જમીન |
સારા નિતારવાળી ગોરાડું, બેસર અને મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે.
|
જમીનની તૈયારી |
:ટ્રેકટર અથવા હળથી જમીન બરાબર ખેડી, આડો ઉભો કરબ ફેરવી, ઢેફાં ભાગી સમાર મારી સમતળ કરવી. આમ કરતી વખતે હેકટરે ૧૦ નટ છાણિયું ખાતર નાખી બરાબર ભેળવી યોગ્ય માપના કયારાઓ તૈયાર કરવાં.
|
સુધારેલી જાતો |
જીએયુએલ૧(આણંદર),જીએયુએલર,(એસએસ૬ર૭), આણંદ રજકો ૩. |
બીજનો દર |
બિયારણનો દર એક હેકટરે ૧૦ થી ૧પ કિલો રાખવો. |
વાવણી સમય |
રજકાના બીજની વાવણી નવેમ્બરના બીજા અઠવાડિયા દરમ્યાન કરવી. |
વાવણી અંતર |
બે હરોળ વચ્ચે રપ સે.મી.ના અંતરે વાવણી કરવી. વાવતા પહેલાં બીજને રાઈઝોબીયમ કલ્ચરનો પટ આપવો. |
ખાતર |
વાવણી વખતે પાયામાં હેકટરે ર૦ કિલોગ્રામ નાઈટ્રોજન, પ૦ કિલોગ્રામ ફોસ્ફરસ અને પ૦ કિલોગ્રામપોટાશ આપવો. |
પિયતઃ |
વાવણી પછી પ્રથમ પિયત તુરત જ હળવું આપવું. બીજુ પિયત એક અઠવાડિયે આપવું અને ત્યારબાદ શિયાળામાં ૧૦ થી ૧ર દિવસે અને ઉનાળામાં ૭ થી ૮ દિવસના અંતરે પિયત આપવું. |
પાછલી માવજત |
જરૂરિયાત મુજબ નીંદામણ કરવું. રજકાની વાવણી બાદ ૧૦ દિવસે પેન્ડીમીથાલીન (૩૦ ઈ.સી.) દવા પ૦૦ ગ્રામ પ્રતિ હેકટરે પ૦૦ લીટર પાણીમાં ઓગાળી છાંટવાથી આંતરવેલનું અસરકારક નિયંત્રણ થાય છે.
|
પાક સંરક્ષણ
|
પાકની ફેરબદલી કરવી. |
કાપણી |
રજકાના લીલાચારા માટે પ્રથમ કાપણી વાવણી બાદ બે મહિને અને ત્યારબાદ શિયાળામાં ર૮ થી ૩૦ દિવસે અને ઉનાળામાં ર૦ થી રપ દિવસે એટલે કે પ૦% ફુલ આવે ત્યારે કરવી જોઈએ. મે માસની આખર સુધીમાં પ થી ૭ કાપણી લઈ શકાય છે. |
ઉત્પાદન |
સરેરાશ પ૦૦ થી ૭૦૦ કિવન્ટલ / હેકટરે લીલાચારાનું ઉત્પાદન મળે છે. સમયસર કાપણી કરવાથી નત્રિલ પદાર્થ વધે છે અને રેષાનું પ્રમાણ ઘટે છે. |
સ્ત્રોત : ડોં. જી.જી. પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેવતાજ -આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020