જૈવિક ખાતરોની અસરકારકતા માટે જવાબદાર પરિબળો:
- જે તે ચોક્કસ પાક માટે તેને અનુકુળ પ્રજાતિ જરૂરી છે.
- પાક માટે ચોકસાઈ સ્ટઇન ની અનુકુળતા:ચોળા,સોયાબીન ,રજકો વગેરે કઠોળપાકો માટે રાઈઝોબીયમ બેકટેરિયાની ચોક્કસ સ્ટ્રેઈન નક્કી કરવામાં આવેલ છે એટલે ચોક્કસ પાક માટેચોક્કસ પ્રકારના સ્ટ્રેઈન ધરાવતા જૈવિક ખાતરો ઉપયોગ કરવો જોઈએ.
પાક
|
રાઈઝોબિયમ સ્ટ્રેઈન
|
વટાણા, મસુર, લોંગ, બ્રોડબીન
|
રાઈઝોબિયમ લેગ્યુમિનોફોરમ
|
ચણા
|
રાઈઝોબિયમ સિસેરી
|
મગ, અડદ
|
રાઈઝોબિયમ ફેઝીઓકમ
|
સોયાબીન
|
રાઈઝોબિયમ જપોનીકમ
|
રજકો, સ્વીટ, ક્લોવર
|
રાઈઝોબિયમ મેલીલોટી
|
બરસીમ (ક્લોવર)
|
રાઈઝોબિયમ ટ્રાયફોલી
|
મેથી
|
રાઈઝોબિયમ સ્પી. સ્ટ્રેઈન, આરાજીએફ્યુ-૧
|
- ખેત હવામાન પરિસ્થિતિ અને જમીનનો પી. એચ. તથા ભેજની પરિસ્થિતિમાં અનુકૂળ આવે તેવી બેક્ટેરીયાની સ્ટ્રેઈન ઓળખવામાં આવી છે. સંશોધન દ્રારા જમીનની પરિસ્થિતિને અનુકૂળ આવે તેવી બેક્ટેરિયાની સ્ટ્રેઈનને ઓળખી તેને શુદ્ધ સ્વરૂપે લેબોરેટરીમાં આવે છે અને ત્યાંથી તે જૈવિક ખાતરો બનાવતી કમ્પીઓને પૂરી પાડવામાં આવે છે.
- જૈવિક ખાતરો બનાવનારે ખાતરના માધ્યાથી બેક્ટેરિયા જીવંત રહે તે જોવું પણ જરૂરી છે.
- જૈવિક ખાતર જેમાં પેક કરવાનું હોય તે પેકિંગ મટીરીયલ સારું હોવું જોઈએ અને તેમાં ભરવામાં આવેલ જૈવિક ખાતર સારી સ્થિતિમાં લાંબો સમય સાચવાઈ રહે તે જોવું જોઈએ .
- જૈવિક ખાતરો આપવામાં આવે ત્યારે જમીનની સ્થિતિ જેવી કે, જમીનનો પી.એચ. સેન્દ્રિય તત્વોનું પ્રમાણ, ભેજનું સ્તર વગેરે સારું હોવું જરૂરી છે.
જૈવિક ખાતરોનો સ્ટાન્ડ
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડઝ્ર (BIS) દ્રારા જૈઈવિક ખાતરોનો ધારાધારેણે નક્કી કરવામાં આવેલા છે.
- રાઈઝોબિયમ ( આઇએસ:૮૨૬૮:૨૦૦૦ )
- એઝોટોબેક્તર (આઇએસ:૯૧૩૮:૨૦૦૦ )
- અઝોસ્પાયારીલમ (આઇએસ:૧૪૮૦૬:૨૦૦૦)
- ફોસ્ફેટ સોલ્યુબીલાઈઝિંગ બેક્ટેરિયા (પીએસબી) (આઇએસ:૧૪૮૦૭:૨૦૦૦)
જૈવિક ખાતરો આપવા માટેની પધ્ધતિઓ
- બિયારણને પટ આપીને: બિયારણને રાઈઝોબિયમ કલ્ચરનો પટ આપવાની પ્રથા સામાન્ય છે. આ પધ્ધતિ વધુ અસરાકાક અને આર્થિક રીતે પણ લાભદાયી છે.
- જમીનમાં આપીને: બ્લયુ ગ્રીન આલ્ગી, એઝોબેધકટર વગેરે.
- બીજ અને માટીમાં ભેળવીને: વીએમ ફૂગ (વેસિક્યુલર અરબુસ્કયુલર માયાકોરાઈઝી)
જૈવિક ખાતરો કોઠામાં દર્શાવેલ વિવિધ પાકોમાં આપી શકાય છે.
ક્રમ
|
જૈવિક ખાતર
|
પાકો
|
૧
|
રાઈઝોબિયમ
|
વિવિધ કઠોળપાકો માટે પાક મુજબ ચોક્કસ પ્રકારના જૈવિક ખાતરો વાપરવા : મગફળી, સોયાબીન, તુવેર, મગ, અડદ, મસુર, ચોળા, ચણા, રજકો, તથા ધાસચારાના કઠોળપાકો વગેરે
|
૨
|
એઝોટોબેકટર
|
કપાસ, શાકભાજી, શેતુર, બાગાયતી પાકો, ડાંગર, જવ, ધવ, રાગી, જુવાર, રાઈ, કસુંબી, રામતલ, સૂર્યમુખી, તમાકુ, ફલપાકો, મરીમસાલાના પાકો, ઈલાયચી, સુશોભન ફૂલછોડ વગેરે
|
૩
|
એઝોસ્પાયરીલમ
|
શેરડી, શાકભાજીના પાકો, મકાઈ, બાજરી, ડાંગર, ઘઉ, ઘાસચારાના પાકો, તેલીબિયાં પાકો, ફળપાકો, ફૂલાપાકો
|
૪
|
બલ્યુ ગ્રીન આલ્ગી
|
ડાંગર, કેળ
|
૫
|
અઝોલા
|
ડાંગર
|
6
|
પીએસેમ
|
દરેક પાકો
|
૭
|
વામ ફૂગ
|
ચોક્કસ પ્રકારના છોડ માટે
|
જૈવિક ખાતરો દ્રારા થતો આર્થિક ફાયદો:
- ૧ કિ.ગ્રા રાઈઝોબિયમ = ૨૧૩.૪ કિ.ગ્રા યુરિયા
- ૧ કિ.ગ્રા. એઝેબેકટર/એઝોસ્પાયરીલમ= ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન=૮૭ કિ.ગ્રા. યુરિયા
- ૧ કિ.ગ્રા. બલ્યુ આલ્ગી= ૨ કિ.ગ્રા. નાઈટ્રોજન=૪.૪ કિ.ગ્રા. યુરિયા
જૈવિક ખાતરના લાભો :
જૈવિક ખાતરો એ સુક્ષ્મજીવો ધરાવે છે કે જે અલભ્ય પોશાક્તાત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવી જૈવિક પ્રક્રિયા માફરત પાકને લભ્ય બનાવે છે. જૈવિક ખાતરો કિંમતની રીતે સસ્તાં, પર્યાવરણીય-મિત્ર અને તેના ઉત્પાદન માટે કોઈ ઉર્જાની જરૂર પડતી નથી અને તેના ઉપયોગથી છોડમાં અંત:સ્ત્રાવો અને વિટામિન ઉત્પન્ન થતાં હોય પાકમાં વિકાસ સારો થાય છે તેના ઉત્પાદનની ગુણવત્તાપણ સારી મળે છે અને સાથોસાથ રસાયણિક ખાતરોના પુરક ત્સ્રીકે કામ કરે છે. તે જમીનની સ્થિતિસુધારે છે અને જમીનની ફળદ્રુપતા જળવી રાખે છે. ડાંગર જેવા પાકોમાં નાઈટ્રોજન સ્થિરીકરણ માટે અને ફોસફેટને દ્રાવ્ય સ્વરૂપમાંલાવવા માટે સુક્ષ્મતત્વો મહત્વના છે.
નકામા સેન્દ્રિય પદાર્થોને જલ્દીથી કહોવાદાવીને સારું સેન્દ્રિય ખાતર બનાવવા માટે જીવાણુઓ, ફૂગ આલ્ગી વગેરે સૂક્ષ્મજીવીની ચોકસ પ્રકારની અનુકૂળ જાતો (સ્ટ્રેઈન) નો ઉપયોગ કરવામાં આવે છે.
જૈવિક ખાતરો ખેતીમાં ઉપયોગ એ પાક ઉત્પાદન જાળવી રાખવા માટે અગત્યનો છે જેનાથી નીચે દર્શાવેલ મેળવી શકાય છે.
- જૈવિક ખાતરો કિમતમાં સસ્તાં છે એટલે તેના ઉપયોગ દ્રારા રસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડી શકાય છે.
- જૈવિક ખાતરો કિમતમાં સસ્તાં છે એટલે તેના ઉપયોગ દ્રારા રસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડી શકાય છે.
- તે અંત:સ્ત્રાવો, વિટામીનો, ઓક્ઝીન્સ વગેરે પેદા કરી પાકના વિકાસ અને વૃદ્ધીમાં વધારો કરે છે.
- ડાંગરણા પાકમાં જૈવિક ખાતરોના ઉપયોગ ધ્વારા તેનું ઉત્પાદન ૧૦ થી ૨૦ ટકા વધે છે તેવું નોંધવામાં આવેલ છે.
- જૈવિક ખાતરોમાં રહેલ કેટલાંક સુક્ષ્મજીવો એન્ટીબાયોટીકસ ઉત્પન્ન કરતા હોઈ કેટલાંક જમિનાજાન્ય રોગોને પાકમાં થતાં અટકાવે છે.
- તે જમીનમાં રહેલા ફાયદાકારક સુક્ષ્મજીવોની વસ્તી જાળવવા મદદ કરે છે.
- તે જમીનને સુધારે છે અને તેની ફળદ્રુપતા જલાવી રાખે રહે છે.
- તે છોડના પોશાકાત્વોના મીનારલાઈઝેશનમાં મદદરૂપ બને છે.
- તે પર્યાવરણીય-મિત્ર અને પ્રદુષણ રહિત છે એટેલે કે તે કોઈ રસાયણો નહિ પરંતુ ફાયદાકારક સુક્ષ્મજીવો ધરાવે છે.
સ્ત્રોત : જૂન-૨૦૧૫, વર્ષ :૬૮, સળંગ અંક :૮૦૬, કૃષિ ગોવિદ્યા
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી