অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઉનાળુ ડાંગર ની સુધારેલી જાતો અને ખેતીપધ્ધતિ

ઉનાળુ ડાંગર ની સુધારેલી જાતો અને ખેતીપધ્ધતિ

ડાંગર (ચોખા) ધાન્ય વર્ગનો સૌથી અગત્યનો પાક છે. વિશ્વના એન્ટારટીકા સિવાયના પાંચેય મુખ્ય ખંડોમાં ડાંગર નું વાવેતર થાય છે. વિશ્વમાં કુલ ચોખાનું ૯૦ % જેટલું ઉત્પાદન તેમજ વપરાશ આપણા એશિયા ખંડમાં છે. ડાંગરની ખેતી વિશ્વના ૧૦૦ થી વધુ દેશોમાં થાય છે. વિશ્વની લગભગ પપ% જેટલી વસ્તીને ચોખા પોષણ પુરૂ પાડે છે તેથી ચોખાના દાણાને જીવનનો દાણો કહેવાયો છે. આપણાં દેશમાં ધાન્ય વર્ગનું કુલ ઉત્પાદન થાય છે તેમાં ૪પ % ઉત્પાદન એકલું ડાંગરનું જ થાય છે. આ બધા કારણોને લીધે ''ડાંગર એ જ જીવન'' અને ''ડાંગરનો દાણો એ જ જીવનનો દાણો'' કહી શકાય. વધતી જતી વસ્તીના ખોરાકને પહોંચવા અત્યારથી જ જો ૧૦ ટકા વધુ ડાંગર ઉત્પાદનનો લક્ષયાંક રાખવામાં આવે તો જ આગામી ર૦ વર્ષ સુધી થનારા વસ્તી વધારાની ખોરાકની માંગ સંતોષી શકાશે. તેમ છતાં દેશ અને દુનિયામાં ઘણાં લોકો ગરીબી રેખાની નીચે જીવી રહયા છે તેમને ખાવા પૂરતું અનાજ ઉપલબ્ધ નથી અને તેથી વધુ ઉત્પાદન જરૂરી છે. એટલે જે વિસ્તારમાં પિયતના પાણીની પૂરતી સગવડ છે ત્યાં ઉનાળું ડાંગરની ખેતી કરવાનો અવકાશ છે. ઉનાળું ડાંગરનું પણ મહત્વ એટલું જ છે, કારણ કે ઉનાળામાં ચોમાસાની સરખામણીમાં વધુ સૂર્યપ્રકાશ મળી રહે છે અને વધુ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી ડાંગર પાકની વિકાસ-વૃધ્ધિ સારી થઈ ચોમાસા કરતાં વધુ ઉત્પાદન મળે છે સાથે સાથે રોગ-જીવાતનું ઉપદ્રવ ઓછો હોય છે .
ઉનાળુ ડાંગરની ખેતી ખાસ કરીને જે વિસ્તારમાં ગરમીનું પ્રમાણ ઓછું હોય, બારેમાસ હવામાં ભેજનું પ્રમાણ વધુ (૭૦ %) હોય તેવા દરિયા કિનારાના વિસ્તારો જેવા કે કેરાલા, તામીલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓરીસ્સા રાજયોમાં થાય છે. ગુજરાત રાજયમાં વલસાડ, સુરત અને ભરૂચ જિલ્લામાં ઉકાઈ-કાકરાપાર યોજના તથા ખેડા અને પંચમહાલ જિલ્લામાં કડાણા યોજનાને લીધે બારમાસી કેનાલ ધ્વારા પિયતની સગવડતા થઈ હોવાથી ઉનાળુ ડાંગરની ખેતી લોકપ્રીય બનતી જાય છે. ગુજરાત રાજયમાં વર્ષ ર૦૧૬-૧૭ દરમ્યાન ખરીફ ડાંગરનો કુલ ૭.૮ લાખ વિસ્તારમાંથી ૧૭.૮ લાખ મે.ટન ઉત્પાદન તથા ઉનાળુ ડાંગર હેઠળના પ૬ હજાર હેકટર વાવેતર વિસ્તારમાંથી ૧.૮ લાખ મે.ટન મળેલ છે. ગુજરાતમાં ઉનાળું ડાંગરનો વિસ્તાર જો છેલ્લા ૧પ-૧૬ વર્ષની સરેરાશ જોઈએ તો ફકત ર૦ થી રર હજાર હેકટર જ છે. આમ, વર્ષ ર૦૧૬-૧૭ દરમ્યાન રાજયમાં ડાંગરનો કુલ વાવેતર વિસ્તાર ૮.૪ લાખ હેકટરમાંથી કુલ ૧૯.૬ લાખ ટન ઉત્પાદન મળેલ છે. જેમાં ખરીફ ડાંગરની પ્રતિ હેકટરે ઉત્પાદકતા ર.ર૭ ટન જયારે ઉનાળુ ડાંગરની ૩.ર ટન મળેલ છે. ૧૯૯૯-ર૦૦૦ થી ર૦૦ર-૦૩ દરમ્યાન નહેરના પાણીની અનિયમિતતાને લીધે સરેરાશ ૧૦૦૦૦ હેકટરમાં વાવેતર થયું હતું જયારે ઉત્પાદકતા વધીને ૪૪૮૬ કી./હે. થઈ હતી.
ગુજરાત રાજયમાં ડાંગરની ખેતીના કુલ વિસ્તાર પૈકી ૬૦ ટકા થી વધુ વિસ્તારમાં ફેરરોપણીથી ડાંગરની ખેતી થાય છે. આમ, ગુજરાત રાજયમાં ઉનાળુ ડાંગરનો વિસ્તાર વધતો જાય છે. ઓરાણ ડાંગરનો વાવેતર વિસ્તાર ઘટતો જાય છે. જેથી વર્ષ ર૦૧૭ ની ઉત્પાદકતા સરેરાસ અંદાજીત ર.૪ ટન પ્રતિ હેકટર થવા પામેલ છે. તેમ છતાં પ્રગતીશીલ ખેડૂતોએ વધુ ઉત્પાદન આપતી સુધારેલી જાતો, ધરૂ ઉછેર તેમજ ડાંગરની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ ધ્વારા ૭-૮ ટન પ્રતિ હેકટર સુધી ઉત્પાદન લીધેલ છે.

યોગ્ય જાતોની પસંદગી

ઉનાળુ ઋતુમાં સુર્યપ્રકાશના કલાકો વધારે મળવાના કારણે ફોટો પીરીયડ ઈન્સેન્સેટીવ જાતોની પસંદગી કરવી જોઈએ. આવી જાતો ચોમાસુ ઋતુ કરતા પાકવામાં ૩૦ થી ૩પ દિવસ વધારે લે છે આથી ચોમાસુ શરૂ થઈ જાય તે પહેલાં ઉનાળુ ડાંગરની કાપણી-ઝુડણી પુરી થવી જોઈએ, નહીતર વરસાદના કારણે ડાંગર પલળી અને ઉગી જવાનો ભય રહે છે. અભ્યાસના આધારે જણાય છે કે આપણા રાજયમાં ઉનાળુ ડાંગર માટે ગુર્જરી, મહીસાગર, જી. એ. આર.-૧૩, જી.આર.-૭, જી.આર.-૧૧, જી.આર.-૧ર, જી.આર.-૧૦૩ અને જયા જાતો વધુ માફક જણાઈ છે. ગુર્જરી અને મહીસાગર જાતની ઉનાળુ ઋતુ માટે પણ ભલામણ કરવામાં આવેલ છે.

બિયારણનું પ્રમાણ

ડાંગરની જાત બિયારણનો જથ્થો એક હેકટર માં રોપણી માટે

ડાંગરની જાતો

બિયારણનો જથ્થો

જી.એ.આર.-૧૩,જી.આર.-૧૧,જી.આર.-૧ર,જી.આર.-૧૦૩

ર૦ થી રપ કિ.ગ્રા. (પાતળદાણ)

ગુર્જરી, મહીસાગર, જી.આર.-૭, જયા, મહીસાગર

રપ થી ૩૦ કિ.ગ્રા. (ઝાડ દાણ)

ભલામણ કરેલ બિયારણ કરતાં વધારે બીજ વાવવામાં આવે તો છોડનો ઉગાવો ખૂબ નજીક નજીક થવાથી ધરૂનો વિકાસ રૂંધાય છે.તેથી ધરૂ પાતળા ચીપા (રોપા) વાળું અને નબળું રહે છે. વધુમાં મૂળ એકબીજા સાથે ગંઠાઈ/વણાઈ જવાથી ધરૂ ઉપાડતી વખતે મૂળ તૂટી જવાની શકયતા રહે છે. તેથી રોપાણ બાદ છોડ સારી રીતે ચોંટતા નથી અથવા ઘણીવાર છોડ મરી જવાની પણ શકયતા રહેલી છે પરિણામે બિયારણનો બગાડ તેમજ આર્થીક નુકશાન થાય છે.

બિયારણની માવજત : બિયારણને મીઠાના ૩ ટકાના દ્રાવણ વાળા પાણીમાં બોળીને પોચા બીજ અને થોથ કાઠી નાંખવા. ડાંગરના બીજને વાવતા પહેલાં રોગનાશક દવાની માવજત આપવી ખાસ જરૂરી છે કારણ કે ડાંગરમાં આવતા મોટાભાગના રોગો જેવા કે જીવાણુંથી થતો સુકારો, કરમોડી કે દાહ (બ્લાસ્ટ) કહે છે. બદામી ટપકાં જુઠો અંગારિયો વગેરે બીજ જન્ય રોગો છે જેનો ચેપ બીજ સાથે લાગેલ હોય છે જેથી બીજની માવજત કરવી જરૂરી છે.

સૂકી બીજ માવજત:- આ માટે બ્લાસ્ટ અને બદામી ટપકાં જેવા ફૂગજન્ય રોગો માટે ૧ કિ.ગ્રા. બીજ દીઠ ૩ ગ્રામ કેપ્ટાન, થાયરમ કે કાર્બેન્ડાઝીમ જેવી દવાનો પટ આપીને જ બીજ વાવવા.

ભીની બીજ માવજત:- જયારે સુકારા રોગ માટે રપ કિ.ગ્રા. બીયારણ માટે ર૪ લીટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીન + ૧ર ગ્રામ પારાયુકત દવા એમીસાનના દ્રાવણમાં બીજને ૧૦ કલાક બોળી રાખ્યા બાદ છાંયે સૂકવીને પછી જ વાવણી કરવી. આમ બીજથી ફેલાતા રોગોને અટકાવવા માટે બીજની માવજત જરૂરી છે.

ઉનાળુ ડાંગરના ધરૂવાડિયાનો ઉછેર

ધરૂવાડિયાની જમીન પસંદ કરતી વખતે ખાસ કરીને પિયતના પાણીની પૂરતી સગવડ હોય તેવી જમીન પસંદ કરવી તેમજ શકય હોય ત્યાં સુધી પાણીનો ભરાવો ન થાય તેવી ઉંચાણવાળી જગ્યા પસંદ કરવી. ૧ હેકટર (૧૦૦ ગુંઠા)ની રોપણી માટે ૧૦૦૦ ચો. મી. (૧૦ ગુંઠા)વિસ્તારમાં ધરૂવાડિયું કરવું.  ઉનાળુ ઋતુની ખેતી માટે અનુકુળતા પ્રમાણે જુદીજુદી રીતે ધરૂવાડિયુ ઉગાડવામાં આવે છે. જે નીચે પ્રમાણે છે.

ગાદી કયારા: ધરૂવાડિયું હંમેશા ૧ મીટર પહોળાઈના તથા ૧૦ મીટર લંબાઈના આશરે ૮૦ થી ૧૦૦ ગાદી કયારા બનાવવા. ગાદી કયારા બનાવી બિયારણ સીધેસીધુ પુંખી અથવા પ થી ૭ સે.મી. ના અંતરે હારમાં હાથ કે કોદાળી વડે ચાસ ઉઘાડી કયારા દીઠ ડાંગરની જાત પ્રમાણે ર૦૦ થી ૩૦૦ ગ્રામ બીજ વાવી પંજેઠીથી માટીમાં ભેળવ્યા બાદ પાણી મુકવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ ધરૂ સશકત અને વધુ મૂળ વાળુ હોય છે.

  • કયારા દીઠ ર૦ કિ.ગ્રા. સારૂ કહોવાયેલ છાંણિયું ખાતર ૧ કિ.ગ્રા. દીવેલીનો ખોળ પ૦૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ અને પ૦૦ ગ્રામ સીંગલ સુપર ફોસ્ફેટ ખાતર જમીનમાં ભેળવી દેવા.
  • જો શકય હોય તો દરેક કયારામાં પંજેટીથી લીટા કરી દરેક કયારા દીઠ રપ૦ - ૩૦૦ ગ્રામ બિયારણ વાપરી વાવણી કરવી જોઈએ.
  • જમીન આછી ઢાંકયા બાદ કયારા બરાબર ભીંજાઈ જાય તેવી રીતે પાણી આપવું જોઈએ.

ફણગાવેલ બીજથી વરૂડીયું ધરૂ: ફણગાવેલ બીજથી વરૂડીયું ધરૂ કરવા માટે ધરૂવાડિયામાં પાણી ભરી ઘાવલ કરી રબડી બનાવી સમાર મારવો. અડધો કલાક રબડી ઠરવા દઈ ફણગાવેલું બીજ થોડા જોરથી એક સરખુ પુંખી દેવું અને જમીનમાં પુરતો ભેજ જળવાઈ રહે તેટલું જ પાણી રાખવું. જેથી બીજ જમીનનાં સંપર્કમાં આવતાં ઉગી નીકળે છે. ત્યારબાદ પાંચ થી છ દિવસ પછી જરૂરિયાત મુજબ હળવેથી પાણી આપવું.

ધરૂ વાવેતર નાખવાનો સમય

ઉનાળું ડાંગરના વાવેતર માટે ધરૂ નવેમ્બરના છેલ્લા અઠવાડીયાથી ડીસેમ્બરનુ પ્રથમ અઠવાડીયાની આસપાસ નાખવાનું હોય છે. આ સમય દરમ્યાન ઠંડીનું પ્રમાણ વધારે હોય ત્યારે ધરૂના ઉગાવા અને વિકાસ પર માઠી અસર થયાની શકયતા રહેલી છે. આથી ધરૂવાડિયાની જમીન ફરતે અગાઉથી જ શેવરી, સસ્બેનિયા કે ઈકકડ જેવા પાક વાવીને પવન અવરોધક વાડ બનાવવી જોઈએ તથા બીજને વાવ્યા પછી કયારા ઉપર સળંગ પોલીઈથીલીનની ચાદર અથવા ડાંગર કે ઘઉંના પૂળિયા કે કંતાન ઢાંકી રાખવું જેથી બીજનો ઉગાવો  સારી રીતે થાય. આમ રાત્રિના સમય દરમ્યાન ખાસ ઢાંકી રાખવું અને દિવસે ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી ધરૂ ખોલી નાંખવું જેથી જરૂરી સૂર્યપ્રકાશ અને તાપમાન મળી રહેવાથી ધરૂનો વિકાસ સારો થાય છે. આ રીતે કયારા તૈયાર કરવાથી ધરૂનો વિકાસ અને વૃધ્ધિ સારી થાય છે.

જમીનની પસંદગી અને પ્રાથમિક તૈયારી

વધુ ઉત્પાદન આપતી જાતો બટકી હોવાથી જે જમીનમાં પાણીનો ભરાવો ન થતો હોય અને જમીનની નિતારશકિત સારી હોય તેવી મધ્યમ કાળી કયારીની બેસર જમીન વધુ અનુકૂળ આવે છે. શકય હોય તો કયારીમાં ઈકકડ યા શણનો લીલો પડવાશ કરવો. જેથી રાસાયણિક ખાતરના ખર્ચમાં ઘટાડો કરી શકાય. અને ઉત્પાદન ખર્ચ ઓછો આવે. સાથેસાથે લીલા પડવાશના કારણે સેન્દ્રય પદાર્થ વધવાના કારણે જમીનનં પોત અને પ્રત પણ સુધરે છે.

ફેરરોપણી કરતાં અગાઉ કે ફેબ્રુઆરી માસના બીજા અઠવાડીયામાં કયારીમાં પાણી ભરી ટ્રેકટરથી આડી-ઉભી ખેડ કરવી. જેથી ઘાસ, કચરુ, નિંદામણ દબાઈ કહોવાઈ જાય છે. ફેરરોપણીના આગળના દિવસે પાણી ભરી,ખેડી ઘાવલ કરવાથી લોહ અને ફોસ્ફરીક એસિડ જેવા પોષક તત્વોની પ્રાપ્તીમાં વધારો થાય છે. નત્રવાયુની કાર્યક્ષમતા પણ વધે છે. અને છોડ જલ્દી ચોટી જાય છે. ઘાવલ કરવાથી નિંદણનો નાશ થાય છે. તેમજ કયારીમાં નીચેનું પડ બંધાઈ જવાથી પાણીનો નિતાર ઓછો થવાથી પાણીની સપાટી જળવાઈ રહે છે.

ફણગાવેલ બીજથી ડાંગરનું સીધુ વાવેતર :- ડાંગરનું ધરૂવાડીયું ન કરવું હોય તો ફણગાવેલ બીજથી કયારીમાં ફણગાવેલ બીજ પુંખીને વાવેતર કરી શકાય છે અને તે અંગેના અભ્યાસોને આધારે ભલામણ કરવામાં આવેલ છે. ફણગાવેલ બીજથી વાવેતર કરવાથી ડાંગર ૧૦-૧પ દિવસ વહેલી પાકે છે. કુલ ખેતી ખર્ચમાં ૩૦-૩પ % ઘટાડો થાય છે અને ૧૦-૧પ % વધુ ઉત્પાદન મળે છે. આ માટેની રીત નીચે મુજબ છે.

એક હેકટરની વાવણી માટે ઝીણીં જાતો માટે પ૦ કિ.ગ્રા.  અને જાડી જાતો માટે ૬૦ કિ.ગ્રા.  પ્રમાણે બીજ લઈ પીપ કે ટબમાં પ૦-૬૦ લીટર પાણીમાં ર૪ કલાક ડુબાડી રાખી દર ૬ કલાકે પાણી બદલતા રહેવું આમ છેલ્લા ૬ કલાક બાકી હોય ત્યારે ૧ કિ.ગ્રા.  બીજ દીઠ ૩ ગ્રામ સ્ટ્રપ્ટોસાયકલીન + ૧ ગ્રામ એમીસાન-૬ પાણીમાં બીજ સાથે લાકડીથી હલાવી મિશ્રણ કરવું ત્યારબાદ બીજને પાણીમાંથી કાઢી  કંતાનના કોથળામાં ચૂસ્ત દબાણમાં રાખવું. આમ ૧ર કલાક પછી આ ફણગાવેલ બીજને એઝોસ્પીરીલમ/એઝોટોબેકટર તથા ફોસ્ફોબેકટેરીયલ કલ્ચરનો હેકટરે ૧ કિ.ગ્રા. મુજબ પટ આપીને ઘાવલ કરીને સમાર મારી તૈયાર કરેલ જમીન ઉપર અનુભવી માણસ ધ્વારા  થોડા જોર સાથે પૂંખવું. બીજ ઉગીને મૂળ ચોટી જાય ત્યાં સુધી  વધારે પાણી ન ભરતાં ફકત જમીન ભીનીં જ રાખવી.

ડાંગરની સમયસર ફેરરોપણી

ડાંગરના પાકમાં વધુ ઉત્પાદનનો આધાર ડાંગરની જાત, તંદુરસ્ત ધરૂ તેમજ સમયસર રોપણી માટે યોગ્ય ઉંમરના ધરૂની ઉપલબ્ધતા પર રહે છે. પ૦ થી પપ દિવસની ઉંમરનું ધરૂ થાય ત્યારે ફેબ્રુઆરી માસનું પ્રથમ પખવાડીયું વધુ અનુકુળ છે આ સમયે ઠંડીનું પ્રમાણ ઘટવાથી રોપાણ ડાંગરની ફુટ સારી થાય છે. શકય હોય તેટલા સાંકડા ગાળે ૧પ × ૧પ સે.મી ના એક થાણે ર થી ૩ છોડ (રોપા) રાખી ફેર રોપણી કરવી હિતાવહ છે.

રાસાયણિક ખાતરોનો સમતુલિત ઉપયોગ

સેન્દ્રીય ખાતર: - શકય હોય તો એક હેકટર  દીઠ ૧૦ ટન છાણિયુ ખાતર અથવા દિવેલીના ખોળનો પણ ઉપયોગ કરી શકાય.

રાસાયણિક ખાતર: - રાસાયણિક ખાતરના ઉચા ભાવોને લીધે જમીન પૃથ્થકરણ પ્રયોગશાળાની ભલામણ મુજબ જ પોષક તત્વો સપ્રમાણ આપવા જેથી વધુ ઉત્પાદન આપતી જાતોની ઉત્પાદન ક્ષમતા જળવાઈ રહે. શકય હોય ત્યા સુધી નાઈટ્રોજન તત્વ આપવા માટે યુરીયા ખાતરને પુર્તિ ખાતર તરીકે આપતી વખતે કયારીમાં પાણી નિતારી નાખવું તથા ખાતર આપ્યા પછી બીજા યા ત્રીજા દિવસે પાણી ભરવું. કયારીમાંથી પાણી નિતારવાની સગવડ ન હોય અને યુરિયા ખાતર જ આપવુ હોય તો નીમકેક પાવડર યુરિયાના ર૦ % જેટલો લઈ બરાબર મિક્ષ કરી ૪૮ કલાક રહેવા દઈ પછી આપવું. ઉનાળુ ઋતુ માટે હેકટરે ૧ર૦ કિ.ગ્રા. નાઈટ્રોજન ત્રણ હપ્તામાં એટલે કે પાયામાં (પ૦%) ફુટ વખતે, (રપ%) અને જીવ પડતી વખતે (રપ%) આપવું.

પુર્તિ ખાતર આપ્યા બાદ શકય હોય તો બે હાર વચ્ચે ગરગડીયા કરબડી (રોટરી વિડર, કોનો વિડર) ફેરવવી જેથી આપેલ ખાતર માટીમાં સારી રીતે ભળી શકે અને નિંદામણ નો નાશ થાય અને હવાની હેરફેર થવાના કારણે મુળને પ્રાણવાયુ મળે જેથી પાકની વૃધ્ધિ ઝડપી અને સારી થાય.

કયારીમાં પાણીનું નિયમન

ઉનાળુ ડાંગરની ફેરરોપણી ક્યારા પછી ધરૂના રોપા ચોટી જાય ત્યાં સુધી છીંછરું પાણી ર થી ૩ સે.મી. ઉંડાઈ જેટલુ રાખવુ જેથી ધરૂ સારી રીતે ચોટી જાય અને ગામા પડવાની શકયતા ઓછી રહે જેના પરિણામે છોડની સંખ્યાનું પ્રમાણ જળવાઈ રહે છે. ત્યારબાદ જેમ જરૂર પડે તેમ ફુટ થતા સુધી છીંછરુ પાણી ભર્યા કરવુ. કંટીમાં જીવ પડવાના સમયથી ડાંગર પાકતા સુધી ડાંગરના પાકને વધારે પાણીની જરૂર પડે છે. એટલે કયારીમાંથી પાણી નિતાર્યાના ૩ થી ૪ દિવસ બાદ પ થી ૭ સે.મી. ઉંડાઈ જેટલુ પાણી દાણા પાકતા સુધી ભરી રાખવુ. આ સમય દરમ્યાન જો પાકને પાણીની ખેચ પડે તો ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. ડાંગર પાકી જતાં કયારીમાંથી પાણી નિતારી નાંખવાથી કાપણીમાં સરળતા રહે છે.

નિંદણ નિયંત્રણ

સારી રીતે ઘાવલ કરી ફેર રોપણી કરેલ પાકમાં નિંદણનો પ્રશ્ન રહેતો નથી. પણ શકય હોય ત્યાં સુધી એક થી બે વખત નિંદામણ કરવું. કે જેથી પાકની વૃધ્ધિ સારી થાય. જયાં મજુરોની ખેંચ હોય ત્યાં નિંદણ નાશક દવાઓ જેવી કે બુટાકલોર ૧.રપ૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે સ.તત્વ બેન્થીઓકાર્બ ૧.૦૦૦ કિ.ગ્રા. સ.તત્વ પ્રતિ હેકટરે રોપણી પછી ૪ દિવસે પ૦૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો ત્યારબાદ કયારીમાં પ સે.મી. પાણી ભરેલુ રાખવુ જરૂરી છે. જયારે ડાંગરનું ફણગાવેલ બીજ પુંકીને વાવેતર કરેલ હોય તો ફણગાવેલ બીજ પુંકયા પછી ૮ થી ૧૦ દિવસ પછી આ પ્રમાણે છંટકાવ કરવો.

પાકમાં સંરક્ષણના પગલા

ઉનાળુ ઋતુમાં ઉષ્ણતામાન વધારે હોવાને કારણે જીવાતનો ઉપદ્રવ જુજ પ્રમાણમાં જોવા મળે છે. છતાં પણ કોઈ સમયે ચુસિયાં કે ગાભમારની ઈયળનો ઉપદ્રવ જોવા મળે તો તે માટે નીચે મુજબનાં પગલા લેવા.

ગાભમારાની ઈયળ :- આ ઈયળ નાનું કાણું પાડી થડમાં ઉતરી અંદરનો ગર્ભ કોરી ખાય છે. તેથી વચ્ચેનો પીલો સુકાઈ જાય છે. કંટી આવવાના સમયે ઉપદ્રવ થાય ત્યારે કંટી સફેદ નીકળે છે. તેમાં દાણા ભરાતા નથી અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે.

નિયંત્રણ

આના નિયંત્રણ માટે.

૧. રોપણી વખતે ધરુના પાનની ટોચ કાપી નાંખી રોપણી કરવી.

ર. દાણાદાર કીટનાશક દવાઓ જેવી કે કાર્બોફયુરાન ૩જી (૨૫-૩૫ કિ.ગ્રા./હે) અથવા ફોરેટ ૧૦ જી (૧૦ કિ.ગ્રા/હે) અથવા કારટેપ હાઈડ્રોક્લોરાઈડ  ૪ જી (૨૦ કિ.ગ્રા/હે) રેતી સાથે મિશ્રણ કરી પાણી નિતાર્યા બાદ આપવી.

૩. ટ્રાયઝોફોસ ૪૦ ઈ.સી (૨૦ મીલી/૧૦ લી.પાણી), અને એસીફેટ ૭પ એસપી (૨૦ ગ્રામ/૧૦ લી.પાણી) પૈકી કોઈપણ એક કીટનાશક દવાનો    વીઘા દીઠ ૭૦-૮૦ લીટર દ્રાવણનો છંટકાવ કરવો.

સફેદ પીઠવાળા ચુસિયા :- આના બચ્ચાં અને પુખ્ત, છોડના થડમાંથી રસ ચુસે છે. પરિણામે છોડી ધીમે ધીમે સુકાવા માંડે છે. છોડના પાન પીળાશ પડતા બદામી અથવા ભુખરા રંગના થઈ છેવટે સુકાઈ જાય છે. આના નિયંત્રણ માટે ગાભમારાની ઈયળ માટે સુચવેલ દાણાદાર દવાઓ વાપરી શકાય. આ સિવાય ટ્રાયઝોફોસ ૪૦ ઈ.સી. (૨૦ મીલી/૧૦ લી.પાણી) અને એસીફેટ - ૭પ એસ.પી. (૨૦ ગ્રામ/૧૦ લી.પાણી) પૈકી કોઈપણ એક કીટનાશક દવાનો છંટકાવ કરવો.

સમયસરની કાપણી

ઉનાળુ ડાંગરનો પાક મે માસમાં પાકી જાય કે તરત જ કાપણી કરી દેવી જોઈએ. દાણા પાકટ થાય પછી જો ડાંગરનો પાક ખેતરમાં ઉભો રહેવા દેવામાં આવે તો કાપણી સમયે પુળા સુકાવા દઈ ગંજી કરી દેવા અથવા તરત જ ઝુડી દેવા. જો પાથરા વધુ સમયે તાપમાં રહેવા દેવામાં આવે તો ચોખા કાઢતી વખતે કણકીનું પ્રમાણ વધી જાય છે તથા ચોખાનો ઉતાર ઓછો આવે છે.

ઉનાળુ ડાંગરનું ઉત્પાદન વધારવા અંગેના ચાવી રૂપ મુદ્દાઓ

દક્ષિાણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેનાલ પિયત વિસ્તરમાં ઉનાળુ ડાંગરની ખેતી થાય છે. ઉત્પાદન વધારવાના ચાવીરૂપ મુદ્દાઓ નીચે મુજબ છે.

૧. ઉનાળુ ઋતુમાં ગુર્જરી, મહીસાગર,  જી.આર.૧૦૩, જયા અને જી.આર.૧૧ નો વાવેતર માટે ઉપયોગ કરવો.

ર. ફુગજન્ય રોગોના નિયંત્રણ માટે બીજનો પારાયુકત દવાનો (એમીસાન/થાયરમ/ ૩ ગ્રા./કિ.ગ્રા.) પટા આપવો તથા સુકારા જેવા  રોગના નિયંત્રણ માટે ર૪ લીટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીન અને ૧ર ગ્રામ પારાયુકત દવા (એમીસાન) ના મિક્ષણમાં ૧૦ કલાક બોળી કોરા કરી વાવવું.

૩. ધરૂવાડીયુ રપ મી નવેમ્બર થી ૧૦ મી ડિસેમ્બર સુધીમાં નાખવું. ધરૂવાડીયાને સળંગ પોલીથીનની ચાદર અથવા ડાંગરનું પરાળ અથવા કંતાનથી શરૂઆતના ૬ થી ૮ દિવસ ઢાંકો. આ ઢાંકણ સવારના ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી કાઢી નાખવું. આમ કરવાથી ધરૂ ૩૦-૩પ દિવસમાં તૈયાર થશે. ધરૂવાડીયુ નિંદણ મુકત રાખો. જો ઝીંક કે લોહ તત્વની ઉણપ જણાય તો ઝીંક સલ્ફેટ/ ફેરસ સલ્ફેટ આપવું. ૧૦ લીટર પાણીમાં ૪૦ ગ્રામ ફેરસ સલ્ફેટ ર૦ ગ્રામ ચુનાનું દ્રાવણ બનાવી છંટવું. ઝીંકની ઉણપ જણાય તો ૦.૪% ઝીંક સલ્ફેટ છાંટવું.

૪. હેકટર દીઠ ૧૦ ટન સારૂ કહોવાયેલું છાંણિયુ ખાતર અથવા ૧ ટન દિવેલી ખોળનો ઉપયોગ કરવો.

પ.   ઉનાળુ ઋતુમાં ડાંગરની રોપણી માટે ધરૂ નાખવું, અને તે પછી રોપણી કરવી તેના કરતા ફણગાવેલ બીજને ઘાવલ કરેલ કયારીમાં હેકટરે ૬૦ કિ.ગ્રા. દરથી પુંખવા અથવા સીધી વાવણી ડિસેમ્બર માસના પ્રથમ પખવાડીયામાં કરવી ઉત્તમ છે. જેનાથી ફેરરોપણી કરતાં રપ થી ૩૦% જેટલી વધુ ચોખ્ખી આવક મળે છે આ માટે ખાસ કાળજી નિંદણની રાખવી જરૂરી છે જેથી ફણગાવેલ બીજ પુંખ્યા બાદ ૭-૧૦ દિવસે બુટાકલોર/ બેન્થીઓકાર્બ નો ૧.પ થી ર કિ.ગ્રા. સકી્રય તત્વ પ્રતિ હેકટર પ્રમાણે છંટકાવ કરવો જરૂરી છે.

૬. ફેબ્રુઆરી માસના પ્રથમ પખવાડીયાનો (૧૦ મી ફેબ્રુઆરીની આસપાસ) પ૦ થી પપ દિવસનું ધરૂ સાંકડા ગાળે ૧પ સે.મી × ૧પ સે.મી. ના એક થામણે ર થી ૩ છોડ (રોપા) રાખી ફેર રોપણી કરવી.ધરૂના મુળને એઝોસ્પીરીયમ કે એઝેટોબેકટર ના દ્રાવણમાં બોળીને રોપવાથી રપ% થી ૩પ% નાઈટ્રોજનની બચત થાય છે.

૭. ઉનાળુ ઋતુ માટે હેકટરે ૧ર૦ કિ.ગ્રા. નાઈટ્રોજન ત્રણ હપ્તામાં એટલે કે પાયામાં (પ૦%), ફુટ વખતે (રપ%), અને જીવ પડતી વખતે (રપ%) આપવું. એકાદ હપ્તામાં નાઈટ્રોજન અમો.સલ્ફેટના રૂપમાં આપવું જેથી સલ્ફરની જરૂરીયાત સંતોષકારક છે અને ઉત્પાદન સારૂ મળે છે. જે જમીનમાં જમીનના પૃથ્થકરણના આધારે ફોસ્ફરસ ઓછો જણાતો હોય ત્યા ફોસ્ફરસ હેકટરે પ૦ કિ.ગ્રા. મુજબ આપવો.

૮. એક થી બે વખત હાથથી નિંદણ કરો. મજુરની તંગી હોય ત્યારે નિંદણનાશક દવા બુટાકલોર સકિ્રય તત્વ ૧.રપ૦ કિ.ગ્રા. અથવા બેન્થીઓકાર્બ ૧.૦૦૦ કિ.ગ્રા. સકિ્રય તત્વ / હે., પ૦૦ લીટર પાણીમાં ઓગાળી રોપણી પછી ૪ દિવસે છંટકાવ કરવો.

૯. મુખ્ય જીવાતોના નિયંત્રણ માટે નીચે જણાવેલ પગલા લેવા. ગાભમારાની ઈયળ માટે કાર્બોફયુરાન ૩ જી રપ કિ.ગ્રા./ હે. અથવા કારટેપ હાઈડ્રોક્લોરાઈડ  ર૦ કિ.ગ્રા./ હે. રોપણી બાદ રપ અને ૪પ દિવસે આપવા. સફેદ પીઠવાળા ચુસિયા માટે એસીફેટ ૭પ એસ.પી. (૨૦ ગ્રામ/૧૦ લી.પાણી) અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઈ.સી. (૨૦ મીલી/૧૦ લી.પાણી) અથવા ઈમીડાકલોપ્રીડ (૩ મીલી/૧૦ લી.પાણી) અથવા ફેનોબુકાર્બ (૧૫ મીલી/૧૦ લી.પાણી) નો છંટકાવ કરવો.

૧૦. ડાંગર ઝુડવા માટે થ્રેસરના ઉપયોગથી ખર્ચ ઘટે છે મજુરોની તંગીમાં સમયસર ઓછા ખર્ચ ઝુડણી થઈ શકે છે.

સ્ત્રોત : ડો ડી.બી.પ્રજાપતિ, પ્રો.ડી.જે.કાચા, ર્ડો.એસ.જી.પટેલ અને ર્ડો.એમ.બી.પરમાર, મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, આણંદકૃષિયુનિવર્સિટી, નવાગામ-૩૮૭પ૪૦ તા.જિ.-ખેડા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/5/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate