મગ પ્રોટીનનો સ્ત્રોત હોવાની સાથે સાથે વિટમીન એ, બી, સી અને ઇ પણ ભરપુર માત્રામાં ધરાવે છે. આ ઉપરાંત મગ મીનરલ્સ જેવા કે કેલ્સીયમ, આર્યન અને પોટેશીયમ નો પણ ઉત્તમ સ્ત્રોત છે. મગ વજન ધતાડવા માટે પણ ઉત્તમ સ્ત્રોત છે, તેમા ચરબીની માત્રા ઓછી અને ફાઇબરની માત્રા વધારે હોવાથી તેની વજન ઉતારવામાં તેમજ પાચનમાં પણ ખુબજ ઉપયોગી છે, તેમજ કોલેસ્ટ્રોલ ઘટાડવામા મદદરુપ થાય છે. આ ઉપરાંત મગ શરીરમાથી ઝેરીતત્વો દુર કરનાર, ગરમીશોષક અને મૂત્રવર્ધક ગુણધર્મો ધરાવે છે. મગમાં જટિલ કાર્બોહાઇડ્રેટ્સની માત્રા વધારે પ્રમાણમાં હોવાથી બ્લડ સુગર ઓછી કરવામાં અને ડાયાબીટીસ નિયંત્રણ માટે અગત્યનો ભાગ ભજવે છે.
મઠ પ્રોટીન, રેસા (ફાઇબર), જરુરી વિટામીન અને મીનરલ નો ઉત્તમ સ્ત્રોત છે. તે કુપોષણથી પીડાતા દર્દીઓ માટે યોગ્ય પોષણસભર આહાર છે.
આ ઉપરાંત મગ અને મઠ ને ૬ થી ૭ કલાક પાણીમાં પલાણી, ત્યારબાદ પાણી નીતારી તેને મલના કપડામા ૭ થી ૮ કલાક બાંધી ફણગા કરવામાં આવે છે. ફણગાવેલા કઠોળને આહારમા લેવાથી તેમા રહેલા પોષકતત્વોની જૈવઉપલબ્ધતા વધી જાય છે, તેમા વિટમીન સી ની માત્રા પણ વધુ છે. આ ઉપરાંત તે પાચનમાં પણ હલકા હોય છે.ફણગાવેલા કઠોળને સુકવી તેનો પાવડર બનાવીને લાંબો સમય સાચવી શકાય છે. આ ઉપરાંત મગ/મઠ, રાગી અને ઘઉમાથી બનાવેલ માલ્ટ પાવડર આર્યન, કેલ્શિયમ, ઝિંક, મેગ્નેશિયમ વગેરે ની માત્રા પુરતા પ્રમાણમા હોવાથી કુપોષણથી પિડાતી ગર્ભવતી, અને ધાવતી માતાઓ તેમજ બાળકો ને પોષણ પુરુ પાડી શકાય છે. માલ્ટ પાવડર દુઘ અથવા પાણી સાથે મીક્ષ કરી ઉપયોગ મા લઇ શકાય છે. માલ્ટ પાવડર બનાવવાની પધ્ધિત નીચે દર્શાવેલ છે.
મગ અને મઠની વિવિધ મુલ્યવર્ધન અને પ્રોસેસિગ કરી વિવધ બનાવટો બનાવી શકાય છે. જેનાથી તેનો પોસ્ટ હાર્વેસ્ટ લોસીસ અટકાવી શકાય છે, ખેડુતો તેમજ ઉધૉગકારકોને આર્થિક વળતર વધુ મળે છે. જેથી ગ્રામ્ય સ્તરે સામાજીક અને આર્થિક ધોરણો સુધારી શકાય છે. આ ઉપરાંત પેદાશોની ગુણવત્તા અને સંગ્રહશક્તિમાં વધારો થાય છે. પેદાશો વધુ પોષણક્ષમ, સ્વાદિષ્ટ અને આકર્ષક બને છે. આ ઉધ્યોગ થકી રોજગારની તકો વધે છે તેમજ તેના નિકાસથી વિદેશી હુંડિંયામણ પણ કમાઇ શકાય છે.
પીળી મગની દાળ (ફોતરા વગરની) ને ૩ કલાક પલાળો. પાણી કાઢી મિક્સર મા ગ્રાઇંડ કરી લો. હવે એક પેન મા ઘી લઇ મગની પેસ્ટ નાખી ધીમા તાપે સેકો. સતત હલાવતા રહો. શેકાય જાય એટલે તેમા પાણી નાખી મિક્સ કરો. હવે તેમા ખાંડ અને એલચી પાવડર નાખી ધીમા તાપે થવા દો.
ફણગાવેલા મગ, બાજરાનો લોટ, ચોખાનો લોટ અને દહી બધુ એક સરખા પ્રમાણ મા લઇ મિક્સ કરો. હવે તેમા લીલુ મરચુ, લીલા ધાણા, મીઠુ અને પાણી નાખી ખીરુ તૈયાર કરી ૧૫ મિનિટ રાખી મુકો. તવા ને ગરમ કરી ખીરા ને પાથરો. બન્ને બાજુ તેલ નાખી ધીમા તાપે ગુલાબી શેકી લો.
મઠને આઠ કલાક/ આખી રાત પાણીમા પલાણવા, બીજા દિવસે પાણી નિતારીને ફળગાવવા. ત્યારબાદ તેને ટ્રે ડ્રાયરમાં ૬૦0સે. તાપમાને સુકવી, તેનો પાવડર બનાવીને મઠ માલ્ટ બનાવી શકાય છે, જે પોષક તત્વોથી ભરપુર અને પાચનમાં સરળ છે. આ માલ્ટ નાના બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓને આપી શકાય છે.
લેખક: ડૉ. આર.આર. ગજેરા (સહ પ્રાધ્યાપક) , બાગાયત કોલેજ, આ.કૃ.યુ , આણંદ
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020