অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રાકૃતિક ખાતર

જીવામૃત

બનાવવાની પધ્ધતિ

ર૦૦ લીટર પાણી +૧૦  લીટર ગૌમૂત્ર +૧૦ કી.ગ્રા. છાણ +૧ મુઠી વડ નીચેની માટી/ શેઢા-પાળાની માટી / રાફડાની માટી +૧ કી.ગ્રા. દેશી ગોળ +૧ કી.ગ્રા. ચણાનો લોટ- આ મિશ્રણ બેરલમાં નાખી લાંબી લાકડીથી ઘડીયાળના કાંટાની દિશામાં સવાર-સાંજ એમ કુલ ર વખત ૧-૧ મિનિટ માટે ૭ દિવસ સુધી હલાવવું પછી કપડાંથી ગાળીને સંગ્રહ કરવો.

  • કયાં પાકમાં આપી શકાય :કોઈપણ પ્રકારની ઔષધીય , ધાન્ય, કઠોળ, બાગાયતી કે અન્ય કોઈ પણ વર્ગના પાકને આપી શકાય.
  • આપવાની રીત: નીચેની ત્રણમાંથી કોઈપણ(૧) પિયત (સિંચાઈ) ના પાણી સાથે (ર) મુખ્ય પાકની બે હાર વચ્ચે સીધું  જમીન ઉપર(૩) ઉભા પાક પર છંટકાવ કરીને  પ્રમાણપ્રતિ એકર ર૦૦ થી ૪૦૦ લીટર જીવામૃત મહીનામાં ૧ થી ર વખત ઉપરોકત ત્રણ પૈકી કોઈપણ રીત દવારા પાકને આપવું.

ફાયદા

  • જીવામૃત જમીનમાં આપવાથી જીવાણુંની સંખ્યા ઝડપથી વધતા, હયુમસનું નિર્માણ ઝડપી બને છે જેના થકી બિનઉપયોગી સ્વરૂપમાં રહેલાં તત્વો ઉપયોગી સ્વરૂપમાં ફેરવાય જતા મૂળનો વિકાસ ખૂબ જ ઝડપી બને છે.
  • જીવામૃત સુષુપ્ત (સમાધિમાં) રહેલા અળસીયાને જગાડીને કામે લગાવે છે.

નોંધ

  • જીવામૃત માટે ફુવારા પધ્ધતિ સૌથી ઉતમ છે. કારણ કે ફુવારાના પાણી દવારા જીવામૃતનો  છંટકાવ થાય છે અને વધેલું જીવામૃત જમીનમાં ભળી જાય છે.
  • જયારે દિવસનું તાપમાન ૪૦ ડીગ્રી સેલ્સીયસ કે તેનાથી વધારે હોય તો જીવામૃત બપોરના બદલે  સવારે કે સાંજે આપવું.
  • જીવામૃત ભરેલા બેરલ પર વધુ પડતો સૂર્ય પ્રકાશ કે ઠંડી કે વરસાદનું પાણી ન પડવું જોઈએ.
  • સાત દિવસ સડયા બાદ ૧પ દિવસ સુધી વાપરી શકાય.

ઘન જીવામૃત

બનાવવાની પધ્ધતિ

પ્રથમ રીત

  • ર૦૦ કી.ગ્રા. સખત તાપમાં સુકવેલ, ચાળણીથી ચાળેલ ગાયનું છાણ લઈ તેમને ફેલાવવું.
  • તેના ઉપર છાણથી દસ ગણા જીવામૃતનો છંટકાવ કરીને બરોબર રીતે ભેળવવું
  • આ મિશ્રણને ૪૮ કલાક માટે છાયામાં રાખી ત્યારબાદ પાતડા સ્તરમાં સુકવવું.
  • આ સ્તરને દિવસમાં બે-ત્રણ વખત ઉપર નીચે કરવું.- સંપૂર્ણ સુકાય જાય ત્યારે ગાગડાનો ભુકો કરવો.
  • ત્યારબાદ શણના કોથળામાં ભરી, જમીનથી ઉપર, લાકડાના મેડા ઉપર રાખવું.

બીજી રીત

  • ૧૦૦ કીગ્રા ગાયનું છાણ + ર લીટર જીવામૃત +૧ કીગ્રા દેશી ગોળ +૧ કીગ્રા ચણાનો લોટ .
  • આ મિશ્રણને ૪૮ કલાક છાયામાં રાખ્યા બાદ દિવસમાં ૩ થી ૪ વખત ઉપર નીચે ફેરવવું.
  • મિશ્રણ સુકાયા બાદ ગાંગડાનો ભુકો કરવો .
  • પ્રથમ રીત મુજબ સંગ્રહ કરવો.

ત્રીજી રીત

  • ગોબર ગેસમાં છેલ્લે નીકળેલા રગડા (સ્લરી) ને તડકામાં સુકવવો.
  • ૧૦૦ કીગ્રા રગડો (સ્લરી) પાવડરના રૂપમાં + પ૦ કીગ્રા દેશી ગાયનું છાણ + ૧ કીગ્રા દેશી ગોળ + ૧       કીગ્રા ચણાનો લોટ + ર લીટર જીવામૃત .- આ મિશ્રણને ૪૮ કલાક છાયામાં રાખ્યા બાદ દિવસમાં ૩ થી ૪ વખત ઉપર-નીચે ફેરવવું.
  • સંપૂર્ણ સુકાયા બાદ ગાંગડાનો ભુકો કરવો.
  • જરૂરીયાત મુજબ અગાઉ પ્રમાણે સંગ્રહ કરવો.

કયારે અને કેવી રીતે આપી શકાય :

  • જમીનની અંતિમ ખેડ પછી કે પહેલાં પ્રતિ એકર ર૦૦ કીગ્રા ઉડાડવું.
  • રાસાયણીક ખાતરની જેમ વાવણી વખતે પણ આપી શકાય.
  • ફુલની અવસ્થાએ પ્રતિ એકર ૧૦૦ કીગ્રા આપવું

નોંધ

  • વધુ પડતી ઠંડી હોયતો સંગ્રહ કરતી વખતે કોથળાથી ઢાંકવું
  • વધુ પડતો સૂર્ય પ્રકાશ કે ઠંડી કે વરસાદનું પાણી ન પડવું જોઈએ.
  • ત્રણેય પ્રકારના ઘન જીવામૃત એક વર્ષ સુધી ઉપયોગ કરવા લાયક હોય છે.
  • તેનાથી જમીનની ભેજ સંગ્રહ શકિત વધે છે

સ્ત્રોત: નેચરલ ફાર્મિંગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate