অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રજકો

રજકો

જમીન

સારા નિતારવાળી ગોરાડું, બેસર અને મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે.

 

જમીનની તૈયારી

:ટ્રેકટર અથવા હળથી જમીન બરાબર ખેડી, આડો  ઉભો કરબ ફેરવી, ઢેફાં ભાગી સમાર મારી સમતળ કરવી. આમ કરતી વખતે હેકટરે ૧૦  નટ     છાણિયું ખાતર નાખી બરાબર ભેળવી યોગ્ય માપના કયારાઓ તૈયાર કરવાં.

 

સુધારેલી જાતો

જીએયુએલ૧(આણંદર),જીએયુએલર,(એસએસ૬ર૭), આણંદ રજકો ૩.

બીજનો દર

બિયારણનો દર એક હેકટરે ૧૦ થી ૧પ કિલો રાખવો.

વાવણી સમય

રજકાના બીજની વાવણી નવેમ્બરના બીજા અઠવાડિયા દરમ્યાન કરવી.

વાવણી અંતર

બે હરોળ વચ્ચે રપ સે.મી.ના અંતરે વાવણી કરવી. વાવતા પહેલાં બીજને રાઈઝોબીયમ કલ્ચરનો પટ આપવો.

ખાતર

વાવણી વખતે પાયામાં હેકટરે ર૦ કિલોગ્રામ નાઈટ્રોજન, પ૦ કિલોગ્રામ ફોસ્ફરસ                          અને પ૦ કિલોગ્રામપોટાશ આપવો.

પિયતઃ

વાવણી પછી પ્રથમ પિયત તુરત જ હળવું આપવું. બીજુ પિયત એક અઠવાડિયે આપવું અને ત્યારબાદ શિયાળામાં ૧૦ થી ૧ર દિવસે અને ઉનાળામાં ૭ થી ૮ દિવસના અંતરે પિયત આપવું.

પાછલી માવજત

જરૂરિયાત મુજબ નીંદામણ કરવું. રજકાની વાવણી બાદ ૧૦ દિવસે પેન્ડીમીથાલીન (૩૦ ઈ.સી.) દવા પ૦૦ ગ્રામ પ્રતિ હેકટરે પ૦૦ લીટર પાણીમાં ઓગાળી છાંટવાથી આંતરવેલનું અસરકારક નિયંત્રણ થાય છે.

 

પાક સંરક્ષણ

 

  • મોલોમશી :      મેલાથીઓન ૦.૧% દ્રાવણ ૧૦ મીલી દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી છાંટવું.
  • તળછારો   :     આ રોગના નિયંત્રણ માટે કાપણી બાદ બે દિવસમાં મેન્કોઝેબ અથવા  ઝાયનેબદવા ર% નું દ્રાવણ (ર૬ ગ્રામ પાવડર ૧૦ લીટર પાણીમાં) છાંટવું.
  • ગેરૂ :   ચારો કાપી લીધા બાદ રોગિષ્ટ ઝડીયામાં કલોરોથેલોનીલ અથવા મેન્કોઝેબ અથવા ઝાયનેબ ૦.ર ટકા (ર૬ ગ્રામ મ / ૧૦ લીટર છંટકાવ કરવો.
  • સુકારો  :  આ રોગ જમીનજન્ય હોઈ તેના નિયંત્રણ માટે ખાસ ઉપાય નથી છતાં  રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે. સેન્દ્રિય ખાતરનો બોળા પ્રમાણમાં ઉપયોગ.

પાકની ફેરબદલી કરવી.

કાપણી

રજકાના લીલાચારા માટે પ્રથમ કાપણી વાવણી બાદ બે મહિને અને ત્યારબાદ શિયાળામાં ર૮ થી ૩૦ દિવસે અને ઉનાળામાં ર૦ થી રપ દિવસે એટલે કે પ૦% ફુલ આવે ત્યારે કરવી જોઈએ. મે માસની આખર સુધીમાં પ થી ૭ કાપણી લઈ શકાય છે.

ઉત્પાદન

સરેરાશ પ૦૦ થી ૭૦૦ કિવન્ટલ / હેકટરે લીલાચારાનું ઉત્પાદન  મળે છે. સમયસર  કાપણી કરવાથી નત્રિલ પદાર્થ વધે છે અને રેષાનું પ્રમાણ ઘટે છે.

સ્ત્રોત : ડોં. જી.જી. પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેવતાજ -આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate