ગ્રામ્ય કક્ષાએ ભારતમાં ગામડા તાલુકો શહેરનો પ્રત્યેક ખેડૂતો નાગરિક) કમ્પોસ્ટ પીટ’ (ખાતરનો ખાડો) સેન્દ્રિય પદાર્થોનું હવા, ભેજને સૂક્ષ્મ જીવાણુઓની હાજરીમાં જૈવિક રૂપાંતર કરીને સેન્દ્રિય ખાતરો બનાવીને જમીનની ફળદ્રુપતા ને ઉત્પાદકતામાં નિશ્ચિત રીતે વધારીને દેશની સમૃદ્ધિને બચાવી દેશને સ્વચ્છ બનાવી દેશનું ગૌરવ વધારીએ.
વાડીએ- પડતર જગ્યાએ, વૃક્ષોની નજીક, તાલુકા / શહેર / સોસાયટીને જાહેર જગ્યાએ, જયાં કચરો ભેગો થતો તે જગ્યાએ, જયાં પાણીની સ્ત્રોત મળી શકે ને વરસાદ તાપથી રક્ષણ કરે તેવી યોગ્ય જગ્યાએ પસંદગી કરી શકાય.
સામાન્ય રીતે જગ્યાએ ૧ મીટર ઊંડાઈ, ૧.૫ મીટર પહોળાઈ અને કાર્બોદિત પદાર્થોની લભ્યતા મુજબ આશરે પ થી ૩૦ મીટર લંબાઈનો ખાડો બનાવવો તંદુરસ્ત સ્થાનિક પરિસ્થિતિ મુજબ સેન્દ્રિય પદાર્થોના જથ્થાની લભ્યતાને ધ્યાને રાખી ખાડાનું માપ રાખવું.
કપાસની કરાંઠી- ઘઉનું પરાળ કે ખેતરનો વધારાનો ક્યારો, નીંદામણ, તાલુકાને શહેરમાં શાકભાજીનો કચરો, કાગળો તથા અન્ય કાબૉદિત પદાર્થો કે કોઈપણ સેન્દ્રિય પદાર્થોના નાના-નાના ટૂકડા કરી વૈજ્ઞાનિક રીતે ખાડામાં વ્યવસ્થિત રીતે થર કરી કે પાથરી તેમાં થોડા છાણની રબડીનો છંટકાવ કરી સેન્દ્રિય ખાતર બનાવવા માટે સીલાઈટીક બેક્ટરીયા. એક ટન સેન્દ્રિય પદાર્થો દીઠ એક કિલો (માધ્યમ) પ્રમાણે તેનું ર0 લિટર પાણીમાં દ્રાવ્ય બનાવી ટુકડાના થર ઉપર છંટકાવ કરી અને છેલ્લે આ ખાડાને ઢાંચ મિોરમ) અથવા માટીથી ઢાંકી હવાચુસ્ત કરીને તેના ઉપર પાણીથી વ્યવસ્થિત રીતે પલાળવું. ત્યારબાદ તે જ સ્થિતિમાં રાખવું અને એકાદ માસ બાદ તેને વ્યવસ્થિત રીતે ફેરવવું તથા તેમાં જૈવિક કલ્ચર ઉમેરવું. ત્રણ માસમાં તેમાંથી ગળતીયું ખાતર બની જો તેને ખેતી પાકોમાં વાપરી શકાય.
અળસીયા બે પ્રકારના હોય છે. (૧) જમીનમાં નીચે રહેનાર તથા માટી ખાનાર અને (૨) જમીનના ઉપરના ભાગે રહી ક્યો. અવશેષો ખાનાર, આ બંને જાતીઓ જેવી કે એનેજીક ને એપેજીક સેન્દ્રિય ખાતર બનાવે છે જેમાં ઈસીનીયા ફોટડા, યુડીલસ યુજીની અને પેરિયોનિક્સ સેકસાવેટસ મુખ્ય જાતો છે.
શહેર તથા ગ્રામ્ય વિસ્તારનો કચરો (જેમાંથી કાચ ને પ્લાસ્ટિક દૂર કરી) મળમૂત્ર, ગટરનો નિકાલ સુએઝ તથા સેઝ, ગટરમાં સારા પ્રમાણમાં પોષક તત્વ ધરાવે છે. સૂક્ષ્મ તત્ત્વોનું પ્રમાણ સવિશેષ હોય છે જેનું કમ્પોસ્ટ બનાવી- સ્વચ્છતા તથા સેન્દ્રિય પદાર્થોમાંથી સુંદરને ઉત્તમ ખાતરો બનાવી શકાય છે. સંસ્થા, પંચાયત, હોસ્પિટલ, જાહેર સ્થળો નિશ્ચિત રીતને યાંત્રિક ટેકનોલોજીનો ઉપયોગ કરી કમ્પોસ્ટ બનાવી ઉપયોગ કરી શકાય છે. ખેત ઔદ્યોગિક આડપેદાશનો ઉપયોગ કરી સેન્દ્રિય ખાતરો બનાવી શહેરને સ્વચ્છ બનાવી શકાય છે.
સ્વચ્છ ભારતની કલ્પના રમણીય છે. ગાંધીજીએ સ્વચ્છ ગામડાની કલ્પના કરેલ પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સંપૂર્ણ સ્વચ્છ ભારતની કલ્પના સુંદર છે. દિશનો પ્રત્યેક નાગરિક જાગૃત્તપણે તેમાં જોડાય તો સુંદર સ્વ. સાકાર થાય, દેશનો પ્રત્યેક નાગરિક પોતે સ્વચ્છતાનો આગ્રહ રાખે ને જેટલા લોકોના સંપર્કમાં આવે તિ બધાને તેનું શિક્ષણ આપે તે અત્યંત જરૂરી છે. ઉપરાંત સરકારી-અર્ધસરકારી, હોસ્પિટલો, સ્વાયત સંસ્થાઓ સમૂહમાં કાર્ય ઉપાડે તો જ શક્ય બને. જાહેર સ્થળો, શાળા, કોલેજ, કચેરીઓ વગેરે પ્રત્યેક સ્થળોએ સેન્દ્રિય પદાર્થોને એકઠો કરી તમાંથી કાચ, પ્લાસ્ટિકને અલગ કરીને કમ્પોસ્ટ પીટ બનાવી સેન્દ્રિય ખાતરો બનાવે તો ક્યરામાંથી સોનુ બની જાય.
style="text-align: justify; ">સ્ત્રોત : ડો. જે. એન. નારીયા, ડો. હેમાંગી. મહેતા, ડો. વી.પી. ચોવટીયા,
કૃષિ મહાવિદ્યાલય જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી , અમરેલી
કૃષિ ગોવિદ્યા , જુલાઇ - ૨૦૧૫ વર્ષ : ૬૮ અંક : ૮ સળંગ અંક : ૮૦૭
કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020