অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રધાનમંત્રી પાક વિમા યોજના

પ્રધાનમંત્રી પાક વિમા યોજના

કેબિનેટે નવી પાક વિમા યોજના - ‘પ્રધાનમંત્રી પાક વિમા યોજના’ને મંજૂરી આપી - કૃષિ ક્ષેત્રને જબરદસ્ત પ્રોત્સાહન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ‘પ્રધાનમંત્રી પાક વિમાયોજના’ને મંજૂરી આપી દીધી, જે ખેડૂતોના કલ્યાણ માટેની પથપ્રવર્તક યોજના છે.

તમામ ખરીફ પાક માટે એક સમાન 2 ટકા પ્રિમિયમ અને રવિ પાક માટે 1.5 ટકા પ્રિમિયમ ખેડૂતોદ્વારા ચૂકવાશે. વાર્ષિક વ્યાપારી અને બાગાયતી પાકોના કિસ્સામાં ખેડૂતો દ્વારા માત્ર 5 ટકા પ્રિમિયમચૂકવાશે. ખેડૂતો દ્વારા ચૂકવવાના પ્રિમિયમમાં ખૂબ મોટો ઘટાડો અને બાકીનું પ્રિમિયમ સરકાર દ્વારાચૂકવાશે જેથી કુદરતી આપત્તિની સ્થિતિમાં પાકનો નાશ થતા પૂર્ણ વીમા રકમ ખેડૂતને પ્રાપ્ત થાય.
  • સરકારી સબસીડીમાં કોઈ ઉપરી સીમા નહી. જો 90 ટકા બેલેન્સ પ્રિમિયમ હશે તો તે પણ સરકાર ઉપાડશે.
  • પહેલા, પ્રિમિયમ દર પર એક કેપ નિર્ધારીત કરાતી હતી જેથી ખેડૂતોને મળતી દાવા રકમ ઘટીજતી હતી. કેપિંગના કારણે સરકાર દ્વારા વહન કરાતી પ્રિમિયમની રકમ ઓછી થઈ જતી હતી. હવે એકેપિંગને હટાવી દેવાયું છે અને ખેડૂતો કોઈપણ ઘટાડા વગર સંપૂર્ણ વીમા દાવો મેળવશે.
  • યોજનામાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે જેનાથી પાક કાપવો / નુકસાનનું આંકલનજલદીથી તથા યોગ્ય થઇ શકે અને ખેડૂતોને દાવા રકમ તાત્કાલિક રૂપથી મળી શકે. રિમોટ સેંન્સિંગનામાધ્યમથી  પાકને કાપવાના પ્રયોગોની સંખ્યામાં કમી કરવામાં આવશે.
  • આ પાક વીમા યોજના એક રાષ્ટ્રએક યોજનાની થીમ પર આધારીત છે. જેમાં પાછલી યોજનાઓનાદરેક સારા પાસાઓને સમાવી લેવાયા છે. સાથો સાથ ખામીઓને દૂર કરી દેવામાં આવી છે.

ક્રમ

વિશેષતા

એનએઆઈએસ

(1999)

એમએનએઆઈએસ

(2010)

પીએમ પાક વીમાયોજના

1

પ્રિમિયમ દર

ઓછો

વધુ

એનએઆઈએસ

કરતાં પણ ઓછો(સરકાર ખેડૂતકરતા પાંચ ગણોદર ભોગવશે)

2

એક ઋતુ – એકપ્રિમિયમ

હા

ના

હા

3

વીમા કવર

સંપૂર્ણ

કેપ આધારિત

સંપૂર્ણ

4

એક ખાતા ચૂકવણી

ના

હા

હા

5

સ્થાનિક જોખમનુંકવર

ના

તોફાન ભૂસ્ખલન

તોફાન ભૂસ્ખલન

જળ પ્રલય

6

લણણી બાદનુકસાનનું કવર

ના

દરિયાકાંઠાનાવિસ્તારોમાં –ચક્રવાતી વરસાદમાટે

સમગ્ર ભારતમાંચક્રવાતી +કમોસમી વરસાદમાટે

7

વાવેતરનું કવરેજ

ના

હા

હા

8

ટેકનોલોજીનોઉપયોગ (ઝડપીદાવા નિવારણમાટે)

ના

હેતુ આધારીત

ફરજીયાત

9

જાગૃતિ

ના

ના

હા (બમણા કવરેજથી 50 ટકા સુધીનુંલક્ષ્ય)

 

એક રાષ્ટ્ર – એક યોજના : જૂની યોજનાના તમામ સારા પાસાંઓનો સમાવેશ + ભૂતકાળની ખામીઓ /નબળાઈઓની નાબૂદી.

સ્ત્રોત: આત્મા ડાયરેક્ટોરેટ એન્ડ સમેતિ, કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate