધારણમાં ફેરફાર કરી તેની વધારે કિંમત મેળવી શકાય તેવી સ્થિતિમાં તબદીલ કરી શકાય છે. જેમ કે, સુકવણી, કલીનીંગ, ગ્રેડીંગ, કયોરીંગ, છડવું, મસળવું, ભરડવું, ખાંડવું, દળવું, શેકવું, મીકસીંગ, ફોર્ટી ફીકેશન,પેકેજીંગ, સંગ્રહ, પરિવહન, વહેંચણી વગેરે. આ પ્રક્રિયાઓને પ્રાથમિક પ્રોસેસીંગ પણ કહે છે.
પાકની તૈયાર કરવાની સાંકળમાં સુકવણીની પ્રક્રિયા એક અગત્યની ક્રિયા છે. પાકની યોગ્ય સુકવણી તેને ઉગતી તેમજ તેના ઉપર થતા ફુગ અને બેકટેરીયાના વિકાસને અટકાવે છે. તેમજ દાણા પરના જીવજંતુના આક્રમણને ઘટાડે છે. પાકની કાપણી સમયે જો ભેજ યોગ્ય પ્રમાણ કરતા વધુ હોય અને જો યોગ્ય સુકવણી ન થાય તો ફુગ તેમજ જીવજંતુથી પાક બગડે છે અને જો ભેજનું પ્રમાણ ઓછું હોય તો ઉભા પાકમાંથી દાણા ખરી પડે છે. અને ઉત્પાદનમાં નુકસાન થાય છે. આજ રીતે મસળવાની પ્રક્રિયા સમયે વધુ ભેજ યોગ્ય થ્રેસીંગ પ્રક્રિયા થવા દેતો નથી. તેમજ ઓછો ભેજ તિરાડ પાડવાની શકયતા ઉભી કરે છે. જેને પરીણામે દાણા તુટી જાય છે. ધાન્ય પાકોની સુકવણી, ખુલ્લા તડકામાં ગરમ હવા ધ્વારા કે કુદરતી હવા ધ્વારા કરી શકાય છે.
મોટાભાગના ખેડૂતો ધાન્યપાકોની સુકવણી સૂર્યના તડકામાં ખુલ્લા ખેતરોમાં પાથરીને કરતા હોય છે. આમ પાકને સુકવવા માટે મોટી જગ્યાની જરુર પડે છે અને મજુરીનો ખર્ચ વધુ ઉંચો આવે છે. આ ઉપરાંત ખુલ્લામાં સુકવવાથી પાકની સુકવણીનાં દર પર નિયંત્રણ ન રહેવાથી દાણાઓમાં તિરાડ પડે છે. તેમજ વરસાદ આવે તો પાક બગડવાનો સંભવ રહે છે. ધૂળ કે કચરો પડવાથી પાકની ગુણવત્તામાં પણ ઘટાડો થાય છે. પાકને પશુ–પક્ષીઓથી નુકસાન થાય છે. આ પધ્ધતિમાં લગભગ પ થી ૧ર ટકા સુધી નુકસાન વેઠવું પડે છે.
આ પ્રકારની સુકવણીમાં હવાને ગરમ કરવામાં આવે છે. ગરમ કરેલ હવા ધાન્યપાકોના સંપર્કમાં લાવવામાં આવે છે. જેથી પાકનો ભેજ ઉડી જવાય છે. આ ગરમ હવાને સામાન્ય દબાણે અથવા તો બ્લોઅર ધ્વારા વધુ દબાણે સુકવણી કરવાના પાકના થરમાં દાખલ કરવામાં આવે છે. સામાન્ય રીતે હવાને ગરમ કરવા માટે ખનીજતેલ, ખેત ઉપપેદાશો અથવા સૂર્યઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. ગરમ હવાના ઉષ્ણતામાનનો આધાર પેદાશોના પ્રકાર તથા તેના છેવટના ઉપયોગ પર આધાર રાખે છે.
આ પધ્ધતિમાં સુકવણીનો દર ધીમો હોય છે. આ પધ્ધતિમાં કુદરતી હવા (રપ થી ૪૦ સે. તાપમાન) ને સંગ્રહીત ધાન્યપાકોમાંથી પસાર કરી સુકવણી કરવામાં આવે છે. હવાને સામાન્ય દબાણે અથવા તો બ્લોઅર ધ્વારા વધુ દબાણે દાખલ કરવામાં આવે છે. આ પધ્ધતિનાં ફાયદાઓમાં સુકવણી દરમ્યાન બગાડ થવાની શકયતા ઓછી હોય, ધાન્યપાકોની ઉચ્ચ ગુણવત્તાની જાળવણી સાધનોની ખરીદ કિંમત ઓછી તેમજ ઉર્જા અને મજુરી ખર્ચ ઓછું આવવા વગેરે ગણી શકાય. પરતું કેટલાક ગેર ફાયદાઓ પણ છે. જેમાં સુકવણી હવામાન પર આધારીત હોવાથી અનિયમિતતા તથા સુકવણીનો દર ઓછો હોવાથી સમયનો બગાડ વગેરે મુખ્ય છે. આ પધ્ધતી ધ્વારા અનુકૂળ પરિસ્થિતીમાં લગભગ એક કલાકમાં ૧૦ ટન અનાજમાંથી ૪ ટકા ભેજ દૂર કરી શકાય છે.
પાતળા પડમાં સુકવણી ર૦ સે.મી.થી ઓછી જાડાઈનાં પડમાં પાથરી સુકવણી કરવામાં આવે છે. પેદાશની સમગ્ર સપાટી સુકવણીના માધ્યમનાં સંપર્કમાં આવે છે અને એક સરખી સુકવણી થાય છે.
પાકને ર૦ સે.મી.થી વધારે જાડાઈના થરમાં સુકવવામાં આવે છે. સમગ્ર પાકની સુકવણી એક સરખી ન થતાં જુદા જુદા પડોમાં થાય છે. આથી જે પડ હવાનાં સીધાજ સંપર્કમાં આવે છે. તેની સુકવણી ઝડપથી થાય છે. આથી નીચેના તળીયાના પડની સુકવણી વધુ પડતી થઈ જાય છે. જયારે ઉપરના પડની સુકવણી થતી નથી. આ પ્રકારની અનિયમિતતા દૂરકરવા માટે હવાનું તાપમાન ઓછું જોઈએ તથા પડની જાડાઈ ૪પ સે.મી. કરતા વધુ, શકય હોય ત્યાં સુધી, રાખવી જોઈએ નહી.
ધાન્ય પાકમાંથી દબાણ દવારા હવા પસાર કરવાથી ધાન્ય સિવાયની વસ્તુઓ જેવી કે ડાખરાં, પાંદડાં, કાંકરા તેમજ કચરાને દૂર કરવાની પ્રક્રિયાને દાણા સાફ કરવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. હાલમાં અનાજને સાફ કરવા માટેની નીચેની પધ્ધતિઓ પ્રચલિત છે.
અનાજને સાફ કરવામાં તેમજ સારી ગુણવત્તાવાળી પેદાશ મેળવવા માટે અન્ય પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.
અનાજમાંથી શરુઆતની સાફ કરવાની પ્રક્રિયામાં જયારે મોટા ડાંખરાઓને દૂર કરવામાં આવે છે ત્યારે આ પ્રક્રિયાને સ્ક્રેપીંગ કહેવામાં આવે છે.
સ્ક્રેપીંગની પ્રક્રિયા બાદ છુટા પાડવામાં આવેલ અનાજને તેની ગુણવત્તા પ્રમાણે અથવા કલર, સાઈઝ, આકાર, ઘનતા, બંધારણ પ્રમાણે જુદી પાડવાની ક્રિયાને સોર્ટીંગ કહેવામાં આવે છે.
વ્યાપારીક ધોરણે મુલ્યાંકન અથવા ઉપયોગ માટે અનાજના અલગ અલગ વર્ગ પાડવામાં આવે છે તેને ગ્રેડીંગ કહેવામાં આવે છે. સોર્ટીગ અને ગ્રેડીંગ માટે જરુરીયાત મુજબ દાણાના જુદી જુદી વિશિષ્ટ ઘનતા વડે અલગ કરવાની ક્રિયા, હવા ફેકવાથી દાણા અલગ કરવાની ક્રિયા, ઈલેકટ્રીક ગુણધર્મ વડે દાણા સાફ કરવાની ક્રિયા તેમજ કલર સોર્ટીગ જેવી પધ્ધતિઓ અપનાવવામાં આવે છે. પ્રોસેસીંગ તેમજ વ્યાપારીક કક્ષાએ પણ સારી રીતે સાફ કરેલ અનાજની માંગ વધતી જાય છે. પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રીઝમાં પણ જુદા જુદા મીલીંગ મશીનની ક્ષમતાનો આધાર પણ અનાજની સ ફાઈ પર રાખે છે. દાણા સાફ કરવા આધુનિક સાધન (કલીનર) હોવુ જોઈએ જે બધાજ પ્રકારનો કચરો એટલે કે બીન જરુરી પદાર્થો, અપરીપકવ દાણા તેમજ કાંકરાને સારી રીતે દૂર કરી શકે તેવુ હોવુ જોઈએ. ગ્રેઈન કલરની વધુ કાર્યક્ષમતા મેળવવા માટે તેમાં વાઈબ્રેટર સીવ, એર ફલો સેપરેટર, મેગ્નેટીક યુનિટ જેવા એકમો હોવા જોઈએ.
ફળ–શાકભાજી પર પ્રક્રિયા કરી તેમાં પ્રીઝર્વેટીવ ઉમેરી કે થર્મલ પ્રોસેસીંગ ધ્વારા જામ, જેલી, અથાણા, કેચપ, સોસ, મુરબ્બા, જયુસ, પલ્પ અથવા તો કટકા કરી પ્રક્રિયા આપ્યા બાદ ડબામાં પેક કરી લાંબો સમય સાચવી શકાય છે. જેથી સ્વાદિષ્ટ અને પોષણાત્મક બનાવટો મળે છે અને બગાડનુ પ્રમાણ પણ ઓછુ કરી શકાય છે. તેજ રીતે તેલીબિયા પાકોમાંથી તેલની સાથે પ્રોટીન તેમજ અન્ય તત્વો છુટા પાડી તેમાંથી વધારાની આવક ઉભી કરી શકાય, મરીમસાલામાંથી ઉડયનશીલ તેલ તેમજ ઘઉ, મકાઈ, ડાંગરનું ભુસુ વગેરેમાંથી પણ તેલ અને બીજા રાસાયણિક તત્વોને છુટા પાડી તેની કિંમત મેળવી શકાય. આવી કૃષિ પેદાશોમાં રાસાયણિક ફેરફાર કરી તેને અન્ય મુલ્યવાન બનાવટોમાં રુપાંતરીત કરી શકાય છે.
ફળ–શાકભાજીનો સાદા શીતાગૃહ કે નિશ્ચિત વાતાવરણ ઉત્પન્ન કરી શકે તેવા શીતગૃહમાં સંગ્રહ કરવાથી બગાડનું પ્રમાણ અટકાવવાની સાથે લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકે છે.
અસરકારક અને સારા પેકેજીંગ ધ્વારા સંગ્રહ,પરીવહન કે અન્ય પ્રક્રિયા દરમ્યાન થતુ નુકસાન અટકાવવાની સાથે તેમાં થતાં ઘટના પ્રમાણને નિયંત્રિત કરે શકાય છે તથા આકર્ષક દેખાવ હોવાથી વહેચણી પણ ઝડપથી અને ઉચી કિેંમતે થાય છે.
કઠોળમાંથી સામાન્ય રીતે દાળ કે બેસન(લોટ) મેળવવામાં આવે છે. અમુક જાતના આખા કઠોળનો સીધો પણ ઉપયોગ કરાય છે. વળી આવા કઠોળને પાણીમાં ભીંજવી, સુકવી તળી અને મરી મસાલા યુકત નાસ્તાની આઈટમ તરીકે પણ ઉપયોગ કરી શકાય (મગ, ચણા, ચોળી વગેરે). જયારે ચણા જેવા કઠોળને શેકી મસાલા સાથે અથવા મસાલા વગર પણ સીધો જ ઉપયોગ કરાય છે. દાળ બનાવવા માટે જો આધુનિક પધ્ધતિઓ અને રીતોનો ઉપયોગ કરવામાં આવે તો દાળની રીકવરી તથા કવોલીટી સારી મળે છે.
ડાંગરમાંથી ચોખા મેળવવાની રીત જુની તથા પ્રચલિત છે. જો રાઈસ હલરની જગ્યાએ રબર રોલર શેલીંગ યુનિટનો ઉપયોગ કરવામાં આવે તો ભાંગતુટ વગરના ચોખા મળે છે વળી ભુસુ પણ યોગ્ય સ્થિતિમાં મળતા તેમાથી તેલ કાઢી તેનો ઔધોગીક સ્તરે ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત ચોખા, મકાઈ, ઘઉ વગેરેમાંથી પૈાવા કે મમરા પણ બનાવી ગ્રામ્ય સ્તરે રોજગારીની તકો ઉભી કરી શકાય. ઘઉ જેવા ધાન્ય પાકોમાંથી પણ તેનો લોટ, મેદો, સુજી, રવો, વિટામીન–ઈ યુકત તેલ, ગ્લુટેન, સ્ટાર્ચ છુટાપાડી તેમાંથી વધારાની આવક મેળવી શકાય. મકાઈ માંથી પણ ઘણા બધા મૂલ્ય વર્ધક બનાવટો મેળવી શકાય છે જેમકે મકાઈનુ તેલ, પૈાવા તથા અન્ય નાસ્તાની બનાવટો, પીંણા, ચોકલેટ, સ્ટાર્ચ, સોરબીટોલ, ડેકસટ્રોઝ, સાઈટ્રીક એસીડ વગેરે. આજ રીતે જુવાર અને બાજરા જેવા ધાન્ય પાકોમાંથી પણ વિવિધ પદાર્થો મેળવવામાં આવે છે.
મગફળી જેવા કિંમતી તેલીબિયાંમાંથી તેલ ઉપરાંત તેનું ગ્રેડીંગ કરી એચપીએસ દાણા તરીકે નિકાસ કરી શકાય અથવા તેમાંથી શેકેલ શીંગ, ખારીશીંગ કે તેને તળી મસાલાયુકત શીંગ બનાવી શકાય. તેલ કાઢયા બાદ નીકળતા કેકમાંથી પ્રોટીન છુટુ પાડી તેનું પણ વધારાનું મૂલ્ય મેળવી શકાય છે. તદૃઉપરાંત તેમાંથી દુધ, માખણ, પનીર, દહીં તેમજ અન્ય દુધ યુકત બનાવટો પણ બનાવી શકાય છે. જેનો સીધી કે આડકતરી રીતે ચોકલેટ, બીસ્કીટ વગેરેની બનાવટમાં ઉપયોગ થાય છે.
એજ રીતે અન્ય ખાધ્ય તેલીબિયાંમાંથી પણ પ્રોટીન, વેજીટેબલ ઘી તેમજ અન્ય બનાવટો બનાવવામાં આવે છે. વળી એરંડા જેવા અખાધ્ય તેલીબિયાંમાંથી ઘણી જાતના રસાયણો મેળવવામાં આવે છે. જેની વધારાની કિંમત મેળવી શકાય છે.
મસાલાના પાકોને મસાલામાં ફેરવી વ્યંજન તરીકે વાપરવા ઉપરાંત તેમાંથી ઓલીયોરેઝીન કે ઉડૃયનશીલ તેલ ખેંચી તેમાથી વધારાની આવક મેળવી શકાય છે. તદૃઉપરાંત ઈસબગુલ જેવા
ઔષધીય પાકો વ્યવસ્થિત પ્રોસેસીંગ અને ગ્રેડીંગ કરી ઔષધીય બનાવટોમાં ફેરવી કે નિકાસ કરી મૂલ્ય વૃધ્ધિ કરી શકાય છે.
ફળ–શાકભાજી ઝડપથી બગડી જતી કૃષિ પેદાશો હોઈ તેમાં બગાડનું પ્રમાણ વધારે જોવા મળે છે. તેનું કેનીંગ કરી રસાયણ સાથે ડબામાં પેક કરી કે તેમાથી રસ કે પલ્પ કાઢી રસાયણ સાથે અથવા થર્મલ પ્રોસેસીંગ ધ્વારા પ્રોસેસ કરી પેક કરી લાંબો સમય સાચવી શકાય છે. જેનો સરબત, પીંણા, આઈસ્ક્રીમ વગેરેની બનાવટોમાં ઉપયોગ કરી શકાય. તેજ રીતે તેના કટકા કરી સૂકવી કટકાના કે પાવડરના સ્વરુપમાં વપરાય છે.
આમ દરેક કૃષિ પેદાશો ને પરંપરાગત રીતે વાપરવાની સાથે જો તેને મૂલ્યવર્ધક બનાવટોમાં રુપાતરીંત કરવામાં આવે તો તેમાંથી મળતું આર્થિક વળતર અનેક ગણું વધી જાય છે. જેનો ફાયદો ખેડૂત, પ્રક્રિયક (પ્રોસેસર) તથા ગ્રાહકોને મળે તેમ છે.
સૌરાષ્ટ્રની વૈવિધ્યપૂર્ણ સમતોલ આબોહવા, જમીન અને ખેડૂતોની આગવી સમજ, પુરૂષાર્થ અને કોઠાસુઝને પરિણામે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનેકવિધ કૃષિ પેદાશોનું ઉત્પાદન લેવામાં આવે છે. આમાં મગફળી, તલ, ડુંગળી, લસણ, ચણા, એરંડા, જીરૂ, કેળા, કેરી ચીકુ, પપૈયા વગેરે ગણાવી શકાય. વળી આમાના અમુક પાકોના ઉત્પાદનમાં સૌરાષ્ટ્ર રાજય, દેશ તથા દૂનિયામાં મોખરાનું સ્થાન ધરાવે છે.
મગફળી આધારીતઃતેલ,મગફળીના દાણામાંથી દૂધ,માખણ,પનીર,ખારીસીંગ, શેકેલ સીંગ, એચ.પી.એસ. ખોળ, ચીકી વગેરે બનાવવાના
લેખ : શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ
સ્ત્રોત: કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020