કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કે.વિ.કે.) એક ઉમદા અભિગમ કે જે ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્યરલ રિસર્ચ (આઈસીએઆર) દ્વારા ટેકનોલોજી ટ્રાન્સફર એટલે કે પ્રયોગશાળામાં થયેલ કૃષિ, બાગાયત, પશુપાલન, ફૂલની ખેતી, મધ માંખી ઉછેર, મશરૂમની ખેતી, મરઘાં ઉછેર વગેરે અને ખેતી સાથે સંકળાયેલ સંશોધનોનુ ખેડૂતોના ખેતર સુધી પહોંચાડી અપનાવવા માટે એક નક્કર વ્યવસ્થા કરેલ છે. વર્ષ 1974 દરમિયાન મોહન સિંઘ મહેતા સમિતિની ભલામણો મુજબ, ભારતમાં દરેક રાજ્યોમાં કે.વિ.કે.ની સ્થાપના કરવામાં આવી હતી. કે.વિ.કે.ની અનેક સફળ વાતાંઓ અને પરિણામલક્ષી રચનાત્મક કર્યોને ધ્યાને લેતા દેશના વડાપ્રધાન અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના મહાનિર્દેશકશ્રીએ જરુરીયાત આધારીત એક જિલ્લામાં એક કે વિ.કે.ની સ્થાપનાની મંજુરી આપતા હાલના તબકે ગુજરાતના વિવિધ જિલ્લામાં 30 જેટલા કેવિ.કે. વિવિધ સંસ્થાઓ સાથે સંલગનમાં કાર્યરત છે. કે.વિ.કે. ખેડુતોને માર્ગદર્શન આપી કૃષિ મંદિર તરીકે લોકો જાણીતા થયા છે .
જિલ્લો |
કૃષિ વિજ્ઞાન કેન્દ્રનુ સરનામું |
યજમાન સંસ્થા |
ભાવનગર |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગામ : સણોસરા જિલ્લો : ભાવનગર નિયામક.લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ફોન : 02846-283777 ફેક્સ : 02846-283528 |
નિયામક લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ,પોસ્ટ:સણોસરા તાલુકો:સિહોર, જિલ્લો : ભાવનગર |
ગિર સોમનાથ |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગામ : કોડીનાર જિલ્લો ગિર સોમનાથ |
નિયામક. અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન, . 248, ઓખલા ઔદ્યોગિક એસ્ટેટ, ફેજ-III. નવી દિલ્હી-1 10020 |
નવસારી |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,નવસારી કૃષિ યુનિવર્સિટી એરુ ચાર રસ્તા, નવસારી-396450 |
કુલપતિ , નવસારી કૃષિ યુનિવર્સિટી એરુ ચાર રસ્તા, નવસારી |
નર્મદા |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર. બીજ વૃદ્ધિ ફાર્મ. નવસારી કૃષિ યુનિવર્સિટી. એરુ ચાર 4 નર્મદા ડેડીયાપાડા-393040 |
કુલપતિ, નવસારી કૃષિ યુનિવર્સિટી. 396 450 |
સુરેન્દ્ર નગર |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નાના કાંધાસર- તાલુકો : ચોટીલા |
કુલપતિ. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોતીબાગ જુનાગઢ |
ખેડા |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર. દેથલી જિલ્લો ખેડા |
કુલપતિ. ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ |
પંચમહાલ |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પંચમહાલ વેજલપોર, ગોધરા |
ડીરેક્ટર સેન્ટ્રલ ઓફ અરીડ હોર્ટી. આઇસીએઆર. બીકાનેર |
મેહસાણા |
મહેસાણા જિલ્લા શિક્ષણ ફાઉન્ડેશન. ખેરવા ફોન02762 – 289,189 |
મહેસાણા જિલ્લા શિક્ષણ ફાઉન્ડેશન |
સાબરકાંઠા |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર. ખેડબ્રહ્મા જિલ્લો : સાબરકાંઠા |
કુલપતિ. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, |
અમદાવાદ |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજ તાલુકો - ધોળકા, |
કુલપતિ. આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ |
તાપી |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી પાનવાડી વ્યારા તાપી ફોન: (02626), 221869 |
નવસારી કૃષિ યુનિવર્સિટી. એરુ ચાર 11 તાપી વ્યારા |
અમરેલી |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, એગ્રીકલ્યર સંશોધન ફાર્મ, કેરીઆ રોડ, અમરેલી જિલ્લો |
કુલપતિ. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોતીબાગ, જુનાગઢ |
રાજકોટ |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુખ્ય સૂકી ખેતી સંશોધન સ્ટેશન રાજકોટ ફોન: 0281-2784260 |
કુલપતિ. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોતીબાગ, જુનાગઢ -362 001 |
જામનગર |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, એર ફોર્સ રોડ, જામનગર- જામનગર ફોન: 0288- 2710165 |
કુલપતિ. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોતીબાગ. જિલ્લો : જામનગર-361006 |
પોરબંદર |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ પોરબંદર ફોન: 0286 – 2242416 |
કુલપતિ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોતીબાગ જુનાગઢ |
ભરૂચ |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુપો.-ચાસવડ-393130 તાલુકો: વાલીયા ભરૂચ ફોન: 02643-285039 |
ચેરમેન, ભારતીય એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન વડોદરા |
વડોદરા |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગોલા ગામડી પોસ્ટ બહાદુરપુર ફોન: 02665-243218 |
મંગલ ભારતી બહાદુરપુર વડોદરા |
વલસાડ |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તા: કપરાડા વલસાડ |
વલસાડ કુલપતિ. ગુજરાત વિદ્યાપીઠ |
પાટણ |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સામોડા, તાલુકો સિદ્ધપુર પાટણ ફોન: 02767-285528 203389 |
નિયામક. સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ, સામોડા |
કચ્છ |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પોસ્ટ-સડાઉ, તાલુકો: મુન્દ્રા |
ચેરમેન, ગ્રામીણ એગ્રો. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જુહુ મુંબઈ |
આણંદ |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેવતાજ, સોજીત્રા આણંદ જિલ્લો : આણંદ ફોન : 02697-291327 |
કુલપતિ. આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ |
ડાંગ |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ |
કુલપતિ. , નવસારી કૃષિ યુનિવર્સિટી. |
ગાંધીનગર |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, રાંધેજા જિલ્લો: ગાંધીનગર ફોન 079-23975223 |
કુલપતિ. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ |
બનાસકાંઠા |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડીસા ફોન: 02744-220350 |
કુલપતિ. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર |
દાહોદ |
દાહોદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેવગઢ બારીયા-389380 જિલ્લો : દાહોદ |
કુલપતિ. આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ |
કચ્છ |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, CAZRI પ્રાદેશિક સ્ટેશન, કુકુમા. ભુજ-370 105 |
ડિરેક્ટર, સેન્ટ્રલ શુષ્ક ઝોન સંશોધન |
સુરત |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કપાસ સંશોધન સ્ટેશન અઠવાલાઇન, સુરત |
નવસારી કૃષિ યુનિવર્સિટી. એરુ ચાર જિલ્લો |
રાજકોટ કૃષિ |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ટીડીએસ ફાર્મ, પીપળીયા તા - ધોરાજી |
કુલપતિ. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોતીબાગ, જિલ્લો - રાજકોટ (ગુજરાત) |
બનાસકાંઠા |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગામ-થરાદ જિલ્લો : બનાસકાંઠા (ગુજરાત) |
કુલપતિ. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર |
મોરબી |
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જિલ્લો : મોરબી |
કુલપતિ. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોતીબાગ, |
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે વર્ષ 1960 ના દાયકામાં દેશના જુદા જુદા કૃષિ-આબોહવા ઝોનમાં કૃષિ અને સંલગન વિષયો પર સંશોધન પર ભાર આપી વધુ પાક ઉત્પાદન માટે નવી ટેકનોલોજી પેદા કરવા માટે અભિગમ અપનાવ્યો હતો. વૈજ્ઞાનિકોના સતત પ્રયત્ન પછી ઉત્પાદન વધારવા માટે ઘણી નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવી.
Conceptual Model of Technology Generation Process (Developed by Sajeev, M.V and V. Venkatasubramanian)
પરંતુ સંશોધનથી અસ્તિત્વમાં આવેલી ટેકનોલોજી વિવિધ રાજ્ય સરકાર અને વિસ્તરણ એજન્સીઓ મારફતે ખેડુતો સુધી પહોચી નથી કારણકે ઊંચા ખર્ચ. વિસ્તરણ એજન્સીઓનો રસ અભાવ, ટેકનોલોજીની અસરકારકતા વગેરે કારણો જવાબદાર હતા એવુ મનાવવામાં આવે છે. બાદમાં કે વિ.કે.ની સ્થાપના કરવામાં આવી હતી જ્યા ફાર્મ પ્રદર્શન અને પરીક્ષણમાં ખેડૂતો સરળતાથી સક્રિય બની ભાગ લઇ શકે.
ઇન્ડિયન કાઉન્સીલ ઓફ કૃષિ સંશોધનના આદેશ મુજબ કે.વિ.કે રાજ્યના વહીવટી નિયંત્રણ હેઠળ કૃષિ યુનિવર્સિટી અથવા સંસ્થાન ચોક્કસ વિસ્તારમાં કામ કરે છે. વિવિધ વિસ્તારની ચોક્કસ જરૂરિયાત મુજબ વિવિધ શાખાઓ માંથી વૈજ્ઞાનિક/તજજ્ઞ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં તાલીમ એસોસિયેટ/વિષય નિષ્ણાત તરીકે ફરજ બજાવે છે. સામાન્ય રીતે છ વિષય નિષ્ણાત કે વિ.કે. પર કામ કરે છે જેમકે :
તમામ વૈજ્ઞાનિકોની ગ્રામ્ય વિસ્તારના લોકો માટે કામગીરીનુ સંકલન ખાસ કે.વી.કે. વડા એવા કાર્યક્રમ સંયોજક (તાલીમ ઓર્ગેનાઈઝર્સ) કરે છે. જેથી ગ્રામીણ લોકો સરળતાથી તેમનો લાભ લઇ શકે. તેઓ અન્ય વિભાગો સાથે સતત સંપકમાં રહી કે.વી.કે. દ્વારા દત્તક લીધેલ ગામમાં વિવિધ કાર્યક્રમોની અસરકારકતા માટે કાર્ય અમલીકરણ અને સંકલનુ કામ કરે છે. દરેક કે.વી.કે. તેના વિસ્તારના આર્થિક, સાંસ્કૃતિક અને ટેકનોલોજી વગરના પછાત ગામોને દત્તક લે છે. આ ગામો ખૂબ નાના અથવા ખૂબ મોટા હોતા નથી. દત્તક લેતા પહેલા ગામનો સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક સ્થિતિ માટે પ્રાથમીક માહીતીનો વિગતવાર સર્વેનો અભ્યાસ હાથ ધરવામાં આવે છે. હવે દત્તક ગામના ગ્રામીણ મૂલ્યાંકન ગામના લોકોના સક્રિય પ્રક્રિયામાં સહભાગી ભાગની મોજણી (PRA) હાથ દ્વારા ધરવામાં આવી છે. જેમા ગામની વિવિધ અગ્રણી માહીતી જેવી કે શાળા, મંદિર, નદી. ક્લબ વગેરે નકશામાં વિવિધ રંગ વડે ગ્રામવાસીઓ દ્વારા પોતાની જાતે નિરૂપણ તૈયાર કરવામાં આવે છે. આ મોજણી વૈજ્ઞાનિકોને સરળતાથી અને સરળ માળખામાં કામગીરીમાં મદદ છે. સર્વે પરથી ગામમાં પાક, પશુ સંસાધન અને અન્ય આનુષંગિક માહીતી નકશા ભવિષ્યના ઉપયોગ માટે તૈયાર કરવામાં આવે છે. સર્વે કામના પછી વિગતવાર યોજના બનાવી. તેના પર આધાર રાખીને જરૂરિયાત પ્રમાણે વિવિધ પ્રવૃત્તિઓ કે વિ.કે.ના વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવે છે.
કે.વિ.કે. દ્વારા હાથ ધરવામા આવતી વિવિધ પ્રવૃત્તિઓના હેતુઓ:
ઉપર મુજબના હેતુઓ હાંસલ કરવા માટે કે વિ.કે. દ્વારા દત્તક ગામોમાં નીચેના પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે :
ફાર્મ સલાહકારી સેવાઓ:
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ફાર્મ વિજ્ઞાન કેન્દ્ર તરીકે ઓળખાય છે. ત્યાં જે તે વિસ્તારના ખેડૂતો દ્વારા કૃષિ સંબંધિત અને સંલગન વિષયો ને લગતા પડકારરૂપ સમસ્યા માટે ઉકેલ અને સામનો કરવા માહિતી પૂરી પાડે છે. રસ દાખવતા અને નવા સાહસિક ખેડૂતો/વ્યક્તિઓને બિન પરંપરાગત ક્ષેત્રની સંબંધિત યોગ્ય સલાહ આપે છે. એડવાઇઝરી સર્વિસ સેન્ટરનો મુખ્ય હેતુ તેમના સંપર્ક રહેલ ગ્રામવાસીઓને સિદ્ધાંતીક અને વ્યવહારુ જ્ઞાન સાથે કૃષિ અને તેમની સાંસ્કૃતિક અને આર્થિક સુધારણા માટે તેને લગતા વિષયો પર સતત અને રચનાત્મક સલાહ પૂરી પાડે છે.
ફાર્મ સલાહકાર કેન્દ્ર હેતુઓ:
વિવિધ વર્ગોના લોકો માટે તાલીમ કાર્યક્રમ:
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સૌથી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓમાં તાલીમ એ પૈકીની એક છે. તાલીમ વ્યવસ્થિત આયોજન કરી જ્ઞાન અને કૌશલ્ય સુધાર માટે પ્રયાસ કરવા કે જે એક ખાસ વિષય તરફ દરેક વ્યક્તિના વલણ બદલે છે. કોઇ તાલીમ કાર્યક્રમ યોજતા પહેલા તાલીમ જરૂરની આકારણી અને અગ્રણી પરિબળ પ્રથમ ગણવામાં આવે તે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મુખ્યત્વે ત્રણ પ્રકારની તાલીમ આપે છે:
સ્ત્રોત: ડો. જીગ્નેશ મોવલિયા , કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી આણંદ કૃષિ યુનિવર્સિટી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020