অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખેતી ખાતાની વિવિધ યોજના અને પ્રશ્નોત્તરી

ખેતી ખાતાની વિવિધ યોજના અને પ્રશ્નોત્તરી

  1. ખાતર અધિકાર પત્ર :
  2. વિવિધ કલ્યાણકારી યોજનાકીય લાભો :
  3. ડિલર પાસે ઉપલબ્ધ ક્રુષિ વિષયક સાધન સામગ્રીની વિગતો :
  4. કૃષિ ધિરાણ સબંધિત માહિતી :
  5. કૃષિ અને સંલગ્ન વિષયક તાંત્રિક માહિતી :
  6. હવામાન
  7. ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ :
  8. ખેતીની જમીન ખાતાની વિગતો :
  9. વીજળી
  10. કૃષિ મહોત્સવ
  11. સંભવિત દુષ્કાળના નિદાન (ડાયગનોસિસ)
    1. પ્રશ્‍ન: જીલ્લા પંચાયતને નોંધણી સંબંધે મળેલ અધિકાર બાબત
    2. પ્રશ્‍ન: દુધ સંઘ ઘ્વારા ચુચિત મંડળી સેન્ટર અને મિલ્ક કલેકશન સેન્ટરની રચના થવા બાબત
    3. પ્રશ્‍ન: સહકારી મંડળીઓમાં સભાસદ થવા બાબત
    4. પ્રશ્‍ન:નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમીતીની મુદત બાબત
    5. પ્રશ્‍ન: દુધ મંડળીઓના અમુક કિસ્સામાં સભાસદ/ગ્રાહકનું દુધ નહી સ્વીકારવા બાબત
    6. પ્રશ્‍ન:એકથી વધુ ધિરાણ મંડળી પાસેથી નાણાં ઉછીના લેવા ઉપર નિયત્રંણ બાબત
    7. પ્રશ્‍ન: નાગરીક શરાફી સહકારી મંડળીઓની કામગીરી બાબત
    8. પ્રશ્‍ન:બજાર સમીતીની કમીટીમાં ઉમેદવારી કરવા માટે લાયકાતના ધોરણ બાબત
    9. પ્રશ્‍ન:સહકારી સંસ્થામાં વ્યવસ્થાપક કમીટીની રચના બાબત.
    10. પ્રશ્‍ન:મંડળીમાં રાખવામાં આવતા કર્મચારીના જામીનો મેળવવા બાબત.
    11. પ્રશ્‍ન: જાહેર માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ બાબત.
    12. પ્રશ્‍ન:વેર હાઉસ લાયસન્સ આપવા બાબત.
    13. પ્રશ્‍ન:સહકારી મંડળીની નોંધણી માટે કઇ કચેરીનો સંપર્ક કરવો.
    14. પ્રશ્‍ન:સહકારી મંડળીની નોંધણી માટે કયા દસ્તાવજો જોઇએ ?
    15. પ્રશ્‍ન:સહકારી મંડળીની નોંધણી નું ફોર્મ અને પેટા-કાયદાની નકલો કયાંથી મળશે ?
    16. પ્રશ્‍ન: સહકારી મંડળીઓના પેટા-કાયદા સુધારા માટે કયા દસ્તાવજો જોઇએ ?
    17. પ્રશ્‍ન:સહકારી મંડળીએ મિલકતો ખરીદતા પહેલાં કે વધારાના ફંડોનું રોકાણ કરતા પહેલાં કયા કાયદા અન્વયે કોની મંજુરી લેવાની હોય ?
    18. પ્રશ્‍ન:સહકારી મંડળીઓ મિલકતના વેચાણ પહેલાં રજીસ્ટ્રાર ની મંજુરી લેવી જરૂરી છે ?
    19. પ્રશ્‍ન:સહકારી મંડળીમાં કોણ સભ્ય બની શકે ?
    20. પ્રશ્‍ન:મુદતવીતી બાકીદાર મંડળીની ચૂંટણીમાં મત આપી શકે ?
    21. પ્રશ્‍ન:સહકારી ગૃહ મંડળીમાં શેર તબદીલ કરતાં પહેલાં વ્યવસ્થાપક સમિતિની મંજુરી જરૂરી છે ?
    22. પ્રશ્‍ન:સહકારી ગૃહ મંડળીમાં શેર તબદીલ કરતાં કેટલી ફી ભરવી પડે ?
    23. પ્રશ્‍ન: સહકારી ગૃહ મંડળીની જાણ બહાર અને મંડળીમાં રજીસ્ટર્ડ કરવામાં ન આવેલ શેર તબદીલી યોગ્ય ગણાય ?
    24. પ્રશ્‍ન:સહકારી મંડળીના સભ્યને મંડળીના બધા જ દસ્તાવેજો જોવાનો અધિકાર છે ?
    25. પ્રશ્‍ન:સહકારી મંડળીના દસ્તાવજોની નકલ આરટીઆઇ ના કાયદા હેઠળ માંગી શકાય? / સહકારી મંડળી આરટીઆઇ ના કાયદા અન્વયે જાહેર સત્તા મંડળ છે?
    26. પ્રશ્‍ન:સહકારી મંડળીના સભ્યોને કયા દસ્તાવેજો મંડળી પર જોવાનો અધિકાર છે ?
    27. પ્રશ્‍ન. કોઇપણ સહકારી મંડળી કેટલું કરજ મેળવી શકે ?
    28. પ્રશ્‍ન:રીઝર્વ ફંડ કેટલું કાઢવાનું હોય છે ?
    29. પ્રશ્‍ન:સહકારી મંડળીમાં વાર્ષિક સાધારણ સભા સામાન્ય રીતે કયારે બોલાવવાની હોય છે ?
    30. પ્રશ્‍ન:સહકારી મંડળીના વ્યવસ્થાપક સમિતિની મુદત નવા કાયદા પ્રમાણે કેટલા વર્ષની છે ?
    31. પ્રશ્‍ન:જો જમીન પર સહકારી મંડળીનો બોજો હોય તો તે દૂર કરવા કોનો સંપર્ક કરવો ?
    32. પ્રશ્‍ન:ઇનોવેટીવ પ્રકારની મંડળીઓની જો આપના જીલ્લામાં રચના હોય તો તેની વિગતો
  12. પશુઆહારમાં કાર્બોદિત, પ્રોટીનની જેમ ક્ષાર પણ જરૂરી
ખેતી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે રાજ્ય સરકારે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુક્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ખેતી સંબંધી તમામ જાણકારી ઘર આંગણે પૂરી પાડવામાં આવે છે. રાજયે છેલ્લા દાયકામાં સરેરાશ ૧૦% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ આપેલ છે. આ વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા I-ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કરેલ છે.

ખાતર અધિકાર પત્ર :

ઋતુવાર પાક પસંદગી આધારે વૈજ્ઞાનિક ધોરણે કરવામાં આવેલ ભલામણ મુજબ ખાતરનો જથ્થો સમયસર મળી રહે તે માટે ખેડૂતો I-ખેડૂતપોર્ટલ થકી “ખાતર અધિકાર પત્ર” મેળવી શકશે. જેનો લાભ લેવા નીચે મુજબ પગલા લેવા આવશ્યક છે. I-ખેડૂતપોર્ટલમાં નોંધણી કરાવેલ ખેડૂત ખાતેદારે ઋતુવાર પાકની નોંધણી, ખાતરની પસંદગી અને ખાતર મેળવવા માટે ઉપલબ્ધ યાદીમાંથી ડીલરની પસંદગી કરવાની રહેશે. પાક આયોજન પ્રમાણે વૈજ્ઞાનિક ભલામણોના આધારે ખાતરની જરુરિયાત અને ડીલરના નામ સાથેનું “ખાતર અધિકારપત્ર” મેળવી પસંદગી કરેલ ડીલર પાસે જઇ ખાતર મેળવી શકશે. ખાતરના ડીલરે ‘“ખાતર અધિકારપત્ર’ ધરાવતા ખેડૂતોને અગ્રતાનાં ધોરણે ખાતર અધિકાર પત્રમાં દર્શાવેલ ખાતરનો જથ્થો પૂરો પાડવાનો રહેશે.

વિવિધ કલ્યાણકારી યોજનાકીય લાભો :

કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત રાજ્ય હસ્તકનાં ખાતાના વડાઓ, સોસાયટીઓ, બોર્ડ, કોર્પોરેશન ધ્વારા વિવિધ વ્યક્તિલક્ષી/ સંસાધન લક્ષી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવતી યોજનાઓનો લાભ ખેડૂતોને સહેલાઇથી મળી રહે અને આ બાબતે પારદર્શકતા જળવાઈ રહે તે હેતુથી I-ખેડૂતપોર્ટલ ધ્વારા તમામ યોજનાઓનો અમલ કરવામાં આવનાર છે.
ખેડૂત રજીસ્ટ્રેશન મોડ્યુલમાં નોંધણી કરાવેલ ખેડૂતોએ I-ખેડૂતપોર્ટલમાં જોઈતી ખેત સામગ્રી/મશીનરી/અન્ય ઘટકોની પસંદગી કરવાની રહે છે.
I-ખેડૂતપોર્ટલમાં જે તે બાબત માટે ઓનલાઈન અરજી કરી તે અરજીની પ્રિન્ટઆઉટ કઢાવી ખેડુતે અરજીફોર્મ પર સહી/ અંગુઠો કરી સબંધિત ખાતાની કચેરીમાં રજૂ કરવાની રહેશે.

અરજી કર્યા બાદ તે અંગેનું સ્ટેટસ ખેડૂતો ઓનલાઈન જોઈ શકશે.

ડિલર પાસે ઉપલબ્ધ ક્રુષિ વિષયક સાધન સામગ્રીની વિગતો :

  • ગુજરાત રાજયમાં રાસાયણિક દવા, ખાતર અને બિયારણની સેવાઓ પૂરા પાડતા ઈનપુટ ડીલરોની માહિતી I-ખેડૂતપોર્ટલમાં આપવામાં આવી છે.
  • જેમાં જે તે ઈનપુટ ડીલરોને વખતો વખત તેમનાં પાસે ઉપલબ્ધ ખેત સામગ્રી અને ઉત્પાદનોની વિગતો અપડેટ કરવાનીસગવડ કરવામાં આવી છે.
  • ખેડૂતો પોતાનાં વિસ્તારનાં ઈનપુટ ડીલરો પાસે તેને જોઈતી ખેત સામગ્રી ઉપ્લબ્ધ છે કે નહી, કેટલી કિમતે ઉપલબ્ધ છે તે વિગતો પોર્ટલ થકી ઘરે બેઠા જાણી શકશે.

કૃષિ ધિરાણ સબંધિત માહિતી :

  • I-ખેડૂત પોર્ટલમાં કૃષિ ધિરાણ સાથે જોડાયેલી વિવિધ સંસ્થા જેમકે બેંક અને સહકારી મંડળીઓનાં નામ અને સરનામા સહિત વિગતો આપવામાં આપવામાં આવી છે.

કૃષિ અને સંલગ્ન વિષયક તાંત્રિક માહિતી :

  • રાજ્યમાં એગ્રો – ક્લાઇમેટિક ઝોનવાર પાક પધ્ધતિ, મુખ્ય પાકોની આધુનિક ખેત પધ્ધતિ, પાકોમાં રોગ-જીવાત અને તેનું નિયંત્રણ સહિતની વિવિધ વિગતો I-ખેડૂત પોર્ટલમાં ઉપલબ્ધ છે.
  • પશુઓમાં થતાં મુખ્ય રોગો, રોગ નિયંત્રણ માટેના ઉપાયો સહિત મત્સ્ય, કૃષિ અને સંલગ્ન શિક્ષણ વગેરેની અદ્યતન માહિતી I-ખેડૂત પોર્ટલમાં ફક્ત એક ક્લિક ધ્વારા મેળવી શકાશે.

હવામાન

  • હવામાનની માહિતી ખેડૂતોને સમયસર મળતી રહે તો ખેડૂતો પાક માટે સિંચાઇ, રોગ-જીવાત નિયંત્રણનાં આગોતરા પગલાં વિગેરેની વ્યવસ્થા સમયસર કરી શકે છે.
  • I-ખેડૂત પોર્ટલમાં ખેડૂતો પોતાનાં વિસ્તારનાં હવામાન કેવું છે અને આવનાર ટૂંકા ગાળામાં કેવું રહેશે એની વિગતો આસાનીથી મેળવી શકે છે.

ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ :

  • પાકની કઈ જાત સૌથી વધુ ઉત્પાદન આપે છે ?, વાવણીનો યોગ્ય સમય ક્યો ?, પિયત કેટલું આપવું?,રોગ જીવાતનો ઉપદ્રવ વધ્યો છે તો શું કરવું?, દુધાળા ઢોર ઓછું દૂધ આપે છે શું કરવું ? જેવા અનેક મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ I-ખેડૂત પોર્ટલમાં ઉપલબ્ધ છે.

ખેતીની જમીન ખાતાની વિગતો :

  • રાજ્યમાં કોઇ પણ ગામની ખેતીલાયક જમીનની ૭/૧૨ની વિગતો જોઇ શકાશે.

કપાસ પાકના લઘુત્તમ ટેકાના ભાવ - વર્ષ-૨૦૧૪-૧૫

અરજીનું સ્ટેટસ તપાસવા/ રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો

વરહ કિસાન કલ્‍પવૃક્ષ યોજના બજાર સિમિતના આધિુનકરણ તેમજ પાયાની સગવડો ઉભી કરવા સહાય

સામાન્ય વિસ્‍તાર અને આિદજાતિ વિસ્‍તારની બજાર સિમિતઓની વિવધ આધિુનક સગવડો પુરી પાડવા માટે સહાય આપવામાં આવે છે, "અ” તથા "બ” વગર્ની બજાર સિમિતઓને કુલ પ્રોજેક્ટ ખચર્ના ૨૫% અને "ક” તથા "ડ” વગર્ની બજાર સિમિતઓને કુલ પ્રોજેક્ટ ખચર્ના ૫૦% તમે જ ૫ કરોડની મયાર્દામાં સહાય આપવામાં આવે છે.

આધિુનક સગવડો ઉભી કરવામાટેની નવી યોજના

બજાર સિમિતઓમાં વેચાણ-કમ પ્રદર્શન સેન્ટર, ખેડુતો માટેનો શેડ/પ્લેટફોર્મ, શાકભાજી બજારમાં ઇન્ફર્મેશન કીયોસ્‍ક, ડીપ ઇરીગેશન માટે ડેમોન્‍સ્‍ટ્રેશન ફાર્મ જેવી વિવધ આધિુનક તેમજ અન્ય જરુરીયાતવાળી સગવડો પુરી પાડવા માટે ૧૦૦% લેખે સહાય આપવામાં આવે છે, તેમજ સોઇલ ટેસ્‍ટીંગ લેબોરેટરી, પાણીની વ્‍યવસ્‍થા, તથા સોલર લાઇટ સીસટમ માટે અ. તથા બ વગર્ની બજાર સિમિતઓને ખચર્ના ૨૫% તેમજ ક અને ડ વગર્ની બજાર સિમિતઓને ખચર્ના ૫૦% લેખે ૫૦ લાખની મયાર્દામાં સહાય આપવામા આવે છે.

વરહ-૨ ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોડર્ને સહાય

ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોડર્ને જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી શકે તે માટે બોડર્ના ખરીદ/વેચાણ નીધિમાં ધારાકીય જોગવાઇ મુજબ ખેત ઉત્‍પન્‍ન બજાર સિમિતઓએ આપેલ ફાળાની રકમના જમા થયેલ કુલ એકિત્રિત ફંડના ૫%ના દરે રાજ્ય સરકાર સબસીડી સ્‍વરૂપે ફાળો આપે છે.

ટમીર્નલ માકેર્ટ બનાવવા બાબત

રાજ્યના ખેડુતોને ભારતમાં ઉત્પાદિત ફળો અને શાકભાજીના ભાવોની ત્‍વરિત જાણકારી મળી શકે તે માટે ટિમર્નલ માકેર્ટ શરુ કરવાની ભારત સરકારની યોજનામાં ૨૫% થી ૪૦% સુધીની સબસીડી રુ. ૫૦/- કરોડની મયાર્દામાં આપવા માટે યોજના શરુ કરવામાં આવેલ છે.

એમ.એન.આર.-૧૦ સહકારી પપં સિંચાઇ મંડળીઓને સહાય

સહકારી પંપ સિંચાઇ મંડળીઓને સામાન્ય વિસ્‍તારમાં મંડળીઓના મંજુર થયેલા પ્રોજેક્ટ ખચર્ના ૫૦% સહાય અને આિદજાતી વિસ્‍તારના તથા ખા.અ.વિસ્‍તાર હેઠળની પિયત મંડળીઓને પ્રોજેક્ટ ખચર્ના ૮૦% સહાય પરંતુ ૧ કમાન્ડ વિસ્‍તારમાં એકર દીઠ રુ. ૮૬૦૦/- અથવા હેકટર દીઠ રુ. ૧૦,૭૫૦/-સુધી સહાય આપવામા આવે છે, સહકારી મંડળીઓને યોજના પુરી થયા બાદ વહીવટી સહાય તરીકે પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષ માટે પ્રતિ વર્ષ રુ. ૩૦૦૦/- તથા તૃતીય અને ચતુર્થ વર્ષ માટે રુ. ૨,૦૦૦/- આપવામા આવે છે.

એ.જી.સી.-૧ ગુજરાત રાજ્ય કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંકના લી.ડીબેંચરમાં રોકાણ (લોન) સામાન્ય વિસ્‍તાર, આિદજાતિ વિસ્‍તાર, ખાસ અંગભતુ વિસ્‍તાર

ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંક ખેડુતોને લાંબી મુદતનું ધિરાણ કરે છે, કરેલ ધિરાણ સામે બેંક તરફથી બહાર પાડવામા આવતા ડિબેંચરોમા નાબાર્ડ તરફથી નક્કી કરવામા આવેલ ધોરણ મુજબ સરકાર રોકાણ કરે છે.

સી.ઓ.પી.-૨ કૃષિ ધિરાણ સહકારી મંડળીઓને શેરમુડી ફાળો (શેરફાળો)

આ યોજના હેઠળ કૃષિ ધિરાણ સંસ્‍થાઓ જેવી કે રાજ્ય સહકારી બેન્‍ક , જિલ્‍લા સહકારી બેન્‍ક , અને પ્રાથમિક કૃષિ ધિરાણ તથા મોટા કદની વિવધ કાયર્કારી કૃષિ ધિરાણ મંડળીઓને બહારથી કર્જ કરવાની સત્તામાં વધારો થાય, આર્થિક રીતે સધ્ધર થાય અને આ સંસ્‍થાઓ તેમના ઉદ્દેશ મુજબની કામગીરી યોગ્ય રીતે બજાવી શકે તે માટે શેરફાળો નક્કી કરેલ ધોરણે આપવામાં આવે છે.

સી.ઓ.પી.-૫ પ્રાથિમક કૃષિ ધિરાણ મંડળીને ટુંકી/મધ્યમ ગાળાની સહાયકી વધારવા માટે સહાય

આ યોજનાનો હેતુ પ્રાથિમક ખેતી વિષયક ધિરાણ મંડળીઓ (PACS) અને મોટા કદની બહુ હેતુક સહકારી મંડળીઓ (લેમ્પ્સ) કે જે અથર્ક્ષમ/બિનઅથર્ક્ષમ કે ગર્ભિત અથર્ક્ષમ મંડળીઓને છેલ્‍લા ત્રણ વર્ષ કરતા ચાલુ વર્ષે વધુ કરેલ ટુંકા/મધ્યમ મુદતના ધિરાણ, વસુલાત તથા થાપણ માટે વધારાની રકમના ૧ થી ૨ ટકા પ્રમાણેની પ્રોત્‍સાહન સહાય મંડળીઓને આપવામા આવે છે.

વધારાની ટકાવારી (૧) ૧૦ ટકા થી ૧૫ ટકા સુધી (૨) ૧૫ ટકાથી ઉપર અને ૨૦ ટકા સુધી (૩) ર૦ ટકાથી ઉપર

પ્રોત્‍સાહિત સહાયના ટકા ૧ ટકો ૧.૫ ટકા ૨ ટકા લખે અથવા વધુમાં વધુ રુ. ૫૦,૦૦૦ બેમાથી જે ઓછું હોય તે જ્યારે થાપણના કિસ્‍સામાં વધુમાં વધુ રુ. ૨,૦૦,૦૦૦/- બેમાંથી જે ઓછી રકમ હોય તે...

સી.ઓ.પી.-૭ ટુંકા અને મધ્યમ ગાળાની મુદત માટે ધિરાણ સ્‍થિરીકરણની વ્‍યવસ્‍થા (સબસીડી)

કુદરતી આફતોને કારણે પાક નિષ્‍ફળ જવાથી ખેડુતો ટુંકી મુદતની લોન ભરપાઇ કરવામાં નિષ્‍ફળ થઇ જાય છે, તેવા સંજોગોમાં ખેડૂત નવું ધિરાણ મેળવી શકે તે હેતુથી ટુંકી મુદતની લોન, મદયમ મુદતની લોનમાં રૂપાંતર કરવા રાજય કક્ષાએ ફંડ ઉભુ કરવામાં આવે છે જેમાં નાબાર્ડ ૬૦ ટકા, જીલ્‍લા મધ્‍યસ્‍થ સહકારી બેન્ક ૧૫ ટકા, રાજય સહકારી બેંન્ક ૧૦ ટકા અને રાજ્ય સરકાર ૧૫ ટકા ફાળો આ યોજના દ્વારા આપે છે

સી.ઓ.પી.-૨૦/૩૦ કૃષિ ધિરાણ સહકારી મંડળીઓના અનુ.જાતિ/અનુ. જનજાતિન સભ્‍યોને શેર સહાય (સબસીડી)

આ યોજના હેઠળ અનુ.જાતિ/અનુ.જન જાતિન સભ્યને કૃષિ ધિરાણ સહકારી મંડળીઓના સભાસદ થવા માટે રુ, ૧/- દાખલ ફી લઇને તેના સામે રુ. ૨૦૦/- ની સહાય સભ્ય દીઠ આપવામા આવે છે.

સી.ઓ.પી.- ૨૪ સરહદી વિસ્‍તાર ગ્રામિણ ગોડાઉન યોજના.

સરહદી વિસ્‍તારના નાના અને સીમાતં ખેડૂતોને માટે સહકારી મંડળીઓમાં ૧૦૦૦/- મે. ટન સુધીની સંગ્રહ શક્તિ ઉભી કરવા માટે ગોડાઉન બાંધકામના ખચર્ના ૫૦ ટકા જેટલી સહાય આપવામા આવે છે.

સી.ઓ.પી.-૨૭ સહકારી ધિરાણ માળખાને મજબતુ બનાવવા અંગે રીવાઇવલ પેકેજ

આ યોજના હેઠળ રાજ્યની આિથર્ક રીતે નબળી મંડળીઓને ખોટની સામે નાણાંકીય સહાય આપી મંડળીઓની ખોટ દુર કરી અથર્ક્ષમ બનાવી કાયર્રત કરવા સહકારી માળખાને મજબતુ કરવાનો હેતુ છે.

સી.ઓ.પી-33 દૂધ મંડળીઓને સંગીન બનાવવા શેરમુડી સહાય

રાજ્યના સામાન્ય વિસ્‍તારમાં આવેલા જિલ્‍લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને ભરપાઇ થયેલ શેરમુડીના ૨૫ ટકા લખે ૫૦ લાખની મયાર્દામાં શેરફાળો આપવામાં આવે છે

સી.ઓ.પી-3૪ કૃષિ રત્ન કલાકારોને સહાય

રાજયના ખેડૂતોને અને અસર પામેલા રત્નકલાકારો કે જેઓ જમીનના નાના ટુકડા ઉપર પોતાનો જીવન નિર્વાહ ચલાવવા, જીલ્‍લા સહકારી બેકમાંથી કૃષિ ધિરાણ મેળવતા કૃષિ અને રત્ન કલાકારોને અનકુ મે ૨ % અને ૩ %ના દરે વ્‍યાજ રાહત આપવામાં આવે છે.

ગોડાઉન લોન વ્‍યાજ રાહત

રાજ્યમાં ગોડાઉન બાંધકામને પ્રોત્સાહન મળે અને તે દ્વારા ખતે પેદાશોના સંગ્રહથી બગાડ થતા માલમાં ઘટાડો થાય તે હેતુથી એપીએમસી/સહકારી તેમજ નોંધાયેલ સંસ્‍થાઓને એનસીડીસી દ્વારા ગોડાઉન બાધં કામ માટે આપવામાં આવેલ લોનના વ્‍યાજમાં રાહત આપવાના હેતુસર આ યોજના અમલમાં મુકવામા આવેલ છે.

સખી મંડળોને વ્‍યાજ રાહત આપવાની યોજના

સહકારી કૃષિ ધિરાણ માળખા મારફતે ધિરાણ મેળવતા રાજ્યના સખી મંડળોને ૭%ના દરે ધિરાણ મળી રહે તે માટે અને તેથી તેમને આિથર્ક પ્રવૃત્તિને વેગ મળે તે માટે રાજ્ય સરકારે ૫% સુધીના દરે વ્‍યાજ રાહત આપવાની નવી યોજના સને ૨૦૧૨-૧૩ થી અમલમાં મુકવામાં આવેલ છે.

ખાડં સહકારી મંડળીઓને શેરમુડી ફાળો (આિદજાતિ વિસ્‍તાર માટે)

આિથર્ક રીતે નબળી ખાડં સહકારી મંડળીઓને મદદરુપ થઇ સધ્ધર કરવાના હેતુસર તે મંડળીઓના પ્રોજેક્ટ ખચર્ના ૩૦% સુધી રાજ્ય સરકારે શેર ફાળો આપવાની નવી યોજના સને ૨૦૧૨-૧૩ થી અમલમાં મુકવામાં આવેલ છે.

રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના

રાષ્ટ્રીય કૃષિ વીમા યોજનાનુ અરજી ફોર્મ ભરવા માટેની અગત્યની સૂચનાઓ

૧) સૌપ્રથમ વીમા પ્રીમિયમની ગણતરી જોવા માટે તમો પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઊપયોગ કરી શકશો.

૨) અરજદારની વિગતો ત્રણ ભાગમા વહેંચાયેલી છે.

અ) ભાગ-૧ અરજદારની પ્રાથમિક માહિતી.

બ) ભાગ-૨ અરજદારની જમીન ખાતા અને ખાતેદારની માહિતી.

ક) ભાગ-૩ પાક જમીન ક્ષેત્રફળ અને તેના વીમા અંગેની માહિતી

૩) અરજદારે મોબાઈલ નંબર આપવો ફરજિયાત છે અને તેને SMS દ્વારા આ યોજનાની જાણકારી મળશે.

૪) ભાગ ૧,૨, અને ૩ ની વિગતો ભર્યા બાદ અરજદારે દરખાસ્ત પત્રની પ્રિન્ટ લઈને જે તે બેંક્મા રજુ કરીને ત્યાથી તેની રસીદ મેળવવાની રહેશે.

૫) બેંક જે અરજી ફોર્મ (દરખાસ્ત પત્ર) ને સ્વીકારીને રસીદ આપશે તે અરજી ફોર્મ (દરખાસ્ત પત્ર) મા અરજદાર દ્વારા કોઈ સુધારા વધારા થઈ શકશે નહિ.

૬) બેંકે જે સરવે નંબરનુ ફોર્મ સ્વીકારીને તેની ઓનલાઈન રસીદ આપેલ હોય તેવા સરવે નંબર માટે બીજુ અન્ય ફોર્મ બીજી બેંક સ્વીકારી શકશે નહિ.

૭) જ્યા સુધી એક સરવે નંબરનુ ક્ષેત્રફળ પુરેપુરુ વપરાયેલ નહિ હોય ત્યા સુધી આંશીક ક્ષેત્રફળની જુદી જુદી અરજીઓ કરી શકાશે.

૮) અરજદારે દરખાસ્ત પત્રની પ્રિન્ટ જે તે બેંક્મા રજુ કરીને ત્યાથી તેની રસીદ મેળવી લીધા બાદ જો પાક અથવા પાકની અન્ય વિગતો મા સુધારો જણાય તો તેને ઘોષણાપત્રક ભરીને તેની પ્રિન્ટ લઈને જે તે બેંક્મા રજુ કરવાની રહેશે.

ખેતીની પૂર્વતૈયારી માટે પાણી, જમીન, બિયારણ, ખાતર, વાવણીથી લણણી અને તે પછી ખેતપેદાશોના બજાર અને નિકાસ સુધીની આધુનિક માળખાકીય વિકાસની સુવિધા આપી છે, એમ તેમણે જણાવ્યું હતું.

દેશનો કૃષિ વિકાસ દર ત્રણ ટકાએ આજેય ડચકાં ખાય છે ત્યારે ગુજરાતે અગિયાર ટકાનો કૃષિ વિકાસ કઇ રીતે હાંસલ કર્યો તેની અચરજ-ચર્ચા થાય છે એનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેતીવાડી ક્ષેત્રે ખેડૂતને તેના નસીબ ઉપર નથી છોડી દીધો, આયોજનબદ્ધ રીતે ખેતીવાડીને રાજ્યના આર્થિક વિકાસના મહત્વના પાસા તરીકે ગણીને આધુનિક ખેતી માટે ખેડૂતને કૃષિ માળખાકીય સુવિધાઓનું નેટવર્ક આ સરકારે ઉપલબ્ધ કર્યું છે.

રાજ્યમાં કલાઇમેટ ઝોન અંતર્ગત જમીન સુધારણા, જળસંચય, વોટરશેડ કાર્યક્રમ, ખારાશ નિવારણ, સુદૃઢ બજાર વ્યવસ્થા, ખેતીમાલ ગોડાઉન-કોલ્ડ સ્ટોરેજ ચેઇન સુધીની વ્યવસ્થા કરી છે, એમ તેમણે જણાવ્યું હતું.

એકરદીઠ વધુ ઉત્પાદકતા અને મૂલ્યવર્ધિત ખેતીનું ઉત્પાદન એ ગુજરાતના કૃષિ વિકાસનું મહત્વનું પાસું છે. કૃષિ વૈજ્ઞાનિકોએ અનેક પ્રકારના સંશોધનો કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદનનો રસ્તો બતાવ્યો છે. વીજળી પુરવઠા માટે દર વર્ષે ૧પ૦થી ૧૭પ સબ સ્ટેશનો ઉભા થાય છે એના કારણે વીજળી પુરતી મળે છે, પાક ઉભો હોય ત્યારે પાણીના પંપની મોટર વીજળીની અનિયમિતતા અને વોલ્ટેજ ધટાડાના કારણે બળી જતી ત્યારે ખેડૂતનું હૈયું બળી જતું. માત્ર પાક બળી જતો હતો એવું નહોતું.

ખેડૂતો ઉપર ખેતીના ખર્ચનું ભારણ ધટાડવા અનેક માળખાકીય સુવિધા વિકાસ ઉપકારક બન્યા છે જ પરંતુ એની સાથે ખેડૂતની કમાણી વધતી રહી એવી પોસ્ટ હાર્વેસ્ટ એગ્રો ઇન્ફ્રાસ્ટ્રકચરની સુવિધા ઉભી કરી છે.

ભૂતકાળની બધી અવાવરૂ વાવોને પુનઃજીવિત કરી જલમંદિરો બનાવ્યા. તેની બાજુમાં પંચવટી ઉભી કરીને ધટાટોપ વનરાજીની દિશા લીધી છે, એમ તેમણે જણાવ્યું હતું. ગુજરાત સરકારે ખેતરથી બજારતંત્ર સુધી ખેત પેદાશોના પરિવહન માટે સારા માર્ગની જરૂર વિચારીને કિસાનપથ બનાવ્યા છે તેની રૂપરેખા પણ મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી.

ગુજરાતનો ખેડૂત દુનિયાના બજારોમાં પાક, ફળફળાદી, શાકભાજી નિકાસ કરતો થયો છે ત્યારે આખા ગુજરાતમાં માલસંગ્રહ માટે નવું માળખું ખૂબ મોટા પાયા ઉપર ઉભું કરાશે. નાના-સિમાંત ખેડૂત પાસે તદ્દન ટૂંકી જમીનમાં પણ પોષણક્ષમ બાગાયત-શાકભાજીની ખેતી કરે અને સમૃદ્ધિ માપે તે માટે ગ્રીન હાઉસ-નેટહાઉસની યોજના શરૂ કરી છે. આવા નેટહાઉસ રપ,૦૦૦ જેટલા નવા બનાવ્યા છે. રૂપિયો ગામડામાં દોડે તો જ શહેર તરફનું અર્થતંત્ર ધબકતું રહેશે એમ તેમણે જણાવ્યું હતું.

ખેડૂતને પોષાય એવી ખેતી ઓછી જમીનમાં વધારે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારે મળે તે કૃષિ મહોત્સવે ખૂબ જ મોટું પરિવર્તન લાવી દીધું છે.

આ વર્ષે પણ ચોમાસામાં પૂરતો વરસાદ, જયાં જોઇએ ત્યાં અને જયારે જોઇએ એવો પડે એ માટે કુદરત મહેર કરશે અને આપણે ખેડૂતો પણ વરસાદનું પાણી વેડફશે નહીં એમ પણ તેમણે જણાવ્યું હતું. ઓછી જમીને પાકનું ઉત્પાદન અને ઓછા પશુઓએ વધુ દૂધ ઉત્પાદન એ માટે ખેડૂત કોઇ કચાશ નહીં રાખે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

વીજળી

રાજયના ખેડૂતોનનું કૃષિ ઉત્પાદન પાંચ વર્ષમાં બમણું કરવાના ઉદેશ સાથે સૌ પ્રથમ વર્ષ-૨૦૦૫-૦૬માં કૃષિ મહોત્સવ-૨૦૦૫ તરીકે શરૂઆત કરવામાં આવી. કૃષિ મહોત્સવ રાજય સરકારનો એક માસ લાંબો અને ઘનિષ્‍ટ વિસ્‍તરણ કાર્યક્રમ છે. કૃષિ મહોત્સવ દરમ્યાન કૃષિ વૈજ્ઞાનિકશ્રી ઓ, અધિકારીશ્રીઓ અને પદાધિકારશ્રીઓ ધ્વારા કૃષિ રથના માધ્યમથી રાજયના તમામ ગામની મુલાકાત લઇ આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે. કૃષિ મહોત્સવ-૨૦૦૫ ના આયોજનથી રાજયમાં કૃષિ ક્ષેત્રે સફળતાનો પાયો નંખાયેલ છે આ મહોત્સવનું ખુબજ સારૂ પરિણામ જોવા મળતાં રાજય સરકારશ્રી દર વર્ષે કૃષિ મહોત્સવનું આયોજન કરી ખેડૂતોને માર્ગદર્શન પુરૂ પાડેલ છે.

કૃષિ મહોત્સવમાં ગામડાઓની મુલાકાત દરમ્યાન ખેડૂતોને વૈજ્ઞાનિક અને આધુનિક ખેતી પધ્ધતિ, બજાર અને માંગ આધારિત ખેતી, ટકાઉ ખેતી, સેન્દ્રિય ખેતી, કૃષિમાં યાંત્રિકરણ, સૂક્ષ્મ પિયત પધ્ધતિ, પાકોનું મુલ્યવર્ધન તેમજ કૃષિ આનુસાંગિત બાબતો અંગે રૂબરૂ માર્ગદર્શન આપવામાં આવે છે. સરકારશ્રીની વિવિધ ખેડૂતલક્ષી સહાય યોજનાઓનું અમલીકરણ પણ કરવામાં આવે છે.

કૃષિ મહોત્સવ -૨૦૧૨ અને ૨૦૧૩ તાલુકા પંચાયત સદસ્યની બેઠક મુજબ કલ્સ્ટરવાઈઝ બેઠકના ગામમાંથી કોઈપણ એક ગામ પસંદ કરી આખા દિવસનો કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં પસંદ કરેલ ગામમાં તાલુકા સદસ્ય બેઠકના અન્ય ગામોના ખેડૂતો અને લોકોને સાંકળવામાં આવેલ હતા.

યોજનાનો લાભ કોણ લઈ શકે?

રાજ્યના તમામ ખેડૂત ભાઇઓ અને મહિલા ખેડૂતો લાભ લઇ શકે છે.

યોજનામાં મળતા લાભો

કૃષિ મહોત્સવમાં વિના મુલ્યે કૃષિ, બાગાયત અને પશુપાલન કીટ્સ વિતરણ, ખેડૂતોને વૈજ્ઞાનિક અને આધુનિક ખેતી પધ્ધતિ, સેન્દ્રિય ખેતી, કૃષિમાં યાંત્રિકરણ, સૂક્ષ્મ પિયત પધ્ધતિ, પાકોનું મુલ્યવર્ધન તેમજ કૃષિ આનુસાંગિત બાબતો અંગે રૂબરૂ માર્ગદર્શન તેમજ યોજનાકીય માહિતી વિશે જાણકારી મળી રહે છે.

યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય

કૃષિ મહોત્સવ દરમ્યાન કૃષિરથ સાથે કૃષિ અધિકારીશ્રીઓ અને કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા દરેક ખેડૂતોને ખેતી વિષયક તેમજ સરકારશ્રીની યોજનઓ અંગે માર્ગદર્શન/જાણકારી ઘર આંગણે આપવામાં આવે છે.

કૃષિ મહોત્સવ

યોજનાના સંબધિત ઠરાવ અથવા અરજીપત્રક

કૃષિ મહોત્સવના ઠરાવો

1

06-08-2014

અતમ-૧૦૨૦૧૪-૧૦૭૩-ક/૭

એગ્રીકલ્‍ચર ટેકનોલોજી મેનેજમેન્‍ટ એજન્‍સી માટે સુધારેલ ગાઇડલાઇન મુજબની નવી ૩૪૧ જગ્‍યાઓ માટે રાજ્યના હિસ્‍સાના ૧૦ ટકાની જોગવાઇને વર્ષ ૨૦૧૪-૧૫માં વહીવટી મંજુરી આપવા બાબત (નવી બાબત)

2

06-08-2014

અતમ-૧૦૨૦૧૪-૧૦૭૩-ક/૭

એગ્રીકલ્‍ચર ટેકનોલોજી મેનેજમેન્‍ટ એજન્‍સી માટે સુધારેલ ગાઇડલાઇન મુજબની નવી ૩૪૧ જગ્‍યાઓ માટે રાજ્યના હિસ્‍સાના ૧૦ ટકાની ગ્રાન્‍ટને વર્ષ ૨૦૧૪-૧૫માં વહીવટી મંજુરી આપવા બાબત (નવી બાબત) (TASP)

3

06-08-2014

અતમ-૧૦૨૦૧૪-૧૦૭૩-ક/૭

એગ્રીકલ્‍ચર ટેકનોલોજી મેનેજમેન્‍ટ એજન્‍સી માટે સુધારેલ ગાઇડલાઇન મુજબની નવી ૩૪૧ જગ્‍યાઓ માટે રાજ્યના હિસ્‍સાના ૧૦ ટકાની જોગવાઇને વર્ષ ૨૦૧૪-૧૫માં વહીવટી મંજુરી આપવા બાબત (નવી બાબત) (SCSP)

 

 

 

સ્‍થાપના યોજના ૨૦૧૪-૧૫માં ચાલુ રાખવાની વહીવટી મંજુરી આપવા બાબત (૨૪૦૧-૮૦૦-૧૯)

ભારતમાં દુષ્કાળ મુખ્યત દક્ષિણ-પશ્ચિમ મોનસુન ( જુન-સપ્ટેમ્બર)માં ન આવવાથી થાય છે. દુષ્કાળથી પ્રભાવિત ક્ષેત્રોને આગળના મોનસુન સુધી રાહ જોવી પડે છે. પુરા દેશમાં 73% થી વધુ વર્ષા દક્ષિણ-પશ્ચિમ મોનસુન દ્વારા પ્રાપ્ત થાય છે.

વરસાદ સંબંધિત ઉપલબ્ધ આંકડાથી દુષ્કાળ પરિપ્રેક્ષ્ય પર સુચવે છે કે

  • દેશના કુલ 16% દુષ્કાળ સંભવિત ક્ષેત્ર છે. વાર્ષિક રુપે દેશમાં લગભગ 5 કરોડ લોકો દુષ્કાળના સંકટથી પ્રભાવિત થાય છે.
  • વાવણી કરેલા ક્ષેત્રોમાં કુલ 68% ક્ષેત્ર અલગ અલગ માત્રામાં દુષ્કાળથી પ્રભાવિત છે.
  • 35% ક્ષેત્રમાં 750 મીલી મીટરથી 1125 મીલી મીટર સુધી વર્ષા થાય છે. અને તે દુષ્કાળ સંભવિત ક્ષેત્ર છે.
  • દેશના શુષ્ક (19.6%),અર્ધ-શુષ્ક (37%) અને ઉપ-ભેજ (21%) ક્ષેત્રોમાં વધારે દુષ્કાળ સંભવિત ક્ષેત્ર જોવા મળ્યા છે. એના કુલ જમીનવાળા ભાગ 32.90 કરોડ હેકટરનો 77.6% માં ફેલાયેલ છે.
  • ભારતમાં વાર્ષિક સરેરાશ વર્ષા 1160 મીલી મીટર હોય છે. જો કે 85% વર્ષા 100-120 દિવસમાં (દક્ષિણ-પશ્ચિમ મોનસુન દિવસોમાં) થાય છે.
  • 33% ક્ષેત્રમાં 750 મીલીમીટરથી ઓછી વર્ષા થાય છે અને તે ગંભીર દુષ્કાળ સંભવિત ક્ષેત્ર છે.
  • 21% ક્ષેત્રમાં 750 મીલીમીટરથી ઓછી વર્ષા થાય છે. (દ્વિપ ક્ષેત્ર અને રાજસ્થાન)
  • 10 વર્ષમાંથી 4 વર્ષ અનિયમિત વર્ષા હોય છે.
  • સિંચાઇ ક્ષમતા 140 મિલિયન એચએ છે (76 એમએચએ + 64 એમએચએ ધરતીની અંદરનુ પાણી)
  • ધરતીની અંદરનુ પાણીમાં ખોટ અને સપાટી પાણીની સિમિતતાથી એમ ઇંગિત કરવામાં આવ્યુ છે કે વાવણીવાળા બધા ક્ષેત્રમાં સિંચાઇ કરી શકાય નહી.
  • આબાદીમાં વૃધ્ધિ, ઝડપથી થતા ઓધોગીકરણ, શહેરીકરણ, પાક તીવ્રતા અને ધરતી ની અંદર ઓછા થઇ રહેલા પાણી સ્તર વગેરે જેવા કારણે પ્રતિ વ્યકિત પાણી ઉપલબ્ધતા ઓછી થઇ રહી છે. આ સમશ્યા વધુ વધવાની છે.
  • શુધ્ધ પરિણામ – કેટલાક ભાગો કે અન્ય ભાગોમાં દુષ્કાળ અનિવાર્ય.

સંભવિત દુષ્કાળના નિદાન (ડાયગનોસિસ)

પ્રાપ્ત અનુભવોના આધાર પર આપણા કૃષિ ચક્રોના વિભિન્ન અવસ્થાઓ માટે આવનારી દુકાળની ચેતવણીવાળા સંકેતો ઓળખવામાં આવ્યા છે. જે નિમ્નલિખિત છે:

ખરીફ માટે (જુન થી ઓગષ્ટ સુધી વાવણી)

  • દક્ષિણ – પશ્ચિમ મોનસુનમાં વિલંબ
  • દક્ષિણ – પશ્ચિમ મોનસુનની પ્રવૃત્તિમાં લાંબા વિરામ
  • જુલાઇ મહિનામાં ઓછો વરસાદ
  • ચારાના મુલ્યમાં વધારો
  • જળાશયના સ્તરમાં વધવાની પ્રવૃત્તિ બંધ થવી
  • ગ્રામ્ય પીવાના પાણીની આપુર્તીના સ્ત્રોતો સુકાવા
  • "સામાન્ય વર્ષો" ના આંકડાની તુલનામાં સપ્તાહ દર સપ્તાહ કરવામાં આવનારી વાવણીની પ્રગતિમાં કમી.

રબી માટે (નવેમ્બર થી જાન્યુઆરી સુધી વાવણી)

  • દક્ષિણ-પશ્ચિમ મોનસુન ( 20 સપ્ટેમ્બર ) માટે સમાપ્ત આંકડા ખોટ
  • “સામાન્ય વર્ષો” ની તુલનામાં જમીનની અંદર પાણીના સ્તરમાં ગંભીર ખોટ
  • “સામાન્ય વર્ષો” ના આંકડાની તુલનાએ જળાશયના સ્તરમાં ખોટ, દક્ષિણ-પશ્ર્ચિમ મોનસુનના બરાબર પછી ભરાયેલા નહી હોવાના લક્ષણ
  • ચિહિત થયેલ માટીમાં ભેજ તણાવના સંકેત
  • ચારાના કિંમતમાં વધારો
  • ટેન્કરોની મદદથી પાણીના ફેલાવામાં વૃધ્ધિ

તામિલનાડુ અને પોંડિચેરી માટે મહત્વપુર્ણ અવધિ ઉત્તર પુર્વી મોનસુન- ઓકટોબર થી ડિસેમ્બર હોય છે.

અન્ય મોસમ

  • ગુજરાત, મધ્યપ્રદેશ, મરાઠવાડા અને ઉત્તરી આંતરિક કર્ણાટક ક્ષેત્રો માટે મહત્વપુર્ણ સમય માર્ચ એપ્રીલ હોય છે. જયારે પાણી સંબંધી દુષ્કાળનાકારણે કેટલાય ક્ષેત્રોમાં પીવાના પાણીનો ગંભીર રુપથી ઘટાડો થાય છે.
  • થોડા વિશેષ રાજયો અને ખાસ પાકો માટે વરસાદની ખાસ અવધિ રહે છે. જે સમયે વરસાદનુ હોવુ ઘણુ મહત્વપુર્ણ રહે છે. જેવા કે બાગાની પાકો માટે કેરળમાં ફેબ્રુઆરીમાં વરસાદ થવો.

પ્રશ્‍ન: જીલ્લા પંચાયતને નોંધણી સંબંધે મળેલ અધિકાર બાબત

જવાબ: દરેલ જીલ્લામાં જીલ્લા કક્ષાએ ભલામણ સમીતી અસ્તિત્વ ધરાવે છે. અને આ સમીતીની બેઠકમાં પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ કરતી સેવા સહકારી મંડળી (સુચિત) ની નોંધણી સંબંધે નિર્ણય લેવામાં આવે છે. અને નોંધણી કરવા કે નહિ કરવા ભલામણ કરવામાં આવે છે. સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ ની કલમ-૯ હેઠળના અધિકારો જીલ્લા પંચાયતને ઉત્પાદન, સહકાર, સિંચાઇ સમીતીને મળેલ છે. ખાતાની સ્થાયી સુચના મુજબ એક રેવન્યુ વિલેજમાં એક ઉદ્દેશ અને પ્રકારની એકજ મંડળી હોવી જોઇએ જો આ ઉદ્દેશવાળી બીજી મંડળીની નોંધણી કરવામાં આવે તો મંડળીની અર્થક્ષમતા ઉપર પ્રતિકુળ અસર થાય છે. આમ છતાં ઉત્પાદન, સહકાર, સિંચાઇ સમીતીમાં ભલામણ સમીતીની ભલામણને ધ્યાને લીધા સિવાય સેવા સહકારી મંડળીઓની અને અન્ય ગોપાલક, બીજ, ફળ/શાકભાજી વગેરે મંડળીઓની નોંધણી કરવા માટે ઠરાવ પસાર કરવામાં આવે છે. જે આધારે મદદનીશ જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ પંચાયત ઘ્વારા મંડળીને નોંધણી પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવે છે. અને ત્યારબાદ સ્થાયી સુચના મુજબ વડી કચેરી ગાંધીનગર મુકામે સુઓમોટો રીવીઝન દાખલ કરવામાં આવે છે, એકજ ગામમાં એકજ પ્રકારના ઉદ્દેશવાળી એક કરતાં વધુ મંડળીની નોંધણી કરવાથી નોંધાયેલ મંડળી ઉપર વિપરીત અસર થાય છે. સરકારના સિધ્ધાંતો વિરૂધ્ધ સહકારી સંસ્થાઓ વચ્ચે બીન તંદુરસ્ત ગળાકાપ હરીફાઇ થાય છે. આ સંજોગોમાં સુઓમોટો રીવીજનનો નિકાલ ન થાય ત્યાં સુધી નોંધણી પ્રમાણપત્ર ઇસ્યુ નહી કરવા અગર મંડળીની કામગીરી ઉપર મનાઇ હુકમ આપવામાં આવે તો સહકારના સિધ્ધાંતો અને સહકારી કાયદાની જોગવાઇને સુસંગત રહીને જરૂરીયાત પ્રમાણે સહકારી મંડળીઓની રચના થઇ શકે.

પ્રશ્‍ન: દુધ સંઘ ઘ્વારા ચુચિત મંડળી સેન્ટર અને મિલ્ક કલેકશન સેન્ટરની રચના થવા બાબત

જવાબ: ખાતાની સ્થાયી સુચના મુજબ રેવન્યુ વિલેજમાં એકજ દુધ મંડળીની રચના કરવાની થાય છે. અને દુધ મંડળીની દરખાસ્ત દુધ સંઘના અભિપ્રાય સાથે રજુ થતી હોય છે. અને તે અનુસાર નિર્ણય લઇ નોંધણી કરવામાં આવે છે. ધી બનાસકાંઠા જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. ઘ્વારા અમુક ગામોમાં સુચિત મંડળીની સ્થાપના કરવામાં આવે છે. સુચિત મંડળી શરૂ થયા પછી છ માસ બાદ સુચિત મંડળીની નોંધણી દરખાસ્ત રજુ કરવાની થાય છે. આમ છતાં ઘણી સુચિત મંડળીઓ છ માસ કરતાં વધુ સમય થવા છતાં સંઘ ઘ્વારા આવી સુચિત મંડળીઓની નોંધણી દરખાસ્ત રજુ કરવામાં આવતી નથી અને સુચિત મંડળીઓ ચાલુ રાખવામાં આવે છે. તથા ઘણા ગામોમાં દુધ સંઘ ઘ્વારા મિલ્ક કલેકશન સેન્ટર આપવામાં આવે છે. જે મિલ્ક કલેકશન સેન્ટર સ્વતંત્ર યુનિટ તરીકે કામ કરે છે. અને તેની કામગીરીથી નોંધાયેલ મંડળીની કામગીરી ઉપર પ્રતિકુળ અસર થાય છે. આ સંજોગોમાં મિલ્ક કલેકશન સેન્ટરને જે તે નોંધાયેલ મંડળીના પેટા સેન્ટર તરીકે મંજુરી આપવામાં આવે તો મિલ્ક કલેકશન સેન્ટરની જરૂરીયાત રહેતી નથી. આ બાબતે જરૂરી પરીપત્રીત સુચનાઓ થવા અભિપ્રાય થાય છે.

પ્રશ્‍ન: સહકારી મંડળીઓમાં સભાસદ થવા બાબત

જવાબ:તાલુકા સંઘ/જીલ્લા બેંક/જીલ્લા ખરીદ વેચાણ સંઘ તથા પ્રાથમિક મંડળીઓમાં વ્યકિત /મંડળીઓને સંબંધિત સહકારી સંસ્થાના પેટા નિયમના ઉદ્દેશો મુજબ સભાસદ તરીકે દાખલ થવા માટે લાયકાતના ધોરણો ધરાવતા હોવા છતાં સભાસદ તરીકે દાખલ કરવામાં વિલંબ કરવામાં આવે છે. અથવા સભાસદ અરજી નામંજુર કરવામાં આવે છે. આ સંજોગોમાં અત્રેથી સહકારી મંડળી અધિનિયમની કલમ-૨૨ (૨) મુજબ સંસ્થાને જે તે વ્યકિત અથવા મંડળીને સંસ્થાના સભ્ય તરીકે દાખલ કરવા માટે નિર્ણય લેવા માટે જણાવવામાં આવે છે. તેમજ સેવા મંડળીઓ /ગ્રાહક મંડળીઓ અને પ્રાથમિક દુધ મંડળીઓના કિસ્સામાં ધી ગુજરાત સહકારી મંડળીઓના નિયમો-૧૯૬૫ ના નિયમ-૧૨ મુજબ નિર્ણય લેવામાં આવે છે.

પ્રશ્‍ન:નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમીતીની મુદત બાબત

જવાબ:ધી ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ ની કલમ-૭૪ (સી) (૨) મુજબ નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમીતીની મુદત ત્રણ વર્ષની ઠરાવવામાં આવેલ છે. ૯૭ માં બંધારણીય સુધારાની જોગવાઇ મુજબ નિર્દિષ્ટ મંડળી સીવાયની અન્ય મંડળીઓની કમીટીની મુદત પાંચ વર્ષની ઠરાવેલ છે. આ સંજોગોમાં ચુંટણી અધિકારીશ્રી તરફથી તથા જે તે નિર્દિષ્ટ સહકારી સંસ્થા તરફથી કમીટીની મુદત બાબતે માર્ગદર્શન માંગવામાં આવે છે. જે બાબતે કાયદાની જોગવાઇ મુજબ કમીટીની મુદત ત્રણ વર્ષની રહેશે. તેમ જણાવવામાં આવે છે.

પ્રશ્‍ન: દુધ મંડળીઓના અમુક કિસ્સામાં સભાસદ/ગ્રાહકનું દુધ નહી સ્વીકારવા બાબત

જવાબ:. બનાસકાંઠા જીલ્લામાં કુલ- ૧૨૪૮ દુધ મંડળીઓ અસ્તિત્વ ધરાવે છે. અમુક સંજોગોમાં નીચે જણાવેલા કારણોસર દુધ મંડળી ઘ્વારા અમુક સભ્યોનું દુધ સ્વીકારવાની ના પાડવામાં આવે છે.

  • દુધમાં તૈલી પદાર્થ નાખવાથી / અને ભેળસેળ કરવાથી
  • સભ્યનું મંડળી સાથેનું અવિવેક વર્તન
  • ગામમાં મંડળી અને સભ્ય વચ્ચેની અન્ય મુદ્દાઓની તકરારો ઉકત સંજોગોમાં સભ્યની રજુઆત ન્યાયી હોય ત્યારે અત્રેથી સભાસદની દુધ સ્વીકારવા માટે જણાવવામાં આવે છે. અને અમુક તકરારી મુદ્દા બાબતે સહકારી કાયદાની કલમ-૯૬ હેઠળ બોર્ડઓફ નોમીનીઝમાં દાવા અરજી દાકલ કરી દાદ મેળવવા માટે જણાવવામાં આવે છે.

પ્રશ્‍ન:એકથી વધુ ધિરાણ મંડળી પાસેથી નાણાં ઉછીના લેવા ઉપર નિયત્રંણ બાબત

જવાબ:. ધી ગુજરાત સહકારી મંડળીઓના નિયમો-૧૯૬૫ ના નિયમ-૨૪ (ક) (૧) મુજબ સભાસદોએ એકથી વધુ મંડળીના સભ્યો હોય તેવી દરેક વ્યકિતએ તેવી રીતે શાખ ઉપર નાણાં લીધાં ન હોય તો તેને નમુના ડી.ડી. મુજબ એવો એકરાર કરવો કે પોતે એકરાર . મુજબ એકજ મંડળીમાંથી નાણાં ઉછીના લે છે. અથવા જમીનની જવાબદારી સ્વીકારશે. તેમ છતાં અત્રેના જીલ્લામાં આ બાબતે ધ્યાને રાખ્યા સીવાય એક વ્યકિત બે કે ત્રણ મંડળીમાં સભાસદ બની ધિરાણ મેળવે છે. જે બાબતે અત્રેથી સંબંધ કર્તા મંડળીઓને જણાવી આ નિયમ મુજબ અમલ કરવા જણાવી નિકાલ કરવામાં આવે છે.

પ્રશ્‍ન: નાગરીક શરાફી સહકારી મંડળીઓની કામગીરી બાબત

જવાબ:. બનાસકાંઠા જીલ્લામાં કુલ ૬ નાગરીક સહકારી બેંકો આવેલ છે. તેની ૧૧ શાખાઓ છે. નાગરીક શરાફી સહકારી મંડળીઓ- ૧૭૯ . છે. આ સિવાય જીલ્લામાં મલ્ટીસ્ટેટ કો.ઓપ. શરાફી મંડળીઓની સંખ્યા - ૯ છે. જેની કુલ -૫૦ શાખાઓ કાર્યરત છે. આ મલ્ટીસ્ટેટ મંડળીઓ અન્ય નાગરીક મંડળીઓની સરખામણીમાં થાપણ ઉપર વધુ વ્યાજ આપે છે. જેના કારણે શરાફી મંડળીઓની કામગીરી ઉપર અને વસુલાતની કામગીરી ઉપર વિપરીત અસર થાય છે. આ સંજોગોમાં મલ્ટીસ્ટેટ શરાફી મંડળીઓની કામગીરી નિયંત્રીત કરવી જરૂરી છે.

પ્રશ્‍ન:બજાર સમીતીની કમીટીમાં ઉમેદવારી કરવા માટે લાયકાતના ધોરણ બાબત

જવાબ:. ખેતી ઉત્પન્ન બજાર અધિનિયમ-૧૯૬૩ અને નિયમોની જોગવાઇ પ્રમાણે બજાર સમીતીની રચનામાં કમીટી સભ્યની લાયકાતના ધોરણો સુનિચ્ચિત થવા જરૂરી છે. ઘણી વખત સહકારી સંસ્થાના અધિકારી ઘ્વારા ઉમેદવારી કરવામાં આવે છે. આ સંજોગોમાં કાયદાની જોગવાઇ સુસ્પષ્ટ ન હોય ઉમેદવારીપત્ર મંજુર કરવામાં આવે છે.

પ્રશ્‍ન:સહકારી સંસ્થામાં વ્યવસ્થાપક કમીટીની રચના બાબત.

જવાબ:. અમુક સહકારી સંસ્થામાં વ્યવસ્થાપક કમીટી સભ્યો એકબીજાના સગા હોય છે. અથવા તેઓ મંડળીના પગારદાર કર્મચારીના સગા હોય છે. અને જે કારણે મંડળીની અંદર અમુક સભ્યો ઘ્વારા આ બાબતોની રજુઆત આવે છે. અને રજુઆતના મુદ્દાઓમાં કમીટીની બેઠક, સાધારણ સભાની બેઠક અને ખર્ચાઓ બાબતે અનિયમિતતા અને જાણકારી આપવામાં આવતી નથી. આ સંજોગોમાં સમવાયી સંસ્થા અગર સંબંધીત ઓડીટરશ્રીને આ અરજી મોકલી આપી ઓડીટ વખતે હકીકતો તપાસવા માટે જણાવવામાં આવે છે. અને અત્રેથી સુનાવણી રાખવામાં આવે છે. સહકારી મંડળી અધિનિયમ અને કાનૂનમાં લાયકાત ધોરણો વધુ સ્પષ્ટ થાય તો આવા પ્રÅનનો ઝડપી નિકાલ લાવી શકાય.

પ્રશ્‍ન:મંડળીમાં રાખવામાં આવતા કર્મચારીના જામીનો મેળવવા બાબત.

જવાબ:. જીલ્લામાં આવેલ સહકારી મંડળીઓમાં રાખવામાં આવેલ કર્મચારીઓના જામીન મેળવવામાં આવતા નથી. પરીણામે આવા કર્મચારીઓ ચાલુ ફરજ દરમ્યાન સંસ્થા છોડી અન્યત્ર જતા રહે ત્યારે તેમના હસ્તકની કામગીરીમાં જવાબદારી નક્કી કરવા કે ફરીયાદ નોંધાવવામાં મુશ્કેલીઓ પડે છે. પરીણામે આવા કર્મચારીઓ સામે કાયદાકીય કાર્યવાહી થવામાં વિલંબ થાય છે. મંડળીમાં આવા કર્મચારીઓના પુરતી રકમના જમીનો સંસ્થા ઘ્વારા મેળવાયેલ હોય તો આ બાબતે કાર્યવાહી કરવામાં સરળતા રહે તો આ બાબતે પરિપત્રીત થવો જરૂરી છે.

પ્રશ્‍ન: જાહેર માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ બાબત.

જવાબ:. અરજદાર તરફથી મંડળી પાસે માહિતી માંગવામાં આવે છે. અને મંડળી જાહેર સત્તા મંડળીની વ્યાખ્યામાં આવતી ન હોય માહિતી આપવામાં આવતી નથી. આ સંજોગોમાં ઘણી વખતે અત્રે પ્રથમ અપીલ કરવામાં આવે છે. અરજદાર ઘ્વારા માંગવામાં આવેલ માહિતી કચેરીમાં ઉપલબ્ધ ન હોય અપીલ અરજી નામંજુર કરવામાં આવે છે. અગર પ્રથમ અપીલ અરજી દાખલ કરવાની થતી નથી. તેમ જણાવવામાં આવે છે. બીજી અપીલ અરજી જાહેર માહિતી આયોગ ઘ્વારા સિવિલ એપ્લીકેશન નં.- ૯૦૧૭/૨૦૧૩ માં તા. ૭/૧૦/૨૦૧૩ ના ચુકાદા મુજબ દિન- ૩૦ માં માહિતી અરજદારને પુરી પાડવા માટે હુકમ કરવામાં આવે છે. સહકારી મંડળી અધિનિયમ કલમ- ૩૩ ની વ્યાખ્યા મુજબ જો અરજદાર મંડળીનો સભ્ય હોય તો નિહિત થયેલ માહિતી સભ્યને પુરી પાડવા માટે મંડળીને જણાવવામાં આવે છે.

પ્રશ્‍ન:વેર હાઉસ લાયસન્સ આપવા બાબત.

જવાબ:. વેર હાઉસ એકટ- ૧૯૫૯ માં સુધારો થયેલ છે. અને હાલમાં વેર હાઉસ એકટ- ૨૦૦૬ અમલમાં આવેલ છે. વેર હાઉસ રૂલ્સ - ૧૯૬૦ માં સુધારો અન્વયે સરકારશ્રી કક્ષાએથી નિયમો બહાર પાડવામાં આવેલ નથી. વેર હાઉસ રૂલ્સની જોગવાઇ મુજબ અત્રેથી લાયસન્સ આપવાનું રહે છે. જે કારણોસર અત્રેની કચેરીએ વેર હાઉસ લાયસન્સની અરજીઓનો નિકાલ થવાનો બાકી છે.

પ્રશ્‍ન:સહકારી મંડળીની નોંધણી માટે કઇ કચેરીનો સંપર્ક કરવો.

જવાબ:. સહકારી મંડળીની નોંધણી જીલ્લામાં ત્રણ કચેરીઓમાં કરવામાં આવે છે.

  • જીલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી (શહેરી વિસ્તારની દૂધ અને મજૂર કામદાર મંડળીઓ)
  • જીલ્લા પંચાયતની કચેરી (પંચાયત હકુમત વિસ્તારની દૂધ અને મજૂર કામદાર સિવાઇની મંડળીઓ)
  • જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર (ઔદ્યોગિક મંડળીઓ)

પ્રશ્‍ન:સહકારી મંડળીની નોંધણી માટે કયા દસ્તાવજો જોઇએ ?

જવાબ:. ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧(૧૯૬ર નાં ૧૦મો)અન્‍વયે નોંધણીની દરખાસ્‍તના જરૂરી દસ્‍તાવેજો (ચેકલીસ્‍ટ)

  • નોંધણી માટેનું ફોર્મ અ - (નિયમ - ૩) (29 KB)
  • નોંધણી ના ફોર્મમાં મંડળીના સભાસદ બનવાને લાયક અલગ અલગ કુંટુબના ૧૦ વ્‍યકિતઓની સહી ( કલમ-૮ (ર)
  • મુખ્‍ય પ્રાયોજકની અરજીમાં સહી ( કલમ -૮(૩)
  • નોંધણી માટેની અરજી પર સહી કરવા મુખ્‍ય પ્રાયોજકને અધિકૃત કર્યા અંગેના ઠરાવની પ્રમાણિત નકલ ( કલમ -૮(૩)
  • અરજીમાં સહી કરનાર મુખ્‍ય પ્રાયોજક સાથેના ૧૦ વ્‍યકિતઓ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા નથી તે અંગેનો પોલીસ સ્‍ટેશનનો દાખલો
  • જીલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી ર્બેંક નું બેલેન્‍સ અંગેનું પ્રમાણપત્ર ( નિયમ -૩ બ)
  • શેર મૂડી અને દાખલ ફી ની રકમ સાથેની વ્‍યકિતઓની સૂચિ (શેરમૂડી ઓછામાં ઓછી રૂા.પ૦૦/- ( નિયમ -૩ ખ)
  • પ્રોજેકટ રીપોર્ટ ( નિયમ -૩ હ)
  • કલમ - ૯(૧)(ખ) મંડળીના પેટાનિયમ સુધારા માટેની મુદત( નિયમ -૩ મ) (જરૂરી હોયતો )
  • કાર્યક્ષેત્રમાં કામ કરતી અન્‍ય મંડળીઓના ના વાંધા પ્રમાણપત્ર ( કલમ -૪)
  • અર્થક્ષમતા બાબતે સમવાયી મંડળીનો અભિપ્રાય ( કલમ -૪)
  • મંડળીના સભાસદ બનવાને લાયક ૧૦ વ્‍યકિતઓ કે જેઓ અલગ અલગ કુંટુબના હોય અને મંડળીના કાર્યક્ષેત્ર વિસ્‍તારમાં રહેતા હોય તેનું પ્રમાણપત્ર (તલાટીના દાખલા ની પ્રમાણિત નકલ) ( કલમ-૬ ) (૧)
  • મંડળીના સુચિત પેટાનિયમો (અધિકૃત કરેલ વ્‍યકિત ની સહી સાથે) ની ચાર નકલો ( કલમ -૮(૧)

પ્રશ્‍ન:સહકારી મંડળીની નોંધણી નું ફોર્મ અને પેટા-કાયદાની નકલો કયાંથી મળશે ?

જવાબ:. જે-તે જીલ્લાના જીલ્લા સહકારી સંઘની કચેરીમાંથી

પ્રશ્‍ન: સહકારી મંડળીઓના પેટા-કાયદા સુધારા માટે કયા દસ્તાવજો જોઇએ ?

જવાબ:. પેટા નિયમ સુધારાની દરખાસ્‍ત સાથે રજુ કરવાનો દસ્તાવેજો

  • નમુનો ફોર્મ નંબર -અ
  • ફોર્મ નંબર - ૧
  • ફોર્મ નંબર - ર
  • ફોર્મ નંબર - ૩
  • ફોર્મ નંબર - ૪ (ચાર નકલમાં )
  • ફોર્મ નંબર - પ
  • એજન્‍ડાની પ્રમાણીત નકલ
  • ઠરાવની પ્રમાણીત નકલ
  • છેલ્‍લા ત્રણવર્ષના વાર્ષિક હિસાબોની નકલ

નોંધ :- ફોર્મ નંબર – ૧ થી પ માં મંડળીના મંત્રી / વ્‍યવસ્‍થાપક કમીટી સભ્‍ય તથા ચેરમેનની સહી સિક્કા કરવા જરૂરી છે. તેમજ દરેક પાન ઉપર મંડળીનો ગોળ સિક્કો લગાવવો.

પ્રશ્‍ન:સહકારી મંડળીએ મિલકતો ખરીદતા પહેલાં કે વધારાના ફંડોનું રોકાણ કરતા પહેલાં કયા કાયદા અન્વયે કોની મંજુરી લેવાની હોય ?

જવાબ:. ગુજરાત સહકારી મ.ડળીઓ અધિનિયમ-૧૯૬૧ ની કલમ-૭૧ અન્વયે સહકારી મંડળીઓ મિલકત ખરીદતાં પહેલાં કે વધારાના ફંડોનું રોકાણ કરતાં પહેલાં રજીસ્ટ્રારશ્રીની મંજુરી લેવી જરૂરી છે.

પ્રશ્‍ન:સહકારી મંડળીઓ મિલકતના વેચાણ પહેલાં રજીસ્ટ્રાર ની મંજુરી લેવી જરૂરી છે ?

જવાબ:. ના

પ્રશ્‍ન:સહકારી મંડળીમાં કોણ સભ્ય બની શકે ?

જવાબ:. જે-તે સહકારી મંડળીના પેટા-કાયદામાં ઠરાવેલ લાયકાતો ધરાવતો વ્યકિત તે મંડળીમાં સભ્ય બની શકે.

પ્રશ્‍ન:મુદતવીતી બાકીદાર મંડળીની ચૂંટણીમાં મત આપી શકે ?

જવાબ:. ના

પ્રશ્‍ન:સહકારી ગૃહ મંડળીમાં શેર તબદીલ કરતાં પહેલાં વ્યવસ્થાપક સમિતિની મંજુરી જરૂરી છે ?

જવાબ:. હા

પ્રશ્‍ન:સહકારી ગૃહ મંડળીમાં શેર તબદીલ કરતાં કેટલી ફી ભરવી પડે ?

જવાબ:. જે-તે મંડળીનાં પેટા-કાયદામાં ઠરાવ્યું હોય તેટલી.

પ્રશ્‍ન: સહકારી ગૃહ મંડળીની જાણ બહાર અને મંડળીમાં રજીસ્ટર્ડ કરવામાં ન આવેલ શેર તબદીલી યોગ્ય ગણાય ?

જવાબ:. ના

પ્રશ્‍ન:સહકારી મંડળીના સભ્યને મંડળીના બધા જ દસ્તાવેજો જોવાનો અધિકાર છે ?

જવાબ:. ના

પ્રશ્‍ન:સહકારી મંડળીના દસ્તાવજોની નકલ આરટીઆઇ ના કાયદા હેઠળ માંગી શકાય? / સહકારી મંડળી આરટીઆઇ ના કાયદા અન્વયે જાહેર સત્તા મંડળ છે?

જવાબ:. ના

પ્રશ્‍ન:સહકારી મંડળીના સભ્યોને કયા દસ્તાવેજો મંડળી પર જોવાનો અધિકાર છે ?

જવાબ:.

  • કાયદા, નિયમો અને મંડળીના પેટા-નિયમો
  • છેલ્લું ઓડીટ થયેલું સરવૈયું અને નફા-ખોટ ખાતુ
  • મંડળીના સભાસદો અને લ્યવસ્થાપક સમિતિના સભ્યોની સૂચિ
  • સાધારણ સભાની કાર્યવાહી નોંધ
  • વ્યકિતગત પોતાના ખાતાનો ઉતારો

પ્રશ્‍ન. કોઇપણ સહકારી મંડળી કેટલું કરજ મેળવી શકે ?

જવાબ:. ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-૧૯૬૧ ની કલમ-૪૪ અને ગુજરાત સહકારી મંડળીઓ નિયમો-૧૯૬૫ ના નિયમ-૨૪ માં કરેલ જોગવાઇઓ મુજબ

પ્રશ્‍ન:રીઝર્વ ફંડ કેટલું કાઢવાનું હોય છે ?

જવાબ:. ચોખ્ખા નફાના ૨૫%

પ્રશ્‍ન:સહકારી મંડળીમાં વાર્ષિક સાધારણ સભા સામાન્ય રીતે કયારે બોલાવવાની હોય છે ?

જવાબ:. જે-તે વર્ષમાં ૧લી એપ્રિલ થી ૬ માસ સુધીમાં

પ્રશ્‍ન:સહકારી મંડળીના વ્યવસ્થાપક સમિતિની મુદત નવા કાયદા પ્રમાણે કેટલા વર્ષની છે ?

જવાબ:. પાંચ વર્ષ

પ્રશ્‍ન:જો જમીન પર સહકારી મંડળીનો બોજો હોય તો તે દૂર કરવા કોનો સંપર્ક કરવો ?

જવાબ:. જો મંડળીની ચાલુ સ્થિતિ હોય તો મંડળીના સેક્રેટરીને, મંડળી ફડચામાં હોય તો ફડચા અધિકારીને, મંડળીની નોંધણી રદ થયેલ હોય તો જીલ્લા રજીસ્ટ્રારનો.

પ્રશ્‍ન:ઇનોવેટીવ પ્રકારની મંડળીઓની જો આપના જીલ્લામાં રચના હોય તો તેની વિગતો

જવાબ:. ઇનોવેટીવ પ્રકારની કોઇપણ મંડળીઓની ભરૂચ જીલ્લામાં રચના થયેલ ન હોય કોઇ વિગતો નથી.

પશુઆહારમાં કાર્બોદિત, પ્રોટીનની જેમ ક્ષાર પણ જરૂરી

પુખ્તવયના પ્રાણીઓના શરીરમાં આશરે 2.8 થી 4.6 ટકા જેટલા ક્ષારો હોય છે, ક્ષારો પ્રાણીના જુદા જુદા સ્નાયુઓમાં અગત્યનો ભાગ ભજવે છે

પશુઆહારમાંકાર્બોદિત,તૈલી તેમજ પ્રોટીન (નત્રિલ પદાર્થો)ની માફક ક્ષારોનો પણ સમાવેશ થાય છે. ક્ષારો પણ આહારના અકાર્બનિક ભાગને પ્રદર્શિત કરે છે. પુખ્તવયના પ્રાણીઓના શરીરમાં આશરે 2.8 થી 4.6 ટકા જેટલા ક્ષારો હોય છે, જે શરીરના જુદા જુદા સ્નાયુઓના બંધારણનો અગત્યનો ભાગ છે. જાનવરોમાં આશરે 30 થી 40 પ્રકારના ક્ષાર શરીરના જુદા જુદા ભાગોમાં હોય છે. શરીરના કુલ ક્ષારોમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પોણા ભાગનો હિસ્સો ધરાવે છે. (49 ટકા કેલ્શિયમ, 27 ટકા ફોસ્ફરસ અને 24 ટકા અન્ય ક્ષારો) પશુઓના શરીરને ટેકો આપનાર હાડપિંજર અને દાંત મુખ્યત્વે ક્ષારોના બનેલા હોય છે. સામાન્ય રીતે પુખ્ય વયના પ્રાણીઓનાશરીરમાં ક્ષારોનું પ્રમાણ કોઠામાં દર્શાવેલ છે. કુલ ક્ષારોના લગભગ 80 ટકા ક્ષારો હાડપિંજરમાં હોય છે. હાડકાંઅને દાંતને શક્તિ અને શિથિલતા પૂરી પાડે છે. બાકીના ક્ષારો સ્નાયુઓમાં અને લોહીમાં રહેલા છે, જ્યાં તેઓ કાર્બનિક પદાર્થો સાથે સંકળાઇને શરીરના કાર્યોમાં અગત્યનો ભાગ ભજવે છે.

પશુઓના જીવન માટે જરૂરી ક્ષારોનું વર્ગીકરણ :

મુખ્ય ક્ષારો : વિભાગના ક્ષારોનું પ્રમાણ શરીરમાં વધારે હોય છે. તેમજ મુખ્ય ક્ષારોની શરીરની દૈનિક જરૂરીયાત પૂરી પાડવા ખોરાકમાંતેમનું પ્રમાણ પણ વધુ હોવું જરૂરી છે. જોકે આવા ક્ષારોનું પ્રમાણ ખાણ-દાણ તેમજ ઘાસચારામાં સૂક્ષ્મ ક્ષારોના પ્રમાણમાં વધુ હોય છે. દા.ત.કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઈડ, સલ્ફર(ગંધક). (2) સૂક્ષ્મ ક્ષારો : વિભાગના ક્ષારોનું પ્રમાણ શરીરમાં તેમજ ખાણ-દાણ તથા ઘાસચારામાં પણ ઓછી માત્રામાં હોયછે, અને સાથે સાથે ખોરાકમાં તેમનું પ્રમાણ પણ મુખ્ય ક્ષારોના પ્રમાણમાં ઘણું ઓછું જોઇએ છે. દા.ત.લોહ, કોબાલ્ટ, તાંબુ,ઝિંક, મેંગેનિઝ, આયોડિન, મોલિબ્ડેનમ, ક્લોરિન. છેલ્લા ત્રણ ક્ષારો શરીર માટે જરૂરી છે અને વધુ પ્રમાણમાં હોય તો ઝેરી અસર કરે છે.

જો પશુઓના દૈનિક આહારમાં મુખ્ય ક્ષારો કે સૂક્ષ્મ ક્ષારોનું પ્રમાણ તેમની દૈનિક જરૂરિયાત કરતા વધી જાય, તો તે શરીરમાં ચાલતી જુદી જુદી ચયાપચયની ક્રિયાઓમાં વિક્ષેપ પાડે છે. દા.ત.સેલેનિયમ અને ફ્લોરીનની માત્રા જો ખોરાકમાં તેમના જરૂરી પ્રમાણ કરતા વધે તો ઝેરી અસર પેદા કરે છે. કેટલીકવાર જો અમુક ક્ષારનું પ્રમાણ ખોરાકમાં વધે તો બીજા ક્ષારનું શરીરમાં શોષણ ઘટાડીને તે બીજા ક્ષારની ઉણપ ઊભી કરે છે. દા.ત.મોલિબ્ડેનમ નામના ક્ષારનું પ્રમાણ ખોરાકમાં વધે તો તે તાંબાના ક્ષારની ઉણપ ઉભી કરે છે. આમ ખોરાકમાં ક્ષારનું અસમતોલન પ્રમાણ પણ મુશ્કેલી ઊભી કરે છે એટલે પશુનું ઉત્પાદન વધારવા, તેમજ જાળવી રાખવા પણ ખોરાકમાં જુદા જુદાક્ષારોનું સમતોલ પ્રમાણ હોવું જરૂરી છે

ક્ષારોના સામાન્ય કાર્યો :

ક્ષારોઉછેરતા જાનવરોમાં હાડકાં,દાંત અને સ્નાયુઓના બંધારણમાં, વાળ, ખરી તથા શિંગડાના વિકાસ માટે, લોહીનાબંધારણ માટે દા.ત.લોહ,તાંબુ, કોબાલ્ટ, શરીરમાં આમ્લતા અને ક્ષારીયતાવચ્ચેનું સંતુલન જાળવવા માટે અગત્યના છે. શરીરમાં શક્તિના સંચય માટે, જઠરમાં હાઈડ્રોક્લોરાઈડ એસિડ (પાચક રસ)ના સ્ત્રાવ માટે, ચેતા અને સ્નાયુની કાર્યશીલતા માટે

દૂધ ઉત્પાદન માટે, પ્રજનન માટે કેલ્શિયમ :

શરીરમાંકુલ ક્ષારો કરતા કેલ્શિયમ વધુ પ્રમાણમાં હોય છે. શરીરમાં રહેલા કુલ કેલ્શિયમનો 99 ટકા ભાગ હાડકાં અને દાંતના બંધારણ માટે વપરાય છે,જ્યારે બાકીનો એક ટકો શરીરમાં ચાલતી જુદી જુદી ક્રિયાઓ માટે કોષો અને અવયવોમાં વહેંચાયેલા હોય છે. લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ 9 થી 12 મિ.ગ્રા./100 મિલિલિટર હોય છે.

કેલ્શિયમનો સ્ત્રોત અથવા પ્રાપ્તિ સ્થાનો :

સામાન્યરીતે કેલ્શિયમ કઠોળ વર્ગના ઘાસચારા તથા તેની આડપેદાશોમાં વધુ હોય છે. ઝાડના પાંદડામાં પણ કેલ્શિયમ વધુ હોય છે. હાડકાંનો ભૂકો અને દૂધની બનાવટોમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે. માછલીના ભૂકામાં તથા માંસના ભૂકામાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે કડબમાં તેમનું પ્રમાણ ઓછું હોય છે. છીપલાનો ભૂકો ડાયકેલ્શિયમ ફોસ્ફેટ, રોક ફોસ્ફેટ અને ચૂનો કેલ્શિયમનો મહત્ના સ્ત્રોત છે.

ફોસ્ફરસ:

ફોસ્ફરસશરીરના દરેક કોષોમાં જોવા મળે છે. પણ તેનો લગભગ 80 ટકા ભાગ હાડકાં અને દાંતમાં હોય છે. 10 ટકા જેટલો ફોસ્ફરસ, પ્રોટીન, ચરબી અને મેદાવાળા પદાર્થો સાથે ભળેલો તેમજ લોહી અને સ્નાયુઓમાં હોય છે. બાકીનો 10 ટકા ભાગ શરીરમાં વહેંચાયેલો છે. લોહીમાં ફોસ્ફરસનું પ્રમાણ 4 થી 12 મિ.ગ્રામ/ 1000 મિલિ લિટર હોય છે.

ફોસ્ફરસનાસ્ત્રોત/પ્રાપ્તિ સ્થાનો :

લગભગ બધા ઘાસચારામાં ફોસ્ફરસનું પ્રમાણ જરૂરિયાત કરતાં ઓછું હોયછે. તેમ છતાં સારી જાતનો વધુ પ્રમાણમાં કઠોળ વર્ગનો ચારો ખવડાવવામાં આવે તો, તેનાથી જરૂરી ફોસ્ફરસ મળી શકે છે. કુમળા ચારામાં તેનું પ્રમાણ પાકટ ઘાસચારા કરતા વધુ હોય છે. હાડકાંનો ભૂકો, માછલીનો ભૂકો, માંસનો ભૂકો તથા દૂધની બનાવટોમાં ફોસ્ફરસ વધુ હોય છે. ફોસ્ફરસ સ્ત્રોત તરીકે ડાય/કેલ્શિયમ ફોસ્ફેટ, ક્લોરીન રહિત ફોસ્ફેટ, રોક ફોસ્ફેટ અને હાડકાંના ભૂકાનો ઉપયોગ થાય છે.

ફોસ્ફરસની ઉણપથી થતી અસરો :

ફોસ્ફરસનીઉણપથી સૌથી ખરાબ અસર જાનવરોની સંવર્ધન શક્તિ ઉપર પડે છે. ગાય-ભેંસ વેતરમાં આવતા નથી કે વેતર અનિયમિત થઈ જાય છે. વિયાણ બાદ જ્યાં સુધી ફોસ્ફરસનો સંગ્રહ બરાબર થાય ત્યાં સુધી જાનવર વેતરમાં આવતું નથી. ફોસ્ફરસની ઉણપથી ગાભણ થવાનું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે. પશુ ડોક્ટરની સલાહ પ્રમાણે, જો ફોસ્ફરસ ઇંજેક્શન વાટે આપવામાં આવે તો જાનવર વેતરમાં આવી જાય છે અને ગાભણ થઇ શકે છે.

સ્ત્રોત : કૃષિ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate